SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૧૧-૧૨ ૧૭૧ टीका-आदिशब्दाद् धर्मिद्वय-धर्मधर्मिद्वययोः परिग्रहः । ऐकान्तिकपार्थक्याभिसन्धिरैकान्तिकभेदाभिप्रायो नैगमदुर्नय इत्यर्थः ॥७-११॥ आदिशब्दाद् वस्त्वाख्यपर्यायवद्रव्याख्ययो धर्मिणोः सुखजीवलक्षणयोधर्मधर्मिणोश्च सर्वथा पार्थक्येन कथनं तदाभासत्वेन द्रष्टव्यम् । नैयायिकवैशेषिकदर्शनं चैतदाभासतया ज्ञेयम् ॥७-१२॥ વિવેચન- બે ધર્મોમાં, બે ધર્મોમાં, અને ધર્મ-ધર્મીમાં એકની ગૌણતા અને એકની પ્રધાનતા એ પ્રમાણે સાપેક્ષ એવો વક્તાનો જે અભિપ્રાય તે નૈગમનય કહેવાય છે. પરંતુ આ જ સ્થાનોમાં નિરપેક્ષ અર્થાત્ એકાન્ત ભિન્નતાવાળો વક્તાન જે અભિપ્રાય તે નૈગમનયાભાસ કહેવાય છે. બે ધર્મોમાં એકાન્ત ભેટવાળો જે અભિપ્રાય તે જેમ નૈગમ નયાભાસ કહેવાય છે. તેમ મૂલસૂત્રમાં કહેલા મરિ શબ્દથી બે ધર્મોમાં અને ધર્મ-ધર્મીમાં પણ આવો જ એકાન્તભેદયુક્ત જે અભિપ્રાય તે નૈગમ નયાભાસ કહેવાય છે એમ સમજી લેવું. સારાંશ કે એકાન્તપૃથકતા વાળો જે અભિપ્રાય=એકાત્ત ભેદ યુક્ત જે આશયવિશેષ તે નિગમ નયાભાસ અર્થાત્ નિગમ નામનો દુર્નય છે. જેમકે “આ આત્મામાં સત્ત્વ અને ચૈતન્ય છે. અહીં “સત્ત્વ અને ચૈતન્ય” એમ બન્નેને ભિન્ન લેવાથી સત્ત્વ એ ચૈતન્યનું વિશેષણ થતું નથી. અને ચૈતન્ય એ સત્ત્વનું વિશેષ્ય થતું નથી. બન્ને પદો સ્વતંત્ર રહે છે. તેથી ગૌણ-મુખ્યતા થતી નથી. તથા બન્ને ધર્મો સર્વથા પૃથર્ લેવાથી ચૈતન્ય પણ સથી ભિન્ન અર્થાત્ અસરૂપ બની જાય છે. અને “સત્ત' પણ ચૈતન્યથી ભિન્ન અર્થાત જડ સ્વરૂપ બની જાય છે. આવો એ કાનત ભેદનો જે આગ્રહ તે નિગમનયાભાસ (ખોટો નૈગમનય-દુર્નય) કહેવાય છે. આવી જ રીતે બારમા મૂલસૂત્રમાં કહેલા આદિ શબ્દથી વસ્તુ નામનો ધર્મી પદાર્થ અને “પર્યાયવાળું દ્રવ્ય” એ નામનો ધમ પદાર્થ એમ બન્ને ધમ પદાથોમાં, તથા “સુa” ગુણરૂપ ધર્મ અને નવ નામના ધર્મમાં, અર્થાત્ સુખ અને જીવ લક્ષણરૂપ ધર્મ તથા ધમમાં, અત્યન્ત પૃથપણાના ભાવે જે કથન કરવું તે પણ નૈગમ નયાભાસ તરીકે જાણવું. છ દર્શનોમાં જે. નિયાયિક દર્શન તથા વૈશેષિકદર્શન છે. તે આ નૈગમ નયાભાસ તરીકે જાણવાં. કારણ કે તે દર્શનકારો ગુણ અને ગુણીનો, ધર્મ અને ધર્મીનો, સત્તા-સામાન્ય અને ચૈતન્યાદિ-ગુણોનો સર્વથા ભેદ જ માને છે. એકાન્ત ભેદ માનવાથી ગુણ-ગુણીભાવનો ઉચ્છેદ આદિ થાય છે. તે દોષોના નિવારણ માટે તેઓ ત્યાં “સમવાય સંબંધ” કહ્યું છે. તે કલ્પના પણ અનવસ્થા દોષથી ભરેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy