SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ-૭ : સૂત્ર-૧૩-૧૪ રત્નાકરાવતારિકા ભાગ-૩ સૂત્રાર્થ- ત્યાં પરસંગ્રહ સમજાવે છે કે-સર્વવિશેષોમાં ઉદાસીનતા રાખનારો અને શુદ્ધ એવું દ્રવ્ય સત્તામાત્ર રૂપ છે એવું સ્વીકારનારો જે અભિપ્રાય વિશેષ તે “પરસંગ્રહ'' નય કહેવાય છે. જેમકે “આ સમસ્ત વિશ્વ એકરૂપ છે'' કારણ કે “સત્'' પણે બધું જ સમાન છે માટે. આ વી માન્યતા તે પરસંગ્રહનય. ૧૭૪ પરસંગ્રહાભાસ કોને કહેવાય તે સમજાવે છે કે “સત્તા જ માત્ર છે'' બીજું કંઇ જ નથી, એવો સત્તા અદ્વૈતને સ્વીકારનારો અને સક્તવિશેષોનો અપલાપ કરનારો જે આશયવિશેષ તે પરસંગ્રહનયાભાસ. જેમકે “સત્તા” એ જ યથાર્થ તત્ત્વ છે, સત્તાથી પૃથભૂત એવા વિશેષો આ સંસારમાં દેખાતા ન હોવાથી. II -૧૫, ૧૬, ૧૦, ૧૮ll ટીા—પરામર્શ કૃત્યવ્રતનેપિ યોનનીયમ્ ।।૭-૨ अस्मिन् उक्ते हि सदितिज्ञानाभिधानानुवृत्तिलिङ्गानुमितसत्ताकत्वेनैकत्वमશેષાર્થાનાં સંવૃદ્ઘતે ॥૭-૨૬૫ अशेषविशेषेष्वौदासीन्यं भजमानो हि परामर्शविशेषैः परसंग्रहाख्यां लभते, न चायं तथेति तदाभासः ૫૭-૨૭૫ अद्वैतवादिदर्शनान्यखिलानि सांख्यदर्शनं चैतदाभासत्वेन प्रत्येयम् । अद्वैतवादस्य सर्वस्यापि दृष्टेष्टाभ्यां विरुद्ध्यमानत्वात् ॥७-१८ ॥ વિવેચન— “પરામર્શ” એવો શબ્દ આ સૂત્રમાં તથા આગળના સૂત્રોમાં પણ જોડવો. ઉપરના સૂત્રોમાંથી અનુવૃત્તિરૂપે લઇ આવવો. તેથી આવો અર્થ થાય છે કે— જગતના ઘટ-પટ-પશુ-પક્ષી-માનવ-કંચન-કટક-કેયૂર-પત્થર આદિ સઘળા પદાર્થો સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક ધર્મવાળા છે. કારણ કે ઉપરોક્ત, ઘટ, પટ, પશુ આદિ સઘળા પદાર્થો તે તે રૂપે વિશેષ છે. ઘટનું જલાધારાદિ જે સ્વરૂપ છે તે પટમાં નથી. અને પટમાં શરીરાચ્છાદનાદિ જે સ્વરૂપ છે તે ઘટમાં નથી. તેથી સર્વે પદાર્થો પોતપોતાના પ્રતિનિયત સ્વરૂપથી વિશેષ છે. છતાં તે જ સઘળા પદાર્થો “સત્’પણે (અસ્તિસ્વરૂપે-હોવાપણે) સમાન પણ છે. આ રીતે જગત્ના પદાર્થો ઉભયાત્મક હોવા છતાં પણ જ્યારે સામાન્યપણે જાણવાનું પ્રયોજન હોય અને તેના કારણે “સર્વ વિશ્વ સત્ રૂપે એક છે” કારણકે સર્વે પદાર્થોમાં સત્ પણે કોઇ વિશેષતા નથી આવું જાણવું તે, અર્થાત્ આવા અભિપ્રાયવાળો જે આશયવિશેષ તે પરસંગ્રહનય કહેવાય છે. આ ત્ છે આ સત્ છે. એવું જ્ઞાન સર્વ પદાર્થોમાં પ્રવર્તે છે. તથા એવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy