SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ चैतन्ययोगाभावादसौ न तथा प्रत्येतीति चेत्, न, अचेतनस्यापि चैतन्ययोगाच्चेतनोऽहमिति प्रतिपत्तेरनन्तरमेव निरस्तत्वात् इत्यचेतनत्वं सिद्धमात्मनो जडस्यार्थपरिच्छेदं पराकरोति, तं पुनरिच्छता चैतन्यस्वरूपताऽस्य स्वीकरणीया ॥ " ૨૬ ૬ નૈયાયિક હૈ જૈનીયો ! આવા પ્રકારનો અપર=અપૂર્વ જ=અર્થાત્ નવો જ તાદાત્મ્યનામનો સંબંધ માનવાની શી જરૂર ? કારણકે આ આત્મા પોતે સ્વયં (અચેતન હોવા છતાં પણ) ચેતનાના સમવાય-સંબંધના યોગથી “હું ચેતન છું” એવી પ્રતીતિ (એટલે કે એવો અનુભવ) કરે જ છે. જેમ લાકડીથી ભિન્ન એવો પુરુષ લાકડીના યોગથી હું લાકડીવાળો છું આમ જેમ જાણે છે તેમ ચેતનાના સમવાયથી હું ચેતન છું એમ જાણે છે. જૈન- તવયુક્તમ્=તમારી ઉપરોક્ત વાત યુક્તિ વિનાની છે. જો તમે પ્રતીતિને (એટલે કે અનુભવને) જ પ્રમાણ માનતા હો તો તો નિષ્પતિદ્વન્દ્વ પણે (કોઇપણ જાતના વિરોધ વિના) ઉપયોગાત્મક જ આ આત્મા સિદ્ધ થાય છે. આ આત્મા ચૈતન્યમય છે. એવો જ અનુભવ થાય છે. કારણકે ક્યારેય પણ “હું સ્વયં અચેતન છું પરંતુ ચેતનાના યોગથી હું ચેતન બન્યો છું'' એવો અનુભવ, અથવા “અચેતન એવા મારામાં ચેતનાનો સમવાય છે' એવો અનુભવ થતો નથી. જેમ ઘડામાં પાણી છે. કુંડામાં દહી છે. ઘરમાં પુરુષ છે. ઇત્યાદિ પ્રયોગોમાં ભિન્નાધિકરણ-પણે અનુભવ થાય છે. તેવી રીતે મારામાં ચેતનાનો સમવાય છે. અથવા મારામાં ચેતના છે. એવો ભિન્નાધિકરણપણે અનુભવ કોઇને પણ ચારે પણ થયો નથી અને થતો નથી. પરંતુ ‘‘જ્ઞાતા અન્નપ્’'હું પોતે જ્ઞાતા છું. હું પોતે સ્વયં ચૈતન્યાત્મક છું. એમ સમાનાધિકરણપણે જ અનુભવ થાય છે. સમાનાધિકરણપણે થતો આ અનુભવ જ કથંચિદ્ અભેદ અર્થાત્ તાદાત્મ્યસંબંધ સિદ્ધ કરે છે. નૈયાયિક મેન્દ્રે તથાપ્રતીતિ:-આત્મા અને ચેતનાનો અત્યન્ત ભેદ માન્યે છતે પણ ‘“હું જ્ઞાતા છું' એવી પ્રતીતિ થાય છે. એમ અમે કહીશું. અર્થાત્ આત્મા અને ચેતનામાં અત્યન્ત વાસ્તવિક ભેદ છે જ, પરંતુ ક્યારેક અભેદપ્રતીતિ પણ થઇ જાય છે. જેમકે શરીર અને આત્માથી વસ્ત્ર ભિન્ન હોવા છતાં પણ વસ્ત્ર બળતે છતે “હું બળ્યો, હું બળ્યો'' એવી અભેદપ્રતીતિ થાય છે. તેમ અહીં અભેદ છે નહીં, પણ અભેદમય પ્રતીતિ થાય છે. જૈન− હૈ નૈયાયિક ! તમારી આ વાત સત્ય નથી. કથંચિદ્ તાદાત્મ્ય (અભેદ)ના અભાવમાં સમાનાધિકરણપણાનો તે અનુભવ સંસારમાં કાંય દેખાતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy