SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૬-૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ આ પ્રમાણે ઉપાદેય એવા કુંકુમ, કામિની અને કર્પરાદિ પદાર્થો પ્રત્યે ગ્રહણ બુદ્ધિ થવી, હેય એવા હિમ, મકર અને અંગારાદિ પદાર્થો પ્રત્યે પરિત્યાગ બુદ્ધિ થવી, અને પ્રયોજન-અપ્રયોજનના અપ્રસાધક હોવાથી ઉપાદાન અને હાનની બુદ્ધિને માટે જે અયોગ્ય છે એવા જીર્ણ તૃણાદિ પ્રત્યે ઉપેક્ષાબુદ્ધિ થવી એ સર્વ શેષ પ્રમાણોનું પારંપરિક ફળ છે. પારમાર્થિક વિકલ પ્રત્યક્ષ (અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન), સાંવ્યવહારિક પ્રત્યક્ષ (મતિ-શ્રુત), અને પરોક્ષ (મૃત્યાદિ) એમ શેષ સર્વ પ્રમાણોનું આ પારંપરિક ફળ છે. જેમકેચક્ષુથી જ્ઞાન થયું કે આ રજ્જુ છે. તો તેને લેવાની બુદ્ધિ થાય છે. અને આ સર્પ છે એવું જો જ્ઞાન થાય તો તેને છોડીને ભાગવાની બુદ્ધિ થાય છે. અને આ બીનજરૂરી કોઈ ચીજ પડી છે. એવું જ્ઞાન થાય તો તેને લેવાની કે તજવાની બુદ્ધિ થતી નથી. પરંતુ ઉપેક્ષા કરવાની બુદ્ધિ થાય છે. આ જ, જ્ઞાનનું પારંપરિક ફળ છે. વસ્તુતત્ત્વને જાણવું એ અનંતરફળ, અને ઉપાદાનાદિની જે બુદ્ધિ થવી તે પારંપરિક ફળ જાણવું. ૬-પી प्रमाणात् फलस्य भेदाभेदैकान्तवादिनो यौगसौगतान्निराकर्तुं स्वमतं च व्यवस्थापयितुं प्रमाणयन्ति तत्प्रमाणतः स्याद् भिन्नमभिन्नं च प्रमाणफलत्वान्यथानुपपत्तेः ટા–તનિતિ પ્રવૃત્તિ નં પરામૃત્ત ૬-૬ | “પ્રમાણ અને પ્રમાણનું ફળ” આ બન્ને પરસ્પર ભિન્ન છે કે અભિન્ન છે ? આ બાબતમાં પ્રમાણથી પ્રમાણના ફળનો એકાન્ત ભેદ માનનારા યોગદર્શનકારોનું (નૈયાયિકવૈશેષિકોનું) તથા એકાન્ત અભેદ માનનારા બૌદ્ધોનું નિરાકરણ (ખંડન) કરવા માટે અને સ્યાદ્ ભિન્નભિન્ન રૂપ સ્વમતનું (જૈનમતનું) સ્થાપન કરવા માટે પ્રમાણથી પ્રમાણનું ફળ ભિન્નભિન્ન છે. એમ જણાવે છે. સૂત્રાર્થ- અનંતર અને પરંપર એવું બે પ્રકારનું તે ફળ પ્રમાણથી કથંચિત ભિન્ન પણ છે. અને કથંચિત્ અભિન્ન પણ છે. અન્યથા (એટલે જો એમ ન માનીએ તો) પ્રમાણના ફળમાં “પ્રમાણના ફળપણું” ઘટી શકે જ નહીં / ૬-૬ાા ટીકાર્થ– મૂલસૂત્રમાં કહેલા “ત” શબ્દથી હમણાં જેનો પ્રસંગ ચાલે છે. તે પ્રસ્તુત એવું પ્રમાણ-ફળ સમજાય છે. અર્થાત્ તે પ્રમાણ-ફળ પ્રમાણથી કથંચિત્ ભિન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy