SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ પરિચ્છેદ ૬-૧૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ હેતુઓથી અનૈકાન્તિક સાધ્યની સિદ્ધિ થાય છે. તેવી જ રીતે તે નિત્યાનિત્ય શબ્દથી પર ભિન્ન એવા પરિપત્ર આદિ સાધ્યને સાધનારા હેતુઓની જેમ આ હેતુ સખ્ય હેતુ છે. જેમકે શબ્દઃ પરિપાપી તત્વત્ પદવ જે પરિણામી હોય તે કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય જ હોય. ઘટ-પટાદિ જે જે પદાર્થો કૃતક છે તે તે સર્વે પરિણામી છે. અહીં કૃતકત્વ હેતુથી જેમ પરિણામ આદિ સાધ્ય સિદ્ધ થાય છે. તેવી જ રીતે કૃતકત્વ હેતુથી કથંચિત્ નિત્ય કે કથંચિત્ અનિત્ય સાધ્ય સિદ્ધ થાય તો કંઈ ખોટું નથી. આ હેતુઓ સમ્યહેતુઓ જ છે. પરંતુ જો સર્વથા એકાન્ત નિત્ય અથવા એકાન્ત અનિત્યની સિદ્ધિ માટે જ રજુ કરાયા હોય તો વિરુદ્ધ હેત્વાભાસ છે. અથવા સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિ નામનો અનૈકાતિક હેત્વાભાસ છે, પરંતુ વિરુદ્ધાવ્યભિચારી નામનો જુદો કોઈ હેત્વાભાસ નથી. જો કૃતકત્વ હેતુથી એકાન અનિત્ય સિદ્ધ કરવા માગતા હોય તો આ કૃતકત્વ હેતુ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં એકાત નિત્ય (આકાશાદિ) કોઇ જ નથી. પરંતુ પર્યાયથી અનિત્ય અને દ્રવ્યથી નિત્ય એવા કથંચિત્ અનિત્ય ઘટ-પટાદિ જ હોય છે. તેથી હેતુ સાધ્યના અભાવમાં જ વર્તવાથી વિરુદ્ધહેત્વાભાસ થશે. એવી જ રીતે શ્રાવણત્વ હેતુ શબ્દમાં એકાન્તનિત્યત્વ સિદ્ધ કરવા માટે રજુ કરાયો હોય તો શબ્દ પણ અશ્રાવણત્વ અને શ્રાવણત્વ પર્યાયવાળો હોવાથી કથંચિત્ નિત્ય જ છે. તેમાં હેતુ વર્તવાથી વિપક્ષવૃત્તિ થવાથી વિરુદ્ધ જ થાય છે. અથવા કૃતકત્વ હેતુ અને શ્રાવણત્વ હેતુ એકાન્ત અનિત્ય અને એકાન્ત નિત્ય એવા તમારા માનેલા સાધ્ય (અપક્ષ)થી વિપરીત કથંચિત્ અનિત્ય અને કથંચિત્ નિત્ય એવા સાધ્યાભાવ સ્વરૂપ વિપક્ષમાં પણ ઘટ-પટાદિમાં અને શબ્દ-શબ્દતમાં પણ હોઈ શકે છે. એટલે હેતુની વિપક્ષમાંથી વ્યાવૃત્તિ શંકાવાળી થવાથી સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિ નામના અનૈકાન્તિક હેત્વાભાસમાં તે અંતર્ગત થઈ જાય છે માટે આવો કોઇ જુદો વિરુદ્ધવ્યભિચારી નામનો અનૈકાતિક હેત્વાભાસ નથી. આ પ્રમાણે (૧) અસિદ્ધ (૨) વિરુદ્ધ અને (૩) અનૈકાન્તિક એમ ત્રણ જ હેત્વાભાસ છે. તે ત્રણ તથા તેના યથોચિત પેટાભેદો સમજાવ્યા. તે વિના અન્ય દર્શનકારો આ ત્રણના જે બીન જરૂરી પેટાભેદો કહ્યું છે. તેનું નિરસન પણ કર્યું. તથા આ ત્રણ વિના નૈયાયિક-વૈશેષિકાદિ દર્શનકારો બાધિત (કાલાત્યયાપદિષ્ટ) અને સત્યતિપક્ષ (પ્રકરણસમ) વગેરે અન્ય હેત્વાભાસો માને છે. તથા બીજા કોઈ અકિંચિત્કર નામનો પણ હેત્વાભાસ માને છે. કે જે જરૂરી નથી. તેનું ખંડન હવે સમજાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy