SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ પરિચ્છેદ ૬-૬૨ રત્નાકરાવતારિકા ભાગ-૩ तस्यामेव प्रतिज्ञायां तस्मिन्नेव च हेतौ कलशदृष्टान्तस्य पौरुषेयत्वान्मूर्तत्वाच्च साध्यसाधनोभयधर्मविकलता ॥६-६२॥ હવે નવે પ્રકારના દૃષ્ટાન્નાભાસનાં ક્રમશઃ ઉદાહરણો આપે છે. (૧) : ગરુપેય: અમૂર્તસ્વીત્ દુઃર્વવત્ અહી અન્વય વ્યાપ્તિમાં જે જે અમૂર્ત હોય તે તે પુરુષવડે કરાયેલું ન હોય, જેમકે આકાશ. એમ આકાશનું ઉદાહરણ આપ્યું હોત તો દૃષ્ટાન્નાભાસ દોષ લાગત નહીં. પરંતુ અહીં દુઃખનું ઉદાહરણ આપેલું છે. દુઃખ એ કોઈને કોઈ પુરુષવડે કરાયેલું છે. મૂર્તાિ તરીકે પોતાના આત્માએ જ દુઃખપ્રાપ્તિનું પૂર્વભવોમાં કર્મ બાંધેલું છે. જેના ઉદયથી દુઃખ આવ્યું છે. તેથી સ્વકતૃક છે. અને વ્યવહારનયથી દુઃખ આપવામાં નિમિત્ત થનાર પરપુરુષ તરફથી આવેલા શસ્ત્રાદિથી દુઃખ આવેલું છે, તેથી પરકતૃક છે. પરંતુ અથવા પર એવા પુરુષવડે કરાયેલું હોવાથી પૌરુષેય છે. જો સ્વ અથવા પર એવા પુરુષના વ્યાપારનો અભાવ હોત તો દુઃખની જ અનુત્પત્તિ હોવાના કારણે દુઃખ એ પૌરુષેય છે. તેથી તે ઉદાહરણમાં “ગણેયત્વ' નામના સાધ્યની અવૃત્તિ હોવાથી આ દૃષ્ટાત સાધ્યધર્મથી વિક્લ (રહિત) થયું. જો કે આ સાધર્મના દૃષ્ટાન્નાભાસ ચાલે છે. એટલે વૈધર્મનાં દૃષ્ટાતો વિચારવાં તે અપ્રાસંગિક છે. પરંતુ જાણવા પૂરતું વિચારવું હોય તો જ્યાં જ્યાં અપૌરુષેય ન હોય (અર્થાત્ પરુષેય હોય) તે તે અમૂર્ત ન હોય (મૂર્ત હોય) જેમકે ઘટ-પટ. આ વ્યતિરેક વ્યાપ્તિ તથા તેનું ઉદાહરણ થયું. | ૬-૬oll (૨) શબ્દ મૌરુષેય અમૂર્તત્વાન્ પરમાણુવત્ આવું અનુમાન કરવામાં આવે તો અહીં આપેલું આ પરમાણુનું દૃષ્ટાન્ત સાધનધર્મવિકલ છે. કારણકે “પરમાણુમાં” સાધ્યધર્મ જે અપૌરુષેયપણું છે તે સંભવે છે. પરમાણુ અનાદિ નિત્ય હોવાથી કોઇપણ પુરુષ વડે કરાયેલો નથી, પરંતુ સાધન ધર્મ જે “અમૂર્તત્વ” છે, તે તેનામાં નથી. કારણકે- પરમાણુ અમૂર્ત નથી પરંતુ મૂર્તિ છે. “મૂર્તિનો અર્થ જૈન દર્શનકાર પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળાપણું, તે તેનામાં છે. અને નૈયાયિકાદિ દર્શનકારો પ્રમાણે મૂર્તત્વ દિવ=મૂર્તત્વ એટલે ગમનાગમનાદિ ક્રિયાવાળાપણું. તે પણ પરમાણમાં છે. જો મૂર્તત્વનો અર્થ વાક્ષુષત્વ હોત તો પરમાણુમાં અમૂર્તત્વ છે એમ કહેવાત. પરંતુ મૂર્તત્વનો અર્થ વળતિમત્ત્વ અથવા જ્યિાવિત્ત્વ છે. તે પરમાણુમાં સંભવે છે. આ પ્રમાણે પ્રથમ અનુમાનમાં કરેલી જે પ્રતિજ્ઞા, અને જે હેતુ છે તે જ પ્રતિજ્ઞા અને તે જ હેતુ હોતે છતે “પરમાણુ''નું દૃષ્ટાન્ત એ સાધનધર્મવિકલ નામના બીજા દૃષ્ટાન્તાભાસનું ઉદાહરણ જાણવું. ૬-૬ ૧|| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy