SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૨નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૭ ૧ ૨ ૧ અહીં એક સ્પષ્ટતા ટીકાકારશ્રીએ કરી છે. પ્રત્યક્ષાત્ એવો જે હેતુ છે. તેનો અર્થ શ્રોત્ર આદિ પાંચ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થવાની યોગ્યતા માત્ર એવું અમારા લોકોનું પ્રત્યક્ષત્વ લેવું. તેથી જો ઈશ્વરીય પ્રત્યક્ષત્વ લઈએ તો પક્ષ, સપક્ષ અને વિપક્ષ એમ ત્રણેમાં સર્વથા વ્યાપક હોવાથી પહેલા ભેદમાં આ આવી જાય. અથવા એકલું ઇન્દ્રિયગ્રાહ્યત્વ જ માત્ર લઇએ તો દૂર દૂર ક્ષેત્રમાં બોલાતા શબ્દોમાં અને ભૂત-ભાવિ એવા દૂર દૂરના કાળમાં બોલાયેલા અને બોલનારા શબ્દોમાં શ્રોત્રગ્રાહ્યત્વ ન હોવાથી પક્ષની પણ એકદેશવૃત્તિતા થઈ જાય. જેથી પક્ષ-સપક્ષ-વિપક્ષની એકદેશવૃત્તિવાળો હેતુ થવાથી હવે સમજાવાતા પાંચમા ભેદમાં તે ચાલ્યો જાય. તેમ ન બને તેથી શ્રોત્રગ્રાહ્યનો અર્થ ગ્રહણની યોગ્યતા માત્ર લેવી. જેથી ગ્રહણયોગ્યતા તો વિપ્રકૃષ્ટ (દૂર દૂર) એવા પણ સર્વ શબ્દોમાં છે. તેથી પક્ષવ્યાપક્તા સ્વીકારવામાં કંઈ આંચ આવતી નથી. III (३) पक्षसपक्षव्यापको विपक्षैकदेशवृत्तिर्यथा-गौरयं विषाणित्वात् । अयं हि पक्षं गां, सपक्षं च गवान्तरं व्याप्नोति, विपक्षे तु महिष्यादावस्ति, न तु तुरङ्गादौ ॥३॥ જે હેતુ પક્ષમાં અને સપક્ષમાં વ્યાપક હોય પરંતુ વિપક્ષના એકદેશમાં વૃત્તિ હોય (અને એકદેશમાં વૃત્તિ ન હોય) તે. જેમકે– : વિપત્વિ –આ સામે જે દેખાય છે તે ગાય છે. શિંગડાવાળી હોવાથી, અહીં સામે દેખાતી વિવક્ષિત એવી એક ગાય તે પક્ષ છે. અને બાકીની ગાયો સપક્ષ છે. આ બન્ને સ્થાનોમાં વિપત્વિ હેતુ વર્તે છે. પરંતુ ગાયથી ભિન્ન પશુઓ તે વિપક્ષ કહેવાય ત્યાં જે મહિષ્યાદિ છે. તેમાં વિષાણિત્વ છે પરંતુ જે તુરંગાદિ છે. તેમાં વિષાણિત્વ નથી. માટે વિપક્ષના એકદેશમાં વૃત્તિવાળો આ હેતુ થયો. (४) पक्षविपक्षव्यापकः सपक्षकदेशवृत्तिर्यथा-नायं गौः विषाणित्वात् । अयं पक्षं गवयं, विपक्षं च गां व्याप्नोति, सपक्षे तु महिष्यादावस्ति, न तु तुरङ्गादौ ॥४॥ જે હેતુ પક્ષમાં અને વિપક્ષમાં સર્વત્ર વ્યાપક હોય. પરંતુ સપક્ષના એકદેશમાં હોય અને એકદેશમાં વૃત્તિ ન હોય તે. જેમકે- મ જ વિષત્વિી સામે દેખાતું જે પ્રાણી, તે ધારો કે ગવાય છે. ગાય નથી. અને આ અનુમાન કરાય છે કે ૩યં આ ગવાય પ્રાણી જે છે. તે જ નૌ: ગાય નથી. કારણકે શિંગડાવાળું હોવાથી. અહીં પક્ષ ગવાય (રોઝ) છે. ગવયને સર્વેને શીંગડાં હોય છે. તેથી પક્ષમાં વિષાધિત્વ હેતુ વ્યાપક છે. તથા : સપક્ષ છે. તેનો અભાવ એટલે જ એ વિપક્ષ છે. તે સર્વે ગાયોમાંવિપક્ષમાં વિષાણિત્વ હેતુ વર્તે છે. તેથી પક્ષ અને વિપક્ષમાં આ હેતુ વ્યાપકપણે વર્તે છે. પરંતુ ર : એ સપક્ષ છે. એટલે કે ગાયનો અભાવ એ સપક્ષ છે ત્યાં ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy