SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૬-૫૨ રત્નાકરાવતારિકા ભાગ-૩ નામના પદાર્થમાં અનેકાત્મકતાને સમજાવનારો પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ એવો અને વ્યક્તિવૃત્તિત્વ નામનો જે મૂલ હેતુ ઇષ્ટ છે. તેના જ વ્યાપ્યવ્યાપકભાવ સમજાવવામાં (અવિનાભાવ સમજાવવામાં-અન્વય-વ્યતિરેકવ્યાપ્તિ સમજાવવામાં) આ પ્રસંગસાધન એ બોલવાની જુદી નીતિ-રીતિ માત્ર જ છે. જેમ અન્વયવ્યાપ્તિથી આપણે સિદ્ધ કરીએ કે જો ધૂમ છે તો વિદ્ધ હોય જ. તેમ અનેકદ્રવ્યવૃત્તિ છે. તેથી સામાન્ય અનેકાત્મક છે જ. આ પ્રમાણે જેમ અન્વયવ્યાપ્તિથી સિદ્ધ કરાય છે. તેવી જ રીતે. જો આ પર્વતની ખીણમાં વહ્નિ ન હોય તો આ દેખાતો એ ધૂમ હોઇ શકે નહીં, આવું બોલીને ધૂમ દ્વારા અન્ને તો વહ્નિ જ સિદ્ધ કરાય છે તેવી રીતે યંત્ સર્વથ तन्नानेकत्र वर्तते इति व्याप्तिदर्शनमात्रमपि हि बाधकं विरुद्धधर्माध्यासमाक्षिपति = " વસ્તુ (અનેકાત્મક ન હોય એટલે કે) સર્વથા ઐક્ચરૂપ જ હોય, તે તે વસ્તુ અનેકમાં વર્તનવાળી ન જ હોય” આવા પ્રકારની વ્યાપ્તિ બતાવવી. એ પણ વ્યતિરેક વ્યાપ્તિની જેમ બાધકરૂપ જ થાય છે. કારણકે જો સર્વથૈક્ય હોય, તો તે અનેકમાં વર્તી શકે નહીં. અને સામાન્ય અનેકમાં વર્તે છે એ પ્રત્યક્ષ દેખાય જ છે. તેથી તે સર્વમૈક્સનું બાધક બને છે. અને તેનાથી વિરુદ્ધધર્મ જે અનેાવતા છે. તેનો અધ્યાસ (યોગ) સાબિત કરે છે. એટલે જેમ અન્વયવ્યાપ્તિ અથવા વ્યતિરેકવ્યાપ્તિ એ સાધ્ય સાધવાના પ્રકાર છે. તેમ “જો તમે અનેભતાડભાવરૂપ સાધ્યાભાવાત્મક એવું સર્વથૈચ માનશો તો અનેવ્યન્તિવૃત્તિત્વ રૂપ હેતુનો પણ અભાવ જ થશે. આ પણ સાધ્ય સાધવા માટેની બોલવાની એક પ્રકારાન્તર રૂપે રીત જ છે. અને આ હેતુ તો પ્રત્યક્ષ જણાય જ છે. તે સર્વઐક્ય માનવામાં બાધક થશે અને તેનાથી વિરુદ્ધધર્મ અનેકાત્મકતા રૂપ સાધ્યને સિદ્ધ કરશે. ૯૮ આ રીતે અસિદ્ધહેત્વાભાસના ૪૯મા મૂલસૂત્રમાં ઉભયાસિદ્ધ અને અન્યતરાસિદ્ધ એવા જે બે ભેદ સમજાવ્યા છે. અને અન્યદર્શન શાસ્ત્રોમાં પાડેલા અસિદ્ધહેત્વાભાસના અનેકભેદો ઉપરોક્ત ભેદમાં સમાઇ જાય છે. તે બે ભેદમાંથી ઉભયાસિદ્ધ જેમ સાધ્યનો ગમક બનતો નથી તે ૫૦મા સૂત્રમાં સમજાવ્યું છે. એ જ રીતે અન્યતરાસિદ્ધ નામનો આ હેત્વાભાસ પણ કોઇપણ સાધ્યનો ગમક થતો નથી. તે અત્યન્ત વિસ્તારથી આ ૫૧મા સૂત્રમાં સમજાવ્યું છે. ॥ ૬-૫૧॥ अधुना विरुद्धलक्षणमाचक्षते साध्यविपर्ययेणैव यस्यान्यथानुपपत्तिरध्यवसीयते स विरुद्धः । ६-५२ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy