SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬ વિના પ્રતિબિંબોદય પણ ઘટી શકતો નથી. સ્ફટિક અને દર્પણાદિ પદાર્થોમાં તેવા પ્રકારનો પ્રતિબિંબપણે પરિણામ પામવાનો સ્વભાવ છે. તો જ તે પદાર્થોમાં પ્રતિબિંબોદય થાય છે. અન્યથા દિવાલ તથા પત્થરની શિલા આદિ અંધપદાર્થો ઉપર પણ પ્રતિબિંબોદય થવો જોઇએ. પરંતુ દિવાલાદિમાં પ્રતિબિંબોદય થતો નથી અને સ્ફટિકાદિમાં થાય છે. તેથી સ્ફટિકાદિમાં પ્રતિબિંબોદય પામવાનો સ્વભાવ છે એમ માનવું જ જોઇએ. તેની જેમ પુરુષમાં પણ પરિવર્તન પામવાનો પરિણામ છે. તો જ પ્રતિબિંબોદય થાય છે. અને તેવા પ્રકારનો પરિવર્તનીય સ્વભાવ હોવાથી જ આત્મા પરિણામ પામે છે. એમ સ્વીકાર્યો છતે આ આત્માનું કર્તૃત્વ કેમ ન થયું ? અર્થાત્ થયું જ, આ રીતે આ પુરુષનું (આત્માનું) ત્વ અને સાક્ષાદ્ ભોક્તૃત્વ સિદ્ધ થયું. આ બન્ને પર્યાયો પુરુષના જ છે. પ્રધાનતત્ત્વના નથી. स्वदेहपरिमाण इत्यनेनापि नैयायिकादिपरिकल्पितं सर्वगतत्वमात्मनो निषिध्यते, तथात्वे जीवतत्त्वप्रभेदानां व्यवस्थानाप्रसिद्धिप्रसङ्गात् । सर्वगतात्मन्येकत्रैव नानात्मकार्यपरिसमाप्तेः सकृद् नानामन: समायोगो हि नानात्मकार्यम्, तच्चैकत्रापि युज्यते, नभसि नानाघटादिसंयोगवत्, एतेन युगपन्नानाशरीरेन्द्रियसंयोगः प्रतिपादितः । युगपन्नानाशरीरेष्वात्मसमवायिनां सुख-दुःखादीनामनुपपत्तिः, विरोधादिति चेत्, न, युगपन्नानाभेर्यादिष्वाकाशसमवायिनां विततादिशब्दानामनुपपत्तिप्रसङ्गात्, तद्विरोधस्याविशेषात् । तथाविधशब्दकारणभेदाद् न तदनुपपत्तिरिति चेत्, सुखादिकारणभेदात् तदनुपपत्तिरप्येकत्रात्मनि मा भूद्, विशेषाभावात् ॥ ૨૭૯ આ આત્મા સ્વદેહપરિમાણ છે અર્થાત્ પોતાના શરીર માત્રમાં જ રહેવાના (માપવાળો) પ્રમાણવાળો છે. ગ્રંથકારશ્રીની આ વાક્યરચનાથી નૈયાયિકાદિઓ વડે મનાયેલું આત્માનું સર્વવ્યાપિત્વ નિષેધ કરાય છે. અર્થાત્ આત્મા સર્વવ્યાપી નથી, પણ શરીરવ્યાપી માત્ર જ છે. જો શરીરવ્યાપી ન માનીએ અને સર્વવ્યાપી માનીએ તો સર્વે આત્માઓ સર્વવ્યાપી થવાથી સમાન થયા. તેથી જીવતત્ત્વના ભેદ-પ્રભેદોની વ્યવસ્થા આ સંસારમાં જે પ્રવર્તે છે. તેનો અભાવ જ થવાનો પ્રસંગ આવે. આ એકેન્દ્રિય, આ બેઇન્દ્રિય, ઇત્યાદિ ભેદ રહે જ નહી. વળી આત્માને સર્વવ્યાપી માન્યે છતે ‘જૈવ''-એક જ આત્મામાં ભિન્નભિન્ન અનેક આત્માઓનું અનેક કાર્યોની સંક્લના થવાનું બનશે. કારણકે “ભિન્ન-ભિન્ન મનનો સંયોગ એ જ અનેક આત્માઓનું કાર્ય છે” એક જ કાળે એક જ આત્મામાં સર્વવ્યાપીપણું માનવાથી અનેક શરીરોમાં આ આત્મા વ્યાપ્ત થશે. તેમ થવાથી આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy