SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૧ ૩૫૩ લક્ષણથી જુદા સ્વરૂપવાળાને વિરોધ માનતાં સર્વ ઠેકાણે વિરોધ જ માનવાનો પ્રસંગ આવે. તેથી વિરુદ્ધત્વ કહેવા માત્રથી જ એકાધિકરણત્વ અને એક કાલત્વની અવગતિ(બોધ) થઈ જ જાય છે. તે જણાવવાની જરૂર રહેતી નથી. કારણકે અન્યથા–તેના વિના વિરુદ્ધત્વની અનુપપત્તિ જ હોય છે. આમ હોવા છતાં પણ નૈયાયિકોએ ન્યાયભાષ્યમાં આ પ્રમાણે જે પંક્તિ લખી છે. “એક જ અધિકરણમાં રહેલા વસ્તુના બે ધર્મો એક જ કાલે અનિશ્ચિત હોય, તેને વિરુદ્ધ કહેવાય છે.” આ પ્રમાણેની જે પંક્તિ છે. તે પંક્તિમાં એક “એકાધિકરણ” અને બીજું “એક કાલ” આવાં જે બે વિશેષણો કહ્યાં છે. તે પુનરુક્તિ રૂપ છે અથવા અપુષ્ટાર્થક (નિરર્થક) છે. यदप्यत्रैवानवसिताविति, तदप्यव्यापकम् , यतो वीतरागविषयवादकथायामनवसितत्वसद्भावेऽपि जिगीषुगोचरवादकथायां तदसद्भावात् । वीतरागवादो ह्यन्यतरसंदेहादपि प्रवर्तते । जिगीषुगोचरः पुनर्वादो न नाम निर्णयमन्तरेण प्रवर्तितुमुत्सहते । तथाहि-वादी शब्दादौ नित्यत्वं स्वयं प्रमाणेन प्रतीत्यैव प्रवर्तमानोऽसमानप्रतिपक्षप्रतिक्षेपमनोरथोऽहमहमिकयाऽनुमानमुपन्यस्यति, प्रतिवाद्यपि तत्रैव धर्मिणि प्रतिपन्नानित्यत्वधर्मस्तथैव दूषणमुदीरयतीति क्व नाम वादकथाप्रारम्भात् प्रागनवसायस्यावकाशः?॥ તથા વિરુદ્ધનું લક્ષણ જણાવતી ન્યાયભાષ્યની આ પંક્તિમાં જે “મનસતી" એટલે કે અનિર્મીત આવું વિશેષણ લખ્યું છે તે પણ સર્વ પ્રકારના વાદમાં ઘટતું નથી માટે અવ્યાપ્તિદોષયુક્ત હોવાથી અવ્યાપક છે. તે આ પ્રમાણે–જ્યારે વીતરાગ વ્યક્તિની સાથે તત્ત્વનિર્ણિનીષ ભાવવાળા શિષ્યો વાદ કરે છે. ત્યારે પહેલેથી હૃદયમાં તત્ત્વ નિશ્ચિત હોતું નથી. એટલે કે અનિણત-અનિશ્ચિત હોય છે. માટે તેને તો વાદ કહેવાશે. કારણકે તત્ત્વને ન જાણતા અને જાણવાની ભાવનાવાળા જીવો વિનયભાવે જ વિતરાગ સાથે વાદ પ્રારંભે છે. અને જેમ જેમ વીતરાગ પાસેથી તત્ત્વ જણાતું જાય છે તેમ તેમ શિષ્ય તે વાત સ્વીકારી લે છે. એટલે પૂર્વે તે વસ્તુ અનિશ્ચિત હતી અને વાદ દ્વારા વીતરાગની વાણીથી નિશ્ચિત થઈ. માટે વીતરાગના વિષયવાળી વાદકથામાં તો અનવસિતત્વ વિશેષણ સંભવે છે. પરંતુ જિગીષની સાથેના વિષયમાં જ્યારે વાદકથા પ્રારંભાય છે. ત્યારે ત્યાં “અનિશ્ચિતત્વ” સંભવતું નથી. કારણકે વીતરાગની સાથે વાદ કરનારા શિષ્યો કોઈપણ વિષયમાં પોતાને સંદેહ છે. તે સંદેહ ટાળવા વીતરાગની સાથે વાદ કરે છે. જેમકે મહાવીર પ્રભુ અને ઇદ્રભૂતિનો વાદ. પરંતુ સામેના પ્રતિવાદીને જિતવાની ઇચ્છાથી જિગીષભાવે કરાયેલો વાદ વાદીએ પોતાના હૃદયમાં તે તે ધર્મનો નિર્ણય ન કર્યો હોય અને વિના નિર્ણયે વાદ ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy