SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ-૭ : સૂત્ર-૩૬-૩૭ સૂત્રાર્થ- પર્યાયવાચી શબ્દોમાં વ્યુત્પત્તિના ભેદથી ભિન્ન-ભિન્ન અર્થને સ્વીકારતો જે નય તે સમભિરૂઢ નય. જેમ (૧) ઐશ્વર્યવાળો હોવાથી ઇન્દ્ર, (ર) શક્તિમાન હોવાથી શક્ર, (૩) (શત્રુના) નગરનું વિદારણ કરનાર હોવાથી પુરન્દર કહેવાય છે. II -૩૬-૩|| રત્નાકરાવતારિકા ભાગ-૩ टीका - शब्दनयो हि पर्यायभेदेऽप्यर्थाभेदमभिप्रैति, समभिरूढस्तु पर्यायभेदे भिन्नानर्थानभिमन्यते, अभेदं त्वर्थगतं पर्यायशब्दानामुपेक्षत इति ॥७-३६ ॥ ૧૮૯ इत्यादिषु पर्यायशब्देषु यथा निरुक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन्नभिप्रायविशेषः समभिरूढस्तथाऽन्येष्वपि घटकुटकुम्भादिषु द्रष्टव्यः ૫૭-૨૭૫ વિવેચન– શબ્દનય કાળભેદે, કારકભેદે, લિંગભેદે, સંખ્યાભેદે, પુરુષભેદે અને ઉપસર્ગભેદે જેવો ભેદ માને છે. તેવો પર્યાયવાચી શબ્દોમાં પર્યાય ભેદ હોવા છતાં પણ અર્થનો ભેદ હોય એવું આ નય નથી કહેતો. અર્થાત્ પર્યાયવાચી શબ્દોમાં પર્યાયભેદ હોવા છતાં પણ અર્થનો અભેદ શબ્દનય સ્વીકારે છે. તેનો સમભિરૂઢ નય નિષેધ કરે છે. સમભિરૂઢ નયનું કહેવું છે કે જો કાલાદિ ભેદે શબ્દોમાં અર્થભેદ હોય છે. એવું હે શબ્દનય ! જો તું માને છે. તો પર્યાય ભેદે પણ શબ્દોમાં ભિન્ન અર્થ હોય છે. એમ પણ તારે માનવું જોઇએ. આ નય પર્યાયવાચી શબ્દોમાં અર્થસંબંધી અભેદની ઉપેક્ષા કરે છે. અર્થસંબંધી ભેદની પ્રધાનતા અને અભેદની ગૌણતા કરનારો આ નય હોવાથી સુનય કહેવાય છે. જેમકે દેવોના રાજાને ઇન્દ્ર કહેવાય છે. તે ઇન્દ્રના ફન્દ્ર, શ અને પુરન્તર વગેરે પર્યાયવાચી શબ્દો છે. તે પર્યાયવાચી શબ્દોમાં આ નય વ્યુત્પત્તિ ભેદથી દરેક શબ્દોનો અર્થ જાદો જુદો કરે છે. જેમકે ઐશ્વર્યવાળા હોવાથી તે ઇંદ્ર છે. ઘણી શક્તિવાળા હોવાથી તે શક્ર છે. શત્રુના નગરનું વિદારણ કરનાર હોવાથી તે પુરંદર છે. ઇત્યાદિ રીતે પ્રત્યેક પર્યાયવાચી શબ્દોમાં ધાતુ અને પ્રત્યયની વ્યુત્પત્તિ પ્રમાણે ભિન્ન-ભિન્ન અર્થ કરે છે. નૃત્પાતીતિ નૃપ:, મુવં પાતીતિ ધૂપઃ અને રાખતે કૃતિ રાનામનુષ્યોનું રક્ષણ કરે તે નૃપ, પૃથ્વીનું રક્ષણ કરે તે ભૂપ, અને રાજચિહ્નોથી શરીરને શોભાવે તે રાજા. આ પ્રમાણે વ્યુત્પત્તિ ભેદે અર્થભેદ કરનારો જે આશયવિશેષ તે સમભિરૂઢ નય છે. [૭-૩૬-૩૭॥ एतदाभासमाभाषन्ते સમભિરૂઢ નયાભાસ સમજાવે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy