SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૩ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૫૬ મૂર્તિત્વ આત્મામાં આવી જશે એમ પહેલો પક્ષ જો કહો તો તે અમને દોષ(ની પુષ્ટિ) કરનારો નથી. કારણકે અમે આત્માને અસર્વવ્યાપી માનીએ જ છીએ અને એવા અર્થવાળું મૂર્તિત્વ આત્મામાં આવતું હોય તો ભલે આવો. તે અમને ઇષ્ટ છે. તેમ માનવામાં કોઈ દોષ નથી. હવે જો “વર્ણાદિ-વાળાપણું” એ અર્થવાળું મૂર્તિત્વ આત્માને આવી જશે. એમ જ કહેતા તો તે અયુક્ત છે. કારણકે વ્યાપ્તિ લાગુ પડતી નથી. તમારું કરેલું અનુમાન આવું થશે માત્મા (પક્ષ) મૂર્તરૂપતિમાનું, (સાધ્ય) પરિમાળાવાલ્મસર્વાતવાત્ (હેતુ) અનુમાન સાચું તો જ બને કે જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્ય નિયમા હોય તો, અહીં જ્યાં જ્યાં અસર્વગતત્વ હોય ત્યાં ત્યાં વર્ણાદિમત્ત્વ હોય જ, આવો નિયમ હોય તો જ અન્વયવ્યાપ્તિ થઈ કહેવાય. પરંતુ જે જે અસર્વગત છે તે તે બધું વર્ણાદિમાનું નથી. જેમકે મન. આ મન પરમાણુ જેવડું હોવાથી અસર્વગત છે. છતાં વર્ણાદિવાળું (તમારા મતે) નથી. અને આ જ કારણથી વ્યતિરેક વ્યાપ્તિ પણ થતી નથી, જ્યાં જ્યાં વર્ણાદિવાળાપણું નથી. ત્યાં ત્યાં અસર્વગતત્વ પણ નથી એવી વ્યતિરેક વ્યાપ્તિ પણ સંભવતી નથી. કારણકે મન વર્ણાદિમાન્ નથી. પરંતુ અસર્વગત છે. આમ બન્ને રીતે તૈયાયિકની વાત વ્યાપ્તિ વિનાની હોવાથી અયુક્ત છે. વળી જો તમે મૂર્તત્વનો અર્થ “અસર્વગતદ્રવ્યપરિમાણત્વ” કરતા હો. તો આ મન જ અસર્વગતદ્રવ્યપરિમાણવાળું છે. છતાં શરીરમાં પ્રવેશ પામે છે. તેની જેમ આત્મા પણ અસર્વગતદ્રવ્યપરિમાણ અર્થવાળો મૂર્તિ હોવા છતાં શરીરમાં મનની જેમ પ્રવેશ પામશે. તેના પ્રવેશનો કોઈ પ્રતિબંધ કરી શકશે નહીં. તેથી આત્માની શરીરમાં પ્રવેશની અનુપપત્તિ થતી નથી કે જેથી શરીર નિરાત્મક બની જાય. તથા “રૂપાદિમત્ત્વ” લક્ષણવાળું મૂર્તિત્વ જો તમે માનતા હો. તો આવા પ્રકારના મૂર્તિત્વગુણથી યુક્ત એવાં જલાદિ દ્રવ્યોનો અનુપ્રવેશ ભસ્માદિમાં, અને અગ્નિનો પ્રવેશ કઠણ લોખંડ અને સુવર્ણાદિમાં પ્રત્યક્ષ દેખાય જ છે. આવા પ્રકારના મૂર્તિતા ગુણવાળા દ્રવ્યોનો મૂર્તિમાં પ્રવેશ નિષેધ કરાતો નથી. અને આવા પ્રકારની મૂર્તતા વિનાના એવા પણ (અતિસૂક્ષ્મ) આત્મદ્રવ્યનો તે શરીરમાં અનુપ્રવેશ નિષેધ કરાય છે આવી તમારી વાત સાંભળીને મહાન્ આશ્ચર્ય થાય છે. કહેવાનો સાર એ છે કે વર્ણાદિવાળી મૂર્ત વસ્તુ પૂલ હોય છે. અને વર્ણાદિથી રહિત અમૂર્ત વસ્તુ સૂક્ષ્મ હોય છે. સ્કૂલ એવા જલાદિનો ભસ્મમાં, અગ્નિ આદિનો લોખંડમાં પ્રવેશ થાય છે. તેમાં તમને કંઈપણ વાંધો દેખાતો નથી અને સૂક્ષ્મ એવા આત્માનો શરીરમાં પ્રવેશ માનવામાં ચૂંક આવે છે. આ જ મોટું આશ્ચર્ય છે. यदप्यवादि-"तत्परिमाणत्वे तस्य बालशरीरपरिमाणस्य" इत्यादि तदप्ययुक्तम् , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy