SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬ ન ઘટે, કારણકે તે ગુણો પરસ્પર વિરોધી છે. તેવી જ રીતે આકાશ દ્રવ્ય પણ સર્વવ્યાપી હોવાથી અનેક ઘટપટાદિ, તથા ભેરી આદિ ભિન્ન-ભિન્ન અનેક વાજીંત્રોનો સંયોગ, અને તેના દ્વારા થનારાં અનેક કાર્યો અને વિવિધ શબ્દોત્પત્તિ, સમવાય-સંબંધથી આકાશમાં ઘટશે નહીં. કારણકે “વિરોધ” નામનો દોષ તો બન્ને સ્થાને સરખો જ છે. નૈયાયિક- ભેરી આદિ અનેક વાજીંત્રો દ્વારા થનારા ભિન્ન-ભિન્ન શબ્દોની ઉત્પત્તિ એક જ આકાશમાં, એક જ કાળે સમવાય-સંબંધથી ઘટી શકશે. કારણકે ભિન્ન-ભિન્ન શબ્દોત્પત્તિનાં કારણો (ભેરી-વીણા અને શરણાઇ આદિ રૂપે) ભિન્ન-ભિન્ન પદાર્થો હોવાથી અનેક શબ્દોત્પત્તિની અનુપપત્તિ થશે નહીં. સારી રીતે સંભવશે. જૈન– એ જ રીતે સુખ-દુઃખાદિ ગુણોની ઉત્પત્તિનાં કારણો પણ એક નિરોગી શરીર અને બીજાં સરોગી શરીર એમ ભિન્ન-ભિન્ન હોવાથી સર્વવ્યાપી એવા એક આત્મામાં તનુuપત્તિરપિ તે સુખ-દુઃખાદિ ગુણોની અનુપપત્તિ પણ ન થાઓ. અર્થાત્ જેમ તત-વિતત આદિ ભિન્ન-ભિન્ન શબ્દોત્પત્તિ સર્વવ્યાપી આકાશમાં એક સાથે હોઈ શકે છે. તેમ એક જ આત્મામાં સુખ-દુખાદિની ઉપપત્તિ પણ એકી સાથે ઘટી શકશે. બન્ને માન્યતાઓમાં કોઈ ભેદ નથી. विरुद्धधर्माध्यासादात्मनो नानात्वमिति चेत्, तत एवाकाशनानात्वमस्तु । प्रदेशभेदोपचाराददोष इति चेत्, तत एवात्मन्यप्यदोषः । जननमरणकरणादिप्रतिनियमोऽपि सर्वगतात्मवादिनां नात्मबहुत्वं साधयेत्, एकत्रापि तदुपपत्तेः, घटाकाशादिजननविनाशादिवत् । न हि घटाकाशस्योत्पत्तौ घटाकाशस्योत्पत्तिरेव, तदा विनाशस्यापि दर्शनात् । नापि विनाशे विनाश एव, जननस्यापि तदोपलम्भात् । स्थितौ वा न स्थितिरेव, विनाशोत्पादयोरपि तदा समीक्षणात् ।। __ सति बन्धे न मोक्षः, सति वा मोक्षे न बन्धः स्यात् , एकत्रात्मनि विरोधादिति चेत्, न, आकाशे सति घटबन्धे घटान्तरमोक्षाभावप्रसङ्गात् सति वा घटविश्लेषे घटान्तरविश्लेषप्रसङ्गात् । प्रदेशभेदोपचाराद् न तत्प्रसङ्ग इति चेत्, तत एवात्मनि न तत्प्रसङ्गः । नभसः प्रदेशभेदोपगमे जीवस्याप्येकस्य प्रदेशभेदोऽस्त्विति कुतो जीवतत्त्वप्रभेदव्यवस्था ? यतो व्यापकत्वं स्यात् ॥ નૈયાયિક- સુખ અને દુઃખાદિ સ્વરૂપ પરસ્પર વિરુદ્ધ ધર્મોનો આશ્રય હોવાથી આત્મતત્ત્વમાં નાના– (અનેકત્વ) માની શકાય છે. એટલે કે સુખ ગુણવાળો (નિરોગી શરીરયુકત જીવ) જુદો છે. અને દુઃખ ગુણવાળો (સરોગી શરીરયુક્ત જીવ) જુદો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy