SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પરિચ્છેદ ૬-૫૩ રત્નાકરાવતારિકા ભાગ-૩ ટીકાનુવાદ– “પ્રત્યfમજ્ઞાનાદિમસ્વીત્' આ પદમાં જે માત્ર શબ્દ છે. તેનાથી મરા નામનું પ્રમાણ, તથા તમાસ એટલે પ્રત્યભિજ્ઞાનાભાસ અને સ્મરણાભાસ પણ સમજી લેવાં. આ સૂત્રમાં બે અનુમાનો આપેલાં છે. એક સાંખ્યવડે કહેવાયેલું અને બીજું બૌદ્ધવડે કહેવાયેલું જાણવું. સાંખ્યો નિત્યવાદી છે. અને બૌદ્ધો ક્ષણિકવાદી એટલે અનિત્યવાદી છે. પોતપોતાના ઇષ્ટ સાધ્ય સાધવા તેઓ આ પ્રકારનાં અનુમાનો કરે છે. પુરુષ: નિત્ય: વ, પ્રત્યfમજ્ઞાનાદ્દિવી આ સાંખ્યકૃત અનુમાન છે. પુરુષ:, નિત્યઃ પવ, પ્રત્યfમજ્ઞાનાદ્ધિમત્તાતુ-આ બૌદ્ધકૃત-અનુમાન છે. સાંખ્યોનું કહેવું એમ છે કે પ્રત્યભિજ્ઞાન અને સ્મરણાદિ થતાં હોવાથી અનુભવાવસ્થા અને સ્મરણાવસ્થામાં વર્તનારો જીવ એક જ છે. તેથી સ્થિર અને એકરૂપવાળો આત્મા છે. જો બન્ને અવસ્થામાં આત્મા ભિન્ન હોય તો અનુભવ કરે કોઈ અને સ્મરણ કરે કોઈ એવું થઇ જાય, જે યુક્તિસંગત નથી. તેથી પ્રત્યભિજ્ઞાનાદિ જ્ઞાનવાળો હોવાથી આ આત્મા સ્થિરેકરૂપવાળો છે. અને બૌદ્ધોનું કહેવું છે કે, અનુભવાવસ્થા અને સ્મરણાવસ્થા ભિન્ન-ભિન્ન છે. માટે બન્ને અવસ્થામાં આત્મા બદલાય છે. તેનો તે જ જો રહે, તો અનુભવાત્મક જ રહે, માટે આત્મા બદલાતો હોવાથી અનિત્ય છે. અને અનિત્ય માનીએ તો જ જે પ્રત્યભિજ્ઞાનાદિ થાય છે તે સંભવે. હવે જૈનાચાર્યશ્રી ઉપરોક્ત બન્ને વાદીઓને સમજાવતાં પહેલાં સાંખ્ય પ્રત્યે કહે છે કે આ પ્રત્યભિજ્ઞાન અને સ્મરણાદિ આત્મામાં તો જ સંભવે કે આત્માને પરિણામી નિત્ય માનો. કારણકે આત્મા દ્રવ્યથી બન્ને અવસ્થામાં વર્તે જ છે માટે કથંચિત્ નિત્ય પણ છે. અને અવસ્થાઓ બદલાતી હોવાથી આ જ આત્મા કથંચિત્ અનિત્ય પણ છે. તેથી પરિણામી નિત્ય નામના સાધ્યની સાથે પ્રત્યભિજ્ઞાનાદિ-મત્ત્વ હેતુ સંભવી શકે છે. કે જે તમારા માનેલા સ્થિરૈકસ્વરૂપ=એકાનત નિત્ય સ્વરૂપ પુરુષની અપેક્ષાએ સાધ્યાભાવરૂપ છે. તમે “નિત્ય પ્રવ” સાથે મૂકીને પ્રત્યભિજ્ઞાનાદિ-મત્ત્વ હેતુ કહ્યો છે. પરંતુ હકીકતથી આ હેતુ સ્થિરેકસ્વરૂપવાળા એટલે કે “એકાતે નિત્યસ્વરૂપવાળા પુરુષ” એવા સાધ્ય કરતાં સાધ્યાભાવ સ્વરૂપ જે “પરિણામિ નિત્યત્વ” છે ત્યાં જ હેતુ સંભવે છે. આ પ્રમાણે તમારા સાધ્યની અપેક્ષાએ સાધ્યાભાવની સાથે વ્યાસ એવો હેતુ તમે તમારા વિવક્ષિત “નિત્ય પવ" એવા સાધ્ય માટે જે મૂક્યો તે વિરુદ્ધહેત્વાભાસ થાય છે. સ્થિરેકસ્વરૂપવાળો પુરુષ એટલે એકાન્તનિત્ય આત્મા એવા સાથથી વિપરીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy