SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭ ૩૩૯ આ વળી શાસ્ત્રોમાં કહ્યું છે કે કેટલીક મહાત્મા સ્ત્રીઓ પોતાના દેહ ઉપર પણ મમત્વાદિકને આચરતી નથી. (જો દેહ ઉપર મૂચ્છ ન કરતી હોય તો વસ્ત્ર ઉપર મૂર્છાનો ત્યાગ હોય જ, એમાં કંઈ આશ્ચર્ય નથી) આ રીતે “મૂચ્છહેતુત્વ” નામના હેતુવડે વસ્ત્રોની પરિગ્રહતા સ્ત્રીઓને તમે ઘટાવતા હતા, તે પક્ષ પણ ખંડિત થયો. શરીરની જેમ વસ્ત્રાદિ પણ કોઇક કોઇક (મહાત્મા) સ્ત્રીઓને આશ્રયી મૂર્છા હેતુ નહી હોવાથી પરિગ્રહરૂપ બનતાં નથી. તેથી સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીનો અભાવ સ્ત્રીઓમાં સિદ્ધ થતો નથી. આ કારણે પુરુષોથી અપકર્ષ પણ સિદ્ધ થતો નથી. नापि विशिष्टसामर्थ्यासत्त्वेन, यतस्तदपि तासां किं सप्तमपृथ्वीगमनाभावेन, वादादिलब्धिरहितत्वेन, अल्पश्रुतत्वेन, अनुपस्थाप्यतापाराञ्चितकशून्यत्वेन वा भवेत् । न तावदाद्यः पक्षः, यतोऽत्र सप्तमपृथ्वीगमनाभावो यत्रैव जन्मनि तासां मुक्तिगामित्वं तत्रैवोच्यते, सामान्येन वा । प्राचि पक्षे चरमशरीरिभिरनेकान्तः । द्वितीये त्वयमाशयःयथैव हि स्त्रीणां सप्तमपृथ्वीगमनसमर्थतीव्रतराशुभपरिणामे सामर्थ्याभावादपकर्षः, तथा मुक्तिगमनयोग्योत्कृष्टशुभपरिणामेऽपि, चरमशरीरिणां तु प्रसन्नचन्द्रराजर्षिप्रमुखाणामुभयत्रापि सामर्थ्याद् नैकत्राऽप्यपकर्षः । तदयुक्तम्, यतो नायमविनाभावः प्रामाणिकः, यदुत्कृष्टाऽशुभगत्युपार्जनसामर्थ्याभावे सत्युत्कृष्ट-शुभगत्युपार्जन-सामर्थ्येनापि न भवितव्यम्, अन्यथा प्रकृष्टशुभगत्युपार्जनसामर्थ्याभावे प्रकृष्टाशुभगत्युपार्जनसामर्थ्य नास्तीत्यपि किं न स्यात् ? तथा चाऽभव्यानां सप्तमपृथ्वीगमनं न भवेत् ॥ વળી, વિશિષ્ટ સામર્થ્યના અભાવના કારણે સ્ત્રીઓ પુરુષોથી અપકર્ષ વાળી છે. આ વાત વાળો બીજો પક્ષ પણ ઉચિત નથી. કારણકે પુરુષો કરતાં સ્ત્રીઓમાં કયા કારણે વિશિષ્ટ સામર્થ્યનો અભાવ તમને દેખાય છે ? (૧) શું તેઓને સાતમી નરકમાં જવાનો અભાવ છે માટે ? (૨) વાદીઓની સામે રાજ્યસભા આદિમાં વાદ કરી શકે અને જિત મેળવી શકે એવા પ્રકારની વાદ આદિ લબ્ધિઓ રહિત છે માટે ? (૩) ચૌદપૂર્વાદિ શ્રુતનું અધ્યયન ન હોવાના કારણે અલ્પકૃતતા છે માટે ? (૪) કે અનુપસ્થાપ્યતા અને પારાંચિતતા જેવાં મહા પ્રાયશ્ચિત્ત તેઓને હોતાં નથી. તે કારણે તેઓમાં વિશિષ્ટ સામર્થ્યનો અભાવ તમે માનો છો ? આ ચાર કારણો પૈકી કયું કારણ સ્ત્રીઓમાં વિશિષ્ટ સામર્થ્યભાવ તમારી દૃષ્ટિએ સિદ્ધ કરે છે ? ત્યાં પ્રથમ પક્ષ કહો તો તે ઉચિત નથી. કારણકે તે સ્ત્રીઓનો જે જન્મમાં સાતમી નરકમૃથ્વીમાં જવાનો અભાવ હોય, તે જ જન્મમાં મુક્તિગામિત્વનો નિષેધ કરાય છે કે સામાન્યપણે મુક્તિગામિત્વ નિષેધાય છે ? આ બે પક્ષોમાંથી પ્રથમ પક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy