SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ પરિચ્છેદ-૭ : સૂત્ર-૪૬-૪૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ આ પ્રમાણે છે કે નૈગમાદિ પ્રથમના ચાર નયો પદાર્થના નામને (એટલે કે શબ્દને) પકડવાનો અતિશય આગ્રહ રાખતા નથી. પરંતુ વસ્તુનું ઉપચરિત (આરોપિત) સ્વરૂપ અર્થાત્ વિશેષણ-વિશેષ્યની ગૌણ-મુખ્યતાવાળું સ્વરૂપ તથા એકીકરણની પ્રધાનતા વાળું સ્વરૂપ અને પૃથક્કરણની પ્રધાનતાવાળું સ્વરૂપ તથા વર્તમાનકાળની અને તે પણ સ્વકીયતાની પ્રધાનતાવાળું સ્વરૂપ પ્રધાન કરે છે. આ રીતે અર્થની પ્રધાનતા હોવાથી અર્થનય કહેવાય છે. અને શાબ્દિક લિંગ-વચનની, શબ્દોની વ્યુત્પત્તિની તથા શબ્દથી જણાતી ક્રિયાની પ્રધાનતા કરીને તેને અનુસારે પોતાના વાચ્ય અર્થને વિષયરૂપે કરે છે. તેથી તે ત્રણ શબ્દની પ્રધાનતાવાળા હોવાથી શબ્દનય છે. સારાંશ કે પ્રથમના ચાર નયો શબ્દને ગૌણ કરે છે. અને અર્થને પ્રધાન કરે છે. તેથી પ્રથમના ચાર નયો તે અર્થ નય છે. અને પાછળના ત્રણ નયો (શબ્દ-સમભિરૂઢ અને એવંભૂતનય). શાબ્દિક લિંગ-વચન-જન્યભેદ, શાબ્દિક વ્યુત્પત્તિજન્યભેદ અને શાબ્દિક ક્રિયા પરિણત અર્થ જન્ય ભેદને જ વધારે મહત્ત્વ આપે છે તેથી તે સર્વે શબ્દની પ્રધાનતાવાળા હોવાથી શબ્દનય છે. ૭-૪૪-૪૫ા कः पुनरत्र बहुविषयः, को वाऽल्पविषयो नय इति विवेचयन्ति - पूर्वः पूर्वो नय: प्रचूरगोचरः, परः परस्तु परिमितविषयः ॥ ७-४६ ॥ तत्र नैगमसंग्रहयोस्तावन्न संग्रहो बहुविषयो नैगमात् परः, किं तर्हि, नैगम एव संग्रहात् पूर्व इत्याहुः - सन्मात्रगोचरात् संग्रहान्नैगमो भावाभावभूमिकत्वाद् भूम વિષય: ૭-૪૭૫ આ સાત નયોમાં કયો કયો નય બહુ-વિષયવાળો છે. એટલે કે ઘણા વિશાળ અર્થને ગ્રહણ કરવાવાળો છે. અને કર્યો કર્યો નય અલ્પ વિષયવાળો=થોડા અર્થને ગ્રહણ કરવાવાળો છે. તે હવે સમજાવે છે. સૂત્રાર્થ- પહેલાં પહેલાંનો નય પ્રચૂર વિષયવાળો છે અને પછી પછીનો નય (તે તે પૂર્વના નય કરતાં) પરિમિત વિષયવાળો છે. II ૦-૪૬॥ “સત્તા'' માત્રને જણાવનારા સંગ્રહનય કરતાં ભાવ અને અભાવને (એટલે કે સત્તા અને અસત્તા) એમ બન્ને વિષયને સમજાવનારો નૈગમનય વિશાળ વિષયવાળો છે. II -૪૭॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy