SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬ નથી. શરીર અને વસ્ત્રનો પણ સંયોગસંબંધથી કથંચિત્ અભેદ થયો છે. તો જ “હું બળ્યો” એમ બોલાય છે. જે વસ્ત્રો દુકાનમાં કે ઘરમાં પડ્યાં છે. શરીર ઉપર ધારણ કર્યા નથી તે બળતે છતે હું બળ્યો, આમ કહેવાતું નથી. માટે ધારણ કરેલાં વસ્ત્રોમાં કથંચિત્ અભેદ છે જ. “દિ: પુરુષ:” લાકડી એ જ પુરુષ છે. આવો ભેદ હોવા છતાં પણ સમાનાધિકરણપણે જે અનુભવ થાય છે. તે ઉપચાર કરવા દ્વારા થાય છે. તાત્વિકરૂપે થતો નથી. તેથી આ આત્મામાં “હું જ્ઞાતા છું” આવા પ્રકારની જે સમાનાધિકરણપણાની પ્રતીતિ થાય છે. તે આ આત્માની કથંચિત્ ચેતનાત્મકતાને જ જણાવે છે. આ આત્માની કથંચિત્ ચેતનાત્મકતા વિના “હું જ્ઞાતા છું” એવી સમાનાધિકરણપણે પ્રતીતિ કદાપિ ઘટી શકતી નથી. કળશાદિની જેમ, અર્થાત્ અચેતન સ્વરૂપ એવા કળશાદિ “હું જ્ઞાતા છું” એવી ક્યારેય પણ પ્રતીતિ કરતા નથી. તેમ જો ચૈતન્ય આત્માથી એકાતે ભિન્ન હોય અને આ આત્મા પોતે સ્વયં અચેતન હોય તો આવી સમાનાધિકરણપણે પ્રતીતિ કદાપિ થાય નહીં. નૈયાયિક–કળશાદિ અચેતન છે. અને આત્મા પણ અચેતન છે. પરંતુ આત્મામાં ચેતનાના સમવાયનો યોગ થવાથી ચેતનાનો યોગ થયો છે. તેથી હું જ્ઞાતા છું એમ જાણે છે. પરંતુ કળશાદિમાં ચેતનાના સમવાયનો યોગ ન થવાના કારણે ચેતનાના યોગનો પણ અભાવ હોવાથી મરી આ ક્લશાદિ ન તથા પ્રતિ હું જ્ઞાતા છું તેવો અનુભવ કરતા નથી. જૈન– હે નૈયાયિક ! આ તમારી વાત બરાબર નથી. કારણકે સ્વયં જે પદાર્થ અચેતન હોય. અને તેને ચેતનાના સમવાયથી ચેતનાનો યોગ થતો હોય, અને તેનાથી “હું ચેતન છું” આમ તે પદાર્થ જાણતો હોય આ વાત બરાબર નથી. તેનું ખંડન હમણાં જ અમે પૂર્વેની ચર્ચામાં આત્મા-આકાશના ઉદાહરણથી સમજાવ્યું છે. આ પ્રમાણે “ગૌ પાર્થરિએ વિધ્યાત્, મતત્વત્ નવરાતિ' આવા પ્રકારનું અનુમાન આ સૂત્રના પ્રારંભમાં જ અમે મૈયાયિકોનું ખંડન કરતાં કહ્યું હતું. તેમાં કરેલો તનત્વ એવો અમારો હેતુ બરાબર સિદ્ધ થાય છે. નૈયાયિકોએ જે અસિદ્ધ હેત્વાભાસ કર્યો હતો તે થતો નથી. - આ રીતે આત્મા અને ચૈતન્યનો એકાન્તભેદ માનવાથી ઘટ-પટ-આકાશાદિની જેમ આત્મામાં અચેતનપણું જ સિદ્ધ થાય છે. અને સિદ્ધ થયેલું તે અચેતનવ જડ એવા આ આત્મામાં અર્થપરિચ્છેદનો (અર્થબોધનો) નિષેધ જ સિદ્ધ કરે છે. એટલે આત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy