SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૩૨-૩૩ ૧૮૫ टीका-कालादिभेदेन कालकारकलिङ्गसङ्ख्यापुरुषोपसर्गभेदेन ॥७-३२॥ अत्रातीतवर्तमानभविष्यल्लक्षणकालत्रयभेदयात् कनकाचलस्य भेदं शब्दनयः प्रतिपद्यते । द्रव्यरूपतया पुनरभेदममुष्योपेक्षते । एतच्च कालभेदे उदाहरणम् । करोति क्रियते कुम्भ इति कारकभेदे, तटस्तटी तटमिति लिङ्गभेदे, दारा: कलत्रमित्यादि सङ्ख्याभेदे, एहि मन्ये, रथेन यास्यसि, न हि यास्यसि, यातस्ते पितेति पुरुषभेदे, सन्तिष्ठते अवितष्ठत इत्युपसर्गभेदे ॥७-३३॥ વિવેચન- ઋજુસૂત્ર નય તથા ઋજુસૂત્રનયાભાસ સમજાવીને હવે “શબ્દનય” સમજાવાય છે. એકના એક શબ્દનો કાલાદિના ભેદથી જે નય અર્થભેદ સ્વીકારે તે નય શબ્દનય કહેવાય છે. “ક્ષત્રિાદ્ધિ''માં કાલ શબ્દનો તો ઉલ્લેખ છે જ. પરંતુ માઃિ શબ્દથી વાર, ત્નિ, સંસ્થા, પુરુષ અને ૩પક્ષ દ્વારા પણ એક જ શબ્દના અર્થભેદો થાય છે તે આ નય માને છે તે દરેકના ક્રમશઃ ઉદાહરણો આ પ્રમાણે છે. (૧) અતીત, વર્તમાન અને ભવિષ્યકાળ એમ ત્રણ પ્રકારના કાળના ભેદથી સુમેરુ (એટલે મહાવિદેહ ક્ષેત્રવર્તી કનકાચલ પર્વત અર્થાત્ મેરુપર્વત)નો પણ ભેદ છે એમ આ શબ્દનય સ્વીકારે છે. અને મનુષ્ય આ જ મેરૂપર્વતનો “વ્યરૂપ''પણા વડે જે અભેદ છે એ અભેદની આ નય ઉપેક્ષા કરે છે. ભાવાર્થ એવો છે કે ભૂતકાળમાં જે મેરૂપર્વત હતો અને વર્તમાનકાળમાં જે મેરૂપર્વત છે અને ભાવિમાં જે મેરૂપર્વત હશે તે ત્રણે મેરૂપર્વત કાળના ભેદથી ભિન્ન-ભિન્ન છે. જો કે દ્રવ્ય તરફ દૃષ્ટિ રાખીએ તો મેરૂપર્વત તેનો તે જ દેખાય છે. એટલે ત્રણે કાળના મેરૂનો અભેદ (એકત્વ) છે. છતાં ભૂતકાળમાં આ મેરૂપર્વત જે જે પુદ્ગલ સ્કંધોનો બનેલ હતો, તે પુગલ સ્કંધો વર્તમાનમાં નથી. કારણ કે પૂરણ-ગલન થવાનો પુગલાસ્તિકાયનો સ્વભાવ જ છે. તેવી જ રીતે વર્તમાનકાળમાં આ મેરૂપર્વત જે પુદ્ગલ સ્કંધોનો છે. તે ભાવિમાં નથી જ રહેવાનો. કારણકે પુગલ સ્કંધો બદલાવાના જ છે. તેથી કાલભેદે પુદ્ગલ સ્કંધો બદલાતા હોવાથી ત્રણે કાળે મેરૂપર્વત ભિન્ન-ભિન્ન છે. એવી જે દૃષ્ટિ તે આ શબ્દનયની છે. આ કાલભેદે અર્થભેદનું ઉદાહરણ થયું. ૧. હવે કારક ભેદે અર્થ ભેદનું ઉદાહરણ આ પ્રમાણે છે- મુશ્મ: કવિ, અને કુમ: દિયતે આવા પ્રકારનાં બે વાક્યો છે. પ્રથમ પ્રયોગ કર્તરિ કારક છે. અને બીજો પ્રયોગ કર્મણિ કારક છે. પ્રથમ પ્રયોગમાં “કુંભ જલાધારાદિ અર્થક્રિયાને કરે છે.” એવો અર્થ છે. અને બીજા પ્રયોગમાં કુંભકાર વડે કુંભ કરાય છે. એવો અર્થ છે. બન્ને પ્રયોગોમાં “કુંભ” પદ એક જ છે અને એકસરખું સમાન ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy