SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭ ૩૨૯ તો આવી તમારી વાત પણ ઉચિત નથી. કારણકે કર્મબંધનાં જે કારણો છે તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ લક્ષણરૂપ છે. તે તમામ કારણોનો મુખ્તાવસ્થામાં અભાવ હોવાથી ફરીથી પણ કર્મબંધનું નિર્માણ થતું જ નથી. નૈયાયિક– સુખને અનુકૂળ (સ્ત્રી-ધન આદિ) કારણોનો મુક્તાવસ્થામાં અભાવ હોવાથી તેવા પ્રકારના સુખનો ઉત્પાદ જ ત્યાં સંભવતો નથી. જૈન– આવું હે નૈયાયિક ! તારે ન કહેવું. કારણકે “સર્વ કર્મોનો ઉપરમ” આ જ સુખનું મોટું કારણ ત્યાં મુક્તાવસ્થામાં વિદ્યમાન છે. માટે સાદિ-અનંત સ્થિતિવાળું સુખ ત્યાં છે. અને અનંત સુખ હોવાથી પંડિત પુરુષો તે મેળવવા પ્રયત્નશીલ થશે જ. यच्चोक्तम्-विवेकहानस्य चाशक्यत्वादिति, तदेवमेव, सांसारिकसुखस्यैतादृशत्वात्, तद्धि मधुदिग्धधाराकरालमण्डलाग्रग्रासवद् दुःखाकरोतीति युक्ता मुमुक्षूणां तजिहासा, किन्त्वात्यन्तिकसुखविशेषलिप्सूनामेव । ये अपि विषमधुनी एकत्राऽमत्रे संपृक्ते परित्यज्येते, ते अपि सुखविशेषलिप्सयैव । किञ्च, यथा प्राणिनां संसारावस्थायां सुखमिष्टम् , दुःखं चानिष्टम् , तथा मोक्षावस्थायां दुःखनिवृत्तिरिष्टा सुखनिवृत्तिस्त्वनिष्टैव । ततो यदि त्वदभिमतो मोक्षः स्यात् , न तदा प्रेक्षावतामत्र प्रवृत्तिः स्यात्, भवति चेयम् ततः सिद्धं मोक्षः सुखसंवेदनस्वभावः प्रेक्षावत्प्रवृत्तिविषयत्वाऽन्यथानुपपत्तेरिति ॥ વળી હે તૈયાયિક ! તમે જે પહેલાં એમ કહ્યું હતું કે–“વિવેક્ષાની વાવિયત્વત્તિ''= વિવેકપૂર્વક સુખ-દુઃખનો ભેદ કરીને કેવળ એકલા દુઃખને ત્યજવું એ અશક્ય છે. ઇત્યાદિ. તે ખરેખર એમ જ છે. પણ આ વાત સાંસારિક સુખ માટે છે. કારણ કે સાંસારિક સુખ આવું જ છે. અર્થાત્ દુઃખથી મિશ્ર જ છે. દુઃખ દુઃખ ત્યજીને કેવળ એકલું સુખ જ લેવાય તેવું સાંસારિક સુખ નથી જ. તે આ સાંસારિક સુખ મધથી લેપાયેલી છે ધાર જેની એવી તલવારનો જે અગ્રભાગ છે. તેને ચાટવા જેવું છે. જે દુઃખ જ કરે છે. કારણકે ચાટવાના આનંદમાં મસ્ત થયેલા જીવની જીભ છેદાય છે અને દુઃખી, દુઃખી થાય છે. તેમ ઇન્દ્રિયોનાં વિષયજન્ય સુખ પણ અનેક પ્રકારની આધિ-વ્યાધિ અને ઉપાધિઓથી ઘેરાયેલ હોવાથી દુઃખ જ આપે છે. તેથી મુમુક્ષુ આત્માઓને તે સાંસારિક ઇન્દ્રિયજન્ય સુખને ત્યજી દેવાની જે ઇચ્છા થાય છે તે ખરેખર યોગ્ય જ છે. પરંતુ દુઃખમિશ્રિત એવું આ સાંસારિક સુખ ત્યજવાની ઇચ્છા જે થાય છે તે આત્યન્તિક સુખ વિશેષ મેળવવાની ઇચ્છાવાળાઓને જ થાય છે. એક પાત્રમાં પડેલા વિષ અને મધ જે બન્ને જાય છે. તે પણ સુખવિશેષ મેળવવાની ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy