SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ પરિચ્છેદ ૬-૮૩ રત્નાકરાવતારિકા ભાગ-૩ આ જ અનુમાન પ્રયોગમાં સાધ્યધર્મ જે પરિણામી છે તેનો જ સાધ્યધમી એવા પક્ષમાં ઉલ્લેખ કરવો જોઈએ, તે જ સાચું નિગમન છે. આવું જ લક્ષણ તથા દૃષ્ટાના ત્રીજા પરિચ્છેદના સૂત્ર ૫૧-પરમાં આપ્યું છે. તેથી પરિપામી ગયે શબ્દ રૂતિ સિદ્ધમ્ એમ કહેવું જોઇએ. તેને બદલે તે અર્થ શબ્દ એમ બોલાઈ જાય તો સાધ્ય ધર્મને બદલે સાધનધર્મનો પક્ષમાં ઉલ્લેખ થવાથી નિગમનાભાસ થાય છે. તથા “તમત્ત પરિણામ શુધ્ધ તિ' આવું જો ભૂલથી બોલાઈ જાય તો પણ સાધ્યધર્મનો પક્ષને બદલે દૃષ્ટાન્તધમીમાં ઉલ્લેખ થવાથી નિગમનાભાસ થાય છે. આ પ્રમાણે પક્ષાભાસ, હેત્વાભાસ, દૃષ્ટાન્તાભાસ, અને નિગમનાભાસ સમજાવીને અનુમાનાભાસનું વર્ણન સમાપ્ત કર્યું. પક્ષ-હેતુ-દૃષ્ટાન્ત ઉપનય અને નિગમન આ પાંચ વસ્તુ ખોટી રીતે રજુ કરાય તો જેમ તે તે આભાસ કહેવાય છે. તેમ યથાર્થ રીતે રજા કરાય તો અથવા ખોટી રજા કરાયેલામાંથી દોષો દૂર કરાય તો પક્ષશુદ્ધિ, હેતુશુદ્ધિ, દૃષ્ટાન્તશુદ્ધિ, ઉપનયશુદ્ધિ અને નિગમનશુદ્ધિ એમ પાંચ પ્રકારની શુદ્ધિ પણ સમજવી. તે અવયવ પંચકની શુદ્ધિનો જો વિપરીત રીતે પ્રયોગ કરીએ તો શુદ્ધિના આભાસો પણ પાંચ થાય છે. તે સ્વયં સમજી લેવા. ૬-૮૨ા इत्थमनुमानाभासमभिधायागमाभासमाहुःअनाप्तवचनप्रभवं ज्ञानमागमाभासम् ॥६-८३॥ टीका-अभिधेयं वस्तु यथावस्थितं यो जानीते, यथाज्ञानं चाभिधत्ते स आप्त उक्तस्तद्विपरीतोऽनाप्तस्तद्वचनसमुत्थं ज्ञानमागमाभासं ज्ञेयम् ॥६-८३॥ આ પ્રમાણે અનુમાનાભાસને સવિસ્તરપણે કહીને હવે આગમાભાસ કોને કહેવાય ? તે સમજાવે છે કે સૂથાર્થ- અનાપ્તપુરુષોના વચનોથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન તે આગમાભાસ છે. I ૬-૮all વિવેચન- અનુમાનનાં જે જે અંગો છે તેના આભાસો સવિસ્તરપણે સમજાવીને હવે “આગમાભાસ” સમજાવે છે. ત્યાં ચોથા પરિચ્છેદના ચોથા સૂત્રમાં “માતા” કોને કહેવાય ? તે સમજાવ્યું છે. જે વસ્તુ જે રીતે સંસારમાં છે તે વસ્તુને તે રીતે જ જે જાણે છે. અને જેમ જાણે છે તેમજ જે કહે છે તે આપ્ત કહેવાય છે. તેનાથી જે વિપરીત છે. અર્થાત્ વસ્તુને જે યથાર્થપણે જાણતા નથી તે, તથા જે જાણે છે પરંતુ વિપરીતપણે કહે છે તે બન્ને જાતના પુરુષો “અનામ” છે. તેમનાં બોલાયેલાં તેવાં તેવાં અયથાર્થ અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy