SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ ૨૩૧ તેમ અહંપ્રત્યય પણ થાય છે. સ્થૂલાદિ બોધ જેમ શરીરવિષયક છે. તેની જેમ સુખી દુઃખીનો અહંપ્રત્યય પણ માત્ર શરીરવિષયક જ હોઈ શકે છે. તથા હું સ્કૂલ છું હું કૃશ છું ઇત્યાદિ જે બોધ થાય છે. તે આત્માના આલંબને થતો નથી (પરંતુ શરીરવિષયક જ થાય છે.) કારણકે તે આત્મા તો અમૂર્ત હોવાથી સ્થૂલતા-કૃશતાનો આધાર જ નથી. તેથી જેમ શરીરવિષયક સ્થૂલતાદિનો અનુભવ થાય છે. તેમજ અહંપ્રત્યયનો અનુભવ પણ શરીરવિષયક જ હો. આ રીતે આ અહંપ્રત્યયના બોધ માત્રથી આત્માની સિદ્ધિ થતી નથી. જૈન–હે ચાર્વાક ! તારી આ વાત સાચી નથી. અત્યારે ઘરમાં ઉદરોનો સમૂહ છે એટલે શું ઘરને બાળી નખાય છે ? અર્થાત્ જે ઉપદ્રવકારી ઉદરોનો સમૂહ છે તેને દૂર કરાય, પરંતુ મૂલાધારભૂત ઘર કંઈ બાળી નખાતું નથી. તેમ જે મિથ્યાજ્ઞાન હોય તેને દૂર કરાય, પરંતુ જ્ઞાનના મૂલાધારભૂત આત્માને ઉડાડી દેવાતો નથી. એક દોષિત હોય એટલે બીજાને પણ દોષિત માનવું આ ઉચિત નથી. જેમકે “આ સ્ફટિક નીલ છે” આ જ્ઞાન (મિથ્યા છે) સત્ય નથી. એટલા માત્રથી “આ સ્ફટિક શુક્લ છે” આ જ્ઞાન પણ સત્ય ન હોય. એવું બનતું નથી. “હું સ્કૂલ છું” આવા પ્રકારનું જે આ જ્ઞાન પ્રવર્તે છે. તે પણ “હું સ્કૂલ શરીરવાળો છું” એવા પ્રકારના શરીરાત્મક ઉપાધિવાળાપણે પ્રગટ થતું છતું આત્માના આલંબને જ કરવામાં આવે તો સત્ય જ છે. એટલે કે શરીર સ્કૂલ છે. અને તે સ્થૂલ શરીરવાળો હું (આત્મા) છું એમ શરીર અને આત્માનો ભેદ કરીને સ્થૂલતા શરીરમાં, અને શરીરવાળાપણું આત્મામાં એમ ભેદપૂર્વક જો બોધ કરવામાં આવે તો તેમાં કશું જ ખોટું નથી. સાચું જ છે. પરંતુ શરીર અને આત્મા વચ્ચેના ભેદનો અપલાપ કરીને શરીર એ જ આત્મા, અને તેમાંજ સ્થૂલતા એવું જ્ઞાન જો ઉત્પન્ન કરવામાં આવે તો તે જ્ઞાન ભ્રાન્ત જ છે. જેમ નીલ સ્ફટિક છે, આ જ્ઞાન ભ્રાત છે. તેમ શરીર અને તદ્વાન આત્માનો અભેદ કરી ધૂનોટ્ટ=એવું કરાતું જ્ઞાન મિથ્યા છે. અને આ જ જ્ઞાન ભેદપૂર્વક પણ થઈ શકે છે કે “મારું શરીર સ્કૂલ છે. મારું શરીર કૃશ છે” અહીં સ્થૂલતા અને કૃશતા શરીરમાં જ જણાય છે. અને “મારું” શબ્દથી શરીરવાન એવો આત્મા પદાર્થ શરીરથી ભિન્ન છે એવો સ્પષ્ટ બોધ થાય જ છે. તેથી સ્થૂલતાદિનો બોધ જો અભેદપણે કરાય તો દોષિત છે. અને ભેદપણે કરાય તો નિર્દોષ છે. આ રીતે સ્થૂલતાદિ ધર્મો શરીરમાં જણાવે છતે તે શરીરવાળાની (આત્માની) સિદ્ધિ થાય છે. ननु मदीय आत्मेत्येषापि प्रतिपत्तिरस्ति, न च मच्छब्दवाच्यमात्मान्तरमत्राभ्युपगतं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy