SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૭ ૧ ૨ ૩ જે હેતુ પક્ષ અને વિપક્ષના એક દેશમાં વર્તે અને સપક્ષમાં સર્વત્ર વ્યાપક હોય તે. જેમકે દિવાનનાંતિ, ર કવ્ય, મૂર્તવા અહીં પક્ષમાં દિશા-કાલમાં હેતુ છે, મનમાં નથી. વિપક્ષ એટલે દ્રવ્ય, ત્યાં વ્યોમમાં હેતુ છે, ઘટ-પટાદિમાં નથી. અને સપક્ષ * એટલે દ્રવ્યાભાવ=ગુણાદિ, તેમાં આ હેતુ વ્યાપકપણે વર્તે છે. આ પ્રમાણે ઉપરોક્ત ૬ઠ્ઠા હેત્વાભાસથી સપક્ષ અને વિપક્ષમાં વિપરીતપણે આ જોડવાથી સુગમ છે. એક (८) सपक्षविपक्षव्यापकः पक्षैकदेशवृत्तिर्यथा-न द्रव्याणि आकाशकालदिगात्ममनांसि, क्षणिकविशेषगुणरहितत्वात् । अयं पक्षे कालदिग्मनःसु वर्तते, नाकाशात्मसु, सपक्षं गुणादिकं विपक्षं च पृथिव्यप्तेजोवायुरूपं व्याप्नोति ॥८॥ જે હેતુ સપક્ષ અને વિપક્ષ એમ બન્નેમાં વ્યાપક હોય અને પક્ષમાં એકદેશ વૃત્તિ હોય છે. જેમકે- આકાશ, કાળ, દિશા, આત્મા અને મન આ પાંચ પદાર્થો, તે દ્રવ્યો નથી. ક્ષણમાત્રવૃત્તિવાળા એવા વિશેષગુણથી રહિત હોવાથી. અહીં જે પાંચ પદાર્થોનો પક્ષ કર્યો છે. તે પૈકી કાળ, દિશા અને મન આ ત્રણમાં હેતુ વર્તે છે. કારણકે તે ત્રણ પદાર્થો વિશેષગુણથી રહિત જ છે. પરંતુ આકાશ અને આત્મા આ બે પદાર્થોરૂપ જે પક્ષ છે. તેમાં આ હેતુ વર્તતો નથી. કારણકે આકાશ ક્ષણિકવિશેષગુણ એવા શબ્દગુણવાળું છે અને આત્મા ચૈતન્યગુણવાળો છે એટલે વિશેષગુણરહિતત્વ હેતુ તે બેમાં નથી. તેથી પક્ષકદેશવૃત્તિવાળો હેતુ થયો. તથા “ન કવ્યાણ" સાધ્ય છે. તેથી દ્રવ્યાભાવ એ સપક્ષ થયો. સપક્ષ એવા ગુણ-કર્મ આદિ પદાર્થોમાં આ હેતુ વ્યાપકપણે વર્તે છે. કારણ કે ગુણ પોતે સદા નિર્ગુણ જ હોય છે. તથા “દ્રવ્ય' એ સપક્ષ હોવાથી “વ્ય" એ વિપક્ષ થાય છે. પૃથ્વી-જલતેજ અને વાયુ આ ચારે દ્રવ્યોમાં જો કે રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ વિશેષગુણો છે. એટલે “વિષપુનરહિતત્વ' એ હેતુ વર્તતો નથી. પરંતુ આ ચારે ગુણો ચારે દ્રવ્યોમાં દીર્ઘકાળવતી છે. ક્ષણિક નથી. તેથી ક્ષણિક એવા વિશેષગુણવાળાપણું ચાર દ્રવ્યોમાં નથી. તેથી ક્ષણિકવિશેષગુણરહિતત્વ હેતુ ત્યાં ઘટે છે. Iટા અન્ય દર્શનકારોએ “અનૈકાન્તિક” હેત્વાભાસના ઉપર સમજાવ્યા પ્રમાણે જે ભેદો પાડ્યા છે. તે સર્વે ભેદો “સંદિગ્ધવિપક્ષવૃત્તિ” નામના જૈનદર્શનકારે બતાવેલા અને કાન્તિક હેત્વાભાસના આ બીજા ભેદમાં સમાઈ જ જાય છે. કારણકે આઠે ભેદોનો સાર એ છે કે હેતુ વિપક્ષમાં વ્યાપકપણે કે દેશપણે પણ હોવાની શંકા છે. અને જે હેતુ વિપક્ષમાં વર્તે, તે હેતુથી સાધ્યની સિદ્ધિ થાય નહીં “નિશ્ચિતન્યથાનુપત્તિ' આ લક્ષણ તે હેતુમાં સંભવતું નથી. આ ૮ ભેદો યાદ રાખવા માટે સંક્ષિપ્ત એવો આ ઉપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy