SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા ભાગજૈનતર્દ તો મર્દ સુઘી, મધું સુઘી ઇત્યાદિ વાક્ય-પ્રયોગોમાં આવતા મતુબર્થવાળા રૂર્ પ્રત્યય દ્વારા તાધારતે સુખ-દુઃખ, આનંદ અને ગ્લાનિ વગેરે ભાવોના આધારવાળાપણું એવું આત્માનું રૂપ છે એમ પણ (હવે ડાહ્યા થઇને) આપ જાણીને ! શાસ્ત્રોમાં જ (નીચે જણાવાતા શ્લોકો દ્વારા) કહ્યું છે કે ચેત્યાનં અનુભવમાં આવતા એવા સુખ-દુઃખ-આનંદાદિ ગુણો (ગુણો હોવાથી) સ્વતંત્રપણે અનુભવાતા નથી. તેથી મનુઅર્થવાળા રૂર્ વગેરે પ્રત્યયોનું તેમાં અનુસરણ હોવાથી તે ગુણોવાળા એવા આત્માનું ગ્રહણ આપોઆપ સિદ્ધ થાય છે. આ ઘટ છે” ઇત્યાદિ ચાક્ષુષ જ્ઞાનની જેમ “આ સુખ છે” એવું જ્ઞાન ભલે ચાક્ષુષાદિ બાધેન્દ્રિયજન્ય દેખાતું નથી. તો પણ “હું સુખી છું” એવું માનસપ્રત્યક્ષ (મધુપ્રત્યયના અર્થથી યુક્ત) જે જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્મતત્ત્વને પ્રકાશ કરનારું (જણાવનારું) છે. આ પ્રમાણે ટીકાકારશ્રીએ વિસ્તૃત ચર્ચા કરવા દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી આત્માની સિદ્ધિ કરી. અત્યાર સુધી ચાર્વાકની સામે આત્માની સિદ્ધિ કરી. ચાર્વાક કેવળ એકલું પ્રત્યક્ષ પ્રમાણ જ માનતો હોવાથી પ્રત્યક્ષ પ્રમાણથી આત્માની સિદ્ધિ કરી. હવે બૌદ્ધાદિ અન્ય દર્શનકારો અનુમાનાદિ પ્રમાણોને પણ માને છે. તેથી તેઓની સામે અનુમાનાદિથી આત્માની સિદ્ધિ સમજાવે છે. ___ अनुमानतोऽप्यात्मा प्रसिध्यत्येव, तथाहि-चैतन्यं तन्वादिविलक्षणाश्रयाश्रितम् , तत्र बाधकोपपत्तौ सत्यां कार्यत्वान्यथानुपपत्तेः । न तावदयं हेतुर्विशेष्यासिद्धः, कटकूटपटज्ञानादिविचित्रपरिणामपरम्पराया: कादाचित्कत्वेन पटादिवत् तत्र कार्यत्वप्रसिद्धेः । नापि विशेषणासिद्धः, न शरीरेन्द्रियविषयाश्चैतन्यधर्माण: रूपादिमत्त्वाद् भौतिकत्वाद् वा घटवत्, इत्यनेन तत्र तस्य बाधनात् । नाप्ययं व्यभिचारी विरुद्धो वा, तन्वादिलक्षणाश्रयाश्रितत्वाद् विपक्षात् तन्वादिवर्तिनो रूपादेः शरीरत्वसामान्याद् वा सविशेषणकार्यत्वहेतोरत्यन्तं व्यावृत्तत्वात् । इत्यनुमानतोऽपि आत्मा प्रासिध्यत् । અનુમાન પ્રમાણથી પણ આત્મા સારી રીતે સિદ્ધ થાય છે જ. તે આ પ્રમાણેચૈતન્ય એ શરીરાદિ (શરીર-ઇન્દ્રિય અને વિષય આ) ત્રણે પદાર્થોથી વિલક્ષણ એવા કોઈ અન્ય આશ્રયમાં (આત્મામાં) આશ્રિત (રહેનાર) છે. કારણકે ત્યાં (શરીરાદિ એ જ ચૈતન્યનો આશ્રય છે. એમ માનવામાં) બાધકતા આવતે છતે અન્યથા (એટલે આત્મા માન્યા વિના) ચૈતન્યમાં કાર્યવ જ સંભવતું નથી. સંસ્કૃતભાષાની નીતિ-રીતિ મુજબ અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે- ચૈતન્યમ્ (પક્ષ), તન્યાલિવિત્નક્ષUત્માશ્રયાશ્રિતમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy