SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૩ ૧ ૦ ૧ અર્થાત્ આવા સાધ્યના અભાવાત્મક એવા “પરિણામિ પુરુષ” અર્થાત્ પરાવર્તનશીલ એવા આત્માની સાથે (કથંચિત્ જ નિત્ય એવા આત્માની સાથે) જ આ હેતુ વ્યાપ્ત છે. માટે તમારો હેતુ વિરુદ્ધહેત્વાભાસ છે. તે આ પ્રમાણે યોપ-જો આ આત્મા સ્થિરે કસ્વરૂપ (એકાન્ત નિત્ય-પરિવર્તન વિનાનો) જ હોય તો જેમ નિદ્રાવસ્થામાં બાહ્ય પદાર્થનો બોધ કરવો ઇત્યાદિ પ્રવૃત્તિનો અભાવ હોવાથી કોઈ અનુભવ જ નથી, માટે નિદ્રાવસ્થામાં પ્રત્યભિજ્ઞાનાદિ ક્યારેય થતાં નથી. તેની જેમ જાગૃતાવસ્થામાં પણ આત્મા સ્થિરેકસ્વરૂપવાળો હોવાથી નિદ્રાવસ્થા જેવો જ રહેવો જોઇએ. બાહાપદાર્થના બોધાદિની પ્રવૃત્તિ ન થવી જોઇએ. અને તેથી પ્રત્યભિજ્ઞાનાદિ પણ ન થવાં જોઇએ. જો સુષુપ્તાવસ્થામાં બાહ્યર્થ ગ્રહણની પ્રવૃત્તિ અને તજ્જન્ય પ્રત્યભિજ્ઞાનાદિ થાય તો આત્માની અવસ્થા બદલાઈ ગણાય. તેથી સ્થિરૅકત્વ (એકાન્ત નિત્યત્વ)ની તમારી જે માન્યતા છે. તેની હાનિ થવાનો પ્રસંગ આવે. અહીં કદાચ સાંખ્ય આવો બચાવ રજા કરે કે આત્મા તો સ્થિરૅક-સ્વરૂપવાળો અર્થાત્ એકાન્ત નિત્ય જ છે. માત્ર તે આત્માની સુષુપ્તાવસ્થા અને જાગૃતા-વસ્થા એમ અવસ્થામાત્રના ભેદથી બાહ્યર્થને ગ્રહણ કરવા અને ન કરવાનો આ વ્યવહાર થાય છે. જ્યારે આત્માની સુષુપ્તાવસ્થા ચાલતી હોય ત્યારે બાહ્યાર્થને ન ગ્રહણ કરવાનો અને જાગૃતાવસ્થા ચાલતી હોય ત્યારે ગ્રહણ કરવાનો વ્યવહાર હોય છે. એમ ઘટશે. જૈનાચાર્ય- ઉપરોકત સાંખ્યની દલીલ પણ અયુક્ત જ છે. તમામ તે અવસ્થાઓ અવસ્થાતા એવા આત્માથી વ્યતિરેક (ભિન્ન) માનશો તો તે વિકલ્પ (પક્ષ) અને જો અતિરેક (અભિન્ન) માનશો તો તે વિકલ્પ (પક્ષ) પણ યુક્તિયુક્તપણે ઘટતા નથી. તે આ પ્રમાણે–જો તે અવસ્થાઓ અવસ્થાતા એવા આત્માથી વ્યતિરેક એકાન્ત ભિન્ન માનશો તો “તા: તી તિ' તે અવસ્થાઓ તે અવસ્થાતાની (આત્માની) છે. એવો સંબંધ સંભવશે નહીં. કારણકે જે જેનાથી એકાન્ત ભિન્ન હોય છે. તેનો તેની સાથે સંબંધ સંભવતો નથી. તેથી તે વસ્તુ તેની છે એમ કહેવાતું નથી. જેમ માટીનો બનેલો ઘટ એ તત્ત્વનું કાર્ય કહેવાતો નથી. હવે જો વ્યતિરે અવસ્થાઓ અને અવસ્થાતા એવો આત્મા અભિન્ન માનશો તો મવથતા જીવ તિ-અવસ્થાતા એવો એક આત્મા જ થશે. અવસ્થાઓ જેવું કોઈ તત્ત્વ રહેશે નહીં. જેમ ઘટ અને ઘટનું સ્વરૂપ એક જ છે. તેમ અહીં થશે. એટલે કે અવસ્થાતા અને અવસ્થાઓ એમ બે તત્ત્વ થશે નહીં અને એમ થવાથી તવસ્થતમા તે અવસ્થાઓનો અભાવ તો તેવો ને તેવો જ રહ્યો. અર્થાત્ અવસ્થા જેવું કોઈ સ્વરૂપ રહ્યું જ નહીં કે જેથી એક અનુભવાવસ્થા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy