SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૫૭ ૩૪૧ મુક્તિગમનનું સામર્થ્ય પણ ન હોય, આ નિયમ પ્રામાણિકપણે સ્વીકારાય તો તેવી જ રીતે અભવ્ય અને મિથ્યાત્વી જીવોમાં મુક્તિગમનનું સામર્થ્ય નથી, તેથી નીચે સાતમી નરકભૂમિમાં જવાનું સામર્થ્ય પણ ન જ હોય. તેથી તેવા જીવોનું સપ્તમનરક- ભૂમિમાં ગમન થશે નહીં. માટે આવો અવિનાભાવ માનવો તે પ્રામાણિક વાત નથી. નીચે જવાનું ઉત્કૃષ્ટ સામર્થ્ય ન હોય તો પણ ઉપર જવાનું ઉત્કૃષ્ટ સામર્થ્ય હોઈ શકે અને એવી જ રીતે ઉપર જવાનું ઉત્કૃષ્ટ સામર્થ્ય ન હોય તો પણ નીચે જવાનું ઉત્કૃષ્ટ સામર્થ્ય હોઈ શકે. આમ જ માનવું ઉચિત છે. તેથી સ્ત્રીઓમાં સપ્તમ નરકભૂમિગમનનું સામર્થ્ય ભલે ન હો. તો પણ ઉપર મુક્તિગમનનું સામર્થ્ય હોઈ શકે છે. अथ वादादिलब्धिरहितत्वेन स्त्रीणां विशिष्टसामर्थ्याऽसत्त्वम् , यत्र खल्वैहिकवादविक्रियाचारणादिलब्धीनामपि हेतुः संयमविशेषरूपं सामर्थ्यं नास्ति, तत्र मोक्षहेतुस्तद्भविष्यतीति कः सुधीः श्रद्दधीत ?। तदचारु, व्यभिचारात्, माषतुषादीनां तदभावेऽपि विशिष्टसामोपलब्धेः । न च लब्धीनां संयमविशेषहेतुकत्वमागमिकम् , कर्मोदयक्षयक्षयोपशमोपशमहेतुकतया तासां तत्रोदितत्वात् । तथा चाऽवाचि-"उदयखयखओवसमोवसमसमुत्था बहुप्पगाराओ । __ एवं परिणामवसा लद्धीउ हवन्ति जीवाणं ॥१॥" चक्रवर्ती-बलदेव-वासुदेवत्वादिप्राप्तयोऽपि हि लब्धयः, न च संयमसद्भावनिबन्धना तत्प्राप्तिः । सन्तु वा तन्निबन्धना लब्धयः, तथापि स्त्रीषु तासां सर्वासामभावोऽभिधीयते, नियतानामेव वा । नाद्यः पक्षः, चक्रवादिलब्धीनां कासाञ्चिदेव तासु प्रतिषेधात्, आमर्पोषध्यादीनां तु भूयसीनां भावात् । द्वितीयपक्षे तु व्यभिचारः, पुरुषाणां सर्ववादादिलब्ध्यभावेऽपि विशिष्टसामर्थ्यस्वीकारात् , अकेशवानामेव, अतीर्थकरचक्रवर्त्यादीनामपि च मोक्षसंभवात् ॥ હવે “વાદાદિલબ્ધિરહિતત્વ” એ નામનો બીજો પક્ષ જો કહો તો એટલે કે જે જે જીવોમાં આ ભવમાં વાદલબ્ધિ, વૈક્રિયલબ્ધિ, અને જંઘાચારણાદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય તેવું અર્થાત્ આવી લબ્ધિઓનું કારણ બને તેવું સંયમવિશેષ પાળવા રૂપ સામર્થ્ય નથી તે જીવોમાં મોક્ષનું કારણ બને તેવું તે ઉત્કૃષ્ટ સંયમ હોય, આવું કયો પંડિત પુરુષ સ્વીકારે ? મોક્ષપ્રાપ્તિની અપેક્ષાએ વાદાદિ લબ્ધિઓ અલ્પ છે. તો જે જે જીવોમાં લઘુ ગણાતી લબ્ધિઓના હેતુભૂત પણ સંયમપાલનનું સામર્થ્ય ન હોય તેવા જીવોમાં ઉત્કૃષ્ટ ગણાતી મોક્ષ-પ્રાપ્તિના હેતુભૂત સંયમપાલનનું સામર્થ્ય કયાંથી હોય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy