SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬ નૈયાયિક— અમે આત્માને સર્વથા જડ પણ માનીશું. અને તેમ છતાં ‘હું જ્ઞાનવાળો છું” એવો બોધ પણ આ આત્માને થાય છે. એમ પણ અમે માનીશું. જડ એવા પણ આત્મામાં જ્ઞાનનો સમવાય હોવાથી “જ્ઞાનવાન્ હું છું” એવો બોધ તે કરશે. ઘટ-પટમાં જ્ઞાનનો સમવાય નથી, તેથી તે આવો બોધ નહી કરે. આમ માનવામાં કંઇ વિરોધ આવતો નથી. જ્ઞાન સમવાય-સંબંધથી આત્મામાં વર્તે છે. તેથી જ્ઞાન એ વિશેષણ અને હું એ વિશેષ્ય એમ વિશેષણ-વિશેષ્યનો બોધ આત્માને થશે. જૈન- વૃત્તિ મા નિઊઁી-હે નૈયાયિક ! તમે તમારા મનમાં મન ફાવે તેમ ઉપરોક્ત નિર્ણય ન કરી લેશો. કારણકે તસ્ય સર્વથા જડાત્મક એવા તે આત્માને તથોત્પત્તિ: =હું જ્ઞાનવાન્ છું તેવા બોધની (પ્રત્યયની) ઉત્પત્તિ સન્મવાત્=સંભવતી નથી. “હું જ્ઞાનવાળો છું' એવો પ્રત્યય (એટલે આવો બોધ) જ્ઞાનાન્દ્રે વિશેષને અગૃહીતે-જ્ઞાન નામના વિશેષણને જાણ્યા વિના, અને વિશેષ્યે ચાત્મનિ=આત્મા નામના વિશેષ્યને જાણ્યા વિના ન ખાતૃત્વદ્યતે-કોઇ દિવસ ક્યારેય પણ ઉત્પન્ન થતો નથી. કારણકે તેમ માનવામાં તમને તમારા પોતાના મતનો જ વિરોધ આવશે. તમારા શાસ્ત્રોમાં જ કહ્યું છે કે નાગૃહીતવિશેષ વિશેષ્યે બુદ્ધિઃ જ્યાં સુધી વિશેષણનો બોધ થયો ન હોય ત્યાં સુધી વિશેષણના બોધ વિના વિશેષ્યમાં પણ જ્ઞાન થતું નથી. જેમકે અર્થ તખ્તી પુરુષ:=આ લાકડીવાળો પુરુષ છે. આવો બોધ તેને જ થાય છે કે જેને લાકડીનો બોધ છે. અર્થાત્ લાકડી નામના વિશેષણીભૂત પદાર્થને જાણનારો માણસ જ “આ લાકડીવાળો પુરુષ છે” આમ લાકડીવાળા પુરુષ રૂપ વિશેષ્યભૂત પદાર્થને જાણી શકે છે. “મુગટવાળો રાજા” આવો બોધ તે જ કરી શકશે કે જે મુગટને જાણતો હોય. તેવી રીતે અહીં “જ્ઞાન” નામના વિશેષણને જાણ્યા વિના “જ્ઞાનવાળો હું” એવી વિશેષ્યની બુદ્ધિ ઉત્પન્ન થશે નહીં. ૨૬૯ નૈયાયિક વૃદ્દીતયોસ્તયોરુત્વદ્યુત કૃતિ-જ્ઞાન એ વિશેષણ અને જ્ઞાનવાનાત્મા એ વિશેષ્ય એમ વિશેષણ વિશેષ્ય ગ્રહણ કરાયે છતે (અર્થાત્ તે બન્નેનો પ્રથમ બોધ થયે છતે) ત્યારબાદ “હું જ્ઞાનવાળો છું” એવી વિશેષણથી વિશિષ્ટ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એમ અમે માનીશું. જૈન-તસ્તĮહીતિ:-આ વિશેષણ છે. અને આ વિશેષણ-વિશિષ્ટ-વિશેષ્ય છે. તેવો બોધ કોના વડે કરશો ! શું જ્ઞાન પોતે જ પોતાની વિશેષણતા અને આત્માની વિશેષ્યતા જણાવે ? કે જ્ઞાન અને આત્માની વચ્ચે રહેલી વિશેષણ-વિશેષ્યતા બીજા કોઇ પરથી (બીજા જ્ઞાનથી) જણાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy