SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૨ થી ૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ ઉત્તર- ગુણનો પર્યાયમાં જ સમાવેશ થતો હોવાથી પર્યાયાર્થિક નય વડે જ તે ગુણાર્થિકનયનું ગ્રહણ થઈ જાય છે. કારણકે દ્રવ્યની અંદર રહેલા પર્યાયો બે પ્રકારના હોય છે. એક ક્રમભાવી અને બીજા સહભાવી. ત્યાં જે સહભાવી પર્યાય છે તેને જ ગુણ કહેવાય છે. જેમકે આત્મદ્રવ્યની દેવ-માનવ-નરક-તિર્યંચાદિ-ક્રમભાવી અવસ્થાઓ તે પર્યાય છે. અને જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય આદિ આત્માના જે સહભાવી ધર્મો છે. તે ગુણાત્મક પર્યાયો કહેવાય છે. અહીં “પર્યાયાર્થિકનય” શબ્દમાં વપરાયેલ પર્યાય શબ્દ વડે ક્રમભાવી પર્યાયો અને સહભાવી એવા ગુણાત્મક પર્યાયો, એમ બન્ને જાતના પર્યાયોનું ગ્રહણ થાય છે. આ રીતે સ્વ-વ્યક્તિવ્યાપી=પોતાના (ગુણ-પર્યાયના) આધારભૂત મૂલદ્રવ્ય-સ્વરૂપ વ્યક્તિમાં વ્યાપકપણે વર્તનારા એવા “પયામાચી” સામાન્ય (ઉભયપ્રકારવાળા) પર્યાયનું અહીં અભિધાન કરેલ હોવાથી ક્રમભાવી પર્યાયોની સાથે સહભાવી પર્યાયોનું પણ ગ્રહણ થઈ જવાથી કંઈ પણ દોષ આવતો નથી. માટે ગુણાર્થિક નામનો ત્રીજો નય નથી. પ્રશ્ન- જો “ગુણ” નામનો ત્રીજો સ્વતંત્ર પદાર્થ ન હોત તો “દ્રવ્ય-ગુણ અને પર્યાય એમ ત્રણ નામો કેમ બોલાય છે ? પૂ. યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજશ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ” આદિ ત્રણના નામવાળા ગ્રન્થો બનાવ્યા જ છે. ત્યાં ગુણનો પર્યાયથી ભિન્નપણે ઉલ્લેખ કરેલો જ છે. ઉત્તર- “ગુણ” એ ત્રીજો સ્વતંત્ર પદાર્થ નથી. દ્રવ્યના પર્યાય સ્વરૂપ જ છે. માત્ર વિવેક્ષાકૃત જ ભેદ છે. જેમ તૈયે ધારી પતિ તેલની ધારા પડે છે. મેષ વાં વિધતિ તે પવન વાદળની ઘટાને વિખેરે છે. ઇત્યાદિ વાક્યોમાં તેલ પોતે જ ધારારૂપ બને છે. મેઘ પોતે જ ઘટારૂપ બને છે. છતાં વિવક્ષા માત્ર વડે ષષ્ઠી દ્વારા ભેદ બતાવવામાં આવે છે. એવી જ રીતે ગુણ અને પર્યાયો એમ બન્ને પર્યાયો હોવા છતાં પણ સહભાવી અને ક્રમભાવી પણાના લક્ષણની વિવક્ષા માત્ર વડે ભેદની કલ્પના કરાય છે. પરમાર્થથી ભેદ નથી. ननु द्रव्यपर्यायव्यतिरिक्तौ सामान्यविशेषौ विद्येते ततस्तद्-गोचरमपरमपि नयद्वयं प्राप्नोतीति चेत् , नैतदनुपद्रवम्, द्रव्यपर्याभ्यां व्यतिरिक्तयोः सामान्यविशेषयोरप्रसिद्धेः, तथाहि-द्विप्रकारं सामान्यमुक्तम्-ऊर्ध्वतासामान्यं तिर्यक्सामान्यं च । तत्रोतासामान्य द्रव्यमेव, तिर्यक्सामान्यं तु प्रतिव्यक्तिसदृशपरिणामलक्षणं व्यञ्जन-पर्याय एव । स्थूला: कालान्तरस्थायिनः शब्दानां सङ्केतविषया व्यञ्जन-पर्याया इति प्रावचनिकप्रसिद्धेः। विशेषोऽपि वैसदृश्यविवर्तलक्षण: पर्याय एवान्तर्भवतीति नैताभ्यामधिकनयावकाशः ॥७-५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy