SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ પરિચ્છેદ ૬-૧૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ ભેદ નથી. અથવા એવો નામભેદ માત્ર કરવામાં કોઈ દોષ નથી. કારણકે અત્તે તો સાર એ જ છે કે હેતુ જો સાધ્યની સાથે વ્યાપક એવી ઉપાધિને છોડીને ઉપાધિના અભાવમાં વર્તે છે. તો ઉપાધિથી વ્યાપ્ય એવા સાધ્યને છોડીને એટલે કે સાધ્યાભાવમાં વિપક્ષમાં) આ હેતુ વર્તે છે. કારણ કે જે હેતુ ઉપાધિનો વ્યભિચારી હોય, તે હેતુ ઉપાધિના વ્યાણનો વ્યભિચારી હોય જ એવી સંદિગ્ધતા (શંકાશીલતા) તો ઉભી જ રહે છે. સંદિગ્ધતા (શંકાશીલતા) ટળી જતી નથી. “સંદિગ્ધવિપક્ષવૃત્તિત્વ” એવું જૈનદર્શનકારે કરેલું લક્ષણ તેમાં વર્તે જ છે. દૂર થતું નથી. તેથી તેમાં તે હેત્વાભાસ સમાઇ જાય છે. વળી જે તે જે અન્યદર્શનકારો પક્ષસપક્ષવિપક્ષવ્યાપ વગેરે અનેકનિતક હેત્વાભાસના અનેક ભેદો પાડે છે. તે સર્વે ભેદો મચૈવ આ સંદિગ્ધવિપક્ષવૃત્તિત્વમાં જ અંતર્ભત થઈ જાય છે. તે સર્વે આ ભેદના જ વિસ્તાર સ્વરૂપ છે. તે આ પ્રમાણે (૧) ક્ષરપવિપક્ષવ્યાપવો જે હેતુ પક્ષમાં પણ વ્યાપ્ત હોય, સપક્ષમાં પણ વ્યાપ્ત હોય અને વિપક્ષમાં પણ વ્યાપ્ત હોય તે આ પ્રથમ ભેદ છે. જેમકે શબ્દઃ નિઃ વિસ્વાઆ અનુમાનમાં કહેલો પ્રયત્ન નામનો આ હેતુ શબ્દ નામના પક્ષમાં, ઘર પદ તર વગેરે સપક્ષમાં અને વ્યોમાની આકાશ, કાળ, દિશા અને આત્મા આદિ વિપક્ષમાં સર્વત્ર વ્યાપીને વર્તે છે. ત્રણેમાં વ્યાપીને જે હેતુ વર્તે તે પ્રથમભેદ જાણવો. (२) पक्षव्यापकः सपक्षविपक्षैकदेशवृत्ति र्यथा-अनित्यः शब्दः प्रत्यक्षत्वात् । अस्मदादीन्द्रियग्रहणयोग्यतामात्रं प्रत्यक्षत्वमत्राभिप्रेतं, ततो नास्य पक्षत्रयव्यापकत्वं पक्षैकदेशवृत्तित्वं वा प्रसज्यते । पक्षे हि शब्देऽयं सर्वत्रास्ति, न सपक्षविपक्षयोः, घटादौ सामान्यादौ च भावात्, व्यणुकादौ व्योमादौ चाभावात् ॥२॥ જે હેતુ પક્ષમાં સર્વત્ર વ્યાપક હોય, પરંતુ સપક્ષ અને વિપક્ષમાં સર્વત્ર વ્યાપક ન હોય, પરંતુ તે બન્નેના એક દેશમાં જ માત્ર હોય (અર્થાત્ બીજા એકદેશમાં ન હોય) તે. જેમકે શબ્દઃ નિત્ય: પ્રત્યક્ષતા આ હેતુ મેઘગર્જના, માનવકૃત શબ્દ, સમુદ્રનો અવાજ, કે પશુ-પક્ષીનો શબ્દ એમ શબ્દ નામના પક્ષમાં સર્વત્ર પ્રત્યક્ષત્વે (શ્રોત્રગ્રાહ્યત્વ) વર્તે છે માટે પક્ષવ્યાપક છે. પરંતુ સપક્ષ-વિપક્ષમાં વ્યાપક નથી. આંશિક છે. અને આંશિક નથી. ઘટ-પટ અનિત્ય હોવાથી સપક્ષ છે અને કચણુક ચણુક પણ સંયોગ-જન્ય હોવાથી અનિત્ય છે માટે સપક્ષ છે પરંતુ પ્રત્યક્ષદેતુ (ઈન્દ્રિયગ્રાહ્યત્વહેતુ) સપક્ષ એવા ઘટ-પટમાં વર્તે છે પરંતુ સપક્ષ એવા ચણકાદિમાં નથી. માટે સપક્ષના એકદેશમાં વૃત્તિ છે એવી જ રીતે સામાન્યાદિ તથા વ્યોમાદિ આ બધા પદાર્થો નિત્ય હોવાથી વિપક્ષ છે. પરંતુ સામાન્યાદિમાં પ્રત્યક્ષહેતુ વર્તે છે અને વ્યોમાદિમાં નથી. તેથી વિપક્ષના એકદેશમાં વૃત્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy