SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ પરિચ્છેદ ૬-૬૬,૬૭,૬૮ રત્નાકરાવતારિકા ભાગ-૩ કારણકે પર પુરુષના ચિત્તમાં રહેલા વિકારો સાક્ષાત્ ચક્ષુર્ગોચરાદિ પ્રત્યક્ષનો વિષય નથી પરંતુ પરોક્ષ છે. તથા તે દેવદત્તમાં રાગાદિ છે જ એવું સિદ્ધ કરનારાં અવ્યભિચારી ચિહ્નો કોઈ દેખાતાં નથી. આ બે કારણોથી રાગાદિનું હોવાપણું અને ન હોવાપણું શંકાશીલ છે. પરંતુ વવતૃત્વ નામનો હેતુ ચક્ષુર્ગોચર તથા શ્રવણગોચર હોવાથી છે જ. આ પ્રમાણે આ દૃષ્ટાન્તમાં સાધ્યધર્મની માત્ર શંકા છે. તેથી તે સદિગ્ધસાધ્યધર્મા એવું ચોથા દૃષ્ટાન્તાભાસનું ઉદાહરણ જાણવું. . ૬-૬૩ (૫) ૩યં (પુરુષ), મUTથમ, રાતિમત્તાત્ મૈત્રવત્ આ ઉદાહરણમાં મૈત્રમાં મરણધર્મ નામનું સાધ્ય નિશ્ચિત જ છે. પરંતુ રાતિપર્વ નામનો સાધનધર્મ પરોક્ષ હોવાથી પરચિત્તવૃત્તિ જાણી શકાય તેમ ન હોવાથી અને રાગાદિને જણાવનારાં બાહ્ય કોઈ પ્રતિકો ન હોવાથી સંદેહાત્મક છે. આ સદિગ્ધસાધન ધર્મવાળું પાંચમું દૃષ્ટાન્તાભાસ છે. (૬) ગર્વ (પુરુષ), સર્વ ર, ક્વિાન્ વિશેષ અહીં ઉદાહરણ રૂપે મુકાયેલા “કોઈ મુનિવિશેષ” સર્વજ્ઞ અને સર્વદર્શી નથી. એમ જે કહ્યું તે સર્વજ્ઞત્વ કે સર્વદર્શિત્વ નામનું સાધ્ય તથા રાગાદિમત્ત્વ નામનો હેતુ આ બન્ને સાધ્ય-સાધન ધર્મો તે મુનિ વિશેષમાં શંકાશીલ છે. કારણકે જ્ઞાન-દર્શનાદિ ગુણો અને રાગ-દ્વેષાદિ દોષો પરોક્ષ છે. તથા તેને જણાવનારાં અવ્યભિચારી લિંગો જણાતાં નથી. તેથી આ સાધ્ય-સાધન એમ ઉભયના સંદેહવાળું સંદિગ્ધોભયધર્મા નામનું છઠું દૃષ્ટાન્નાભાસ જાણવું. // ૬-૬પી रागादिमान् विवक्षितः पुरुषो वक्तृत्वादिष्टपुरुषवदित्यनन्वयः।६-६६। अनित्यः शब्दः कृतकत्वात् पटवदित्यप्रदर्शितान्वयः ॥६-६७॥ अनित्यः शब्दः कृतकत्वात् , यदनित्यं तत् कृतकं घटवदिति विपरीतान्वयः ॥६-६८॥ સૂત્રાર્થ-વિવક્ષિત પુરુષ રાગાદિ દોષોવાળો છે. વક્તા છે માટે, ઇષ્ટ એવા અન્યપુરુષની જેમ. તથા શબ્દ એ અનિત્ય છે. કૃતક (કૃત્રિમ) છે માટે, પટની જેમ. તથા શબ્દ એ અનિત્ય છે. કૃત્રિમ હોવાથી. જે જે અનિત્ય હોય છે તે તે કુતક (કૃત્રિમ) હોય છે. જેમકે ઘટ, આ ત્રણે ઉદાહરણો અનુક્રમે અનન્વય, અપ્રદર્શિતાન્વય અને વિપરીતાન્વય સ્વરૂપે દૃષ્ટાન્નાભાસનાં ૭-૮-૯ એમ ત્રણ ઉદાહરણો જાણવાં. II ૬-૬૭, ૬૭, ૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy