SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૬-૫૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ ઉત્તર- તહુવ=પ્રશ્ન કરનારાએ ઉપરની ચર્ચામાં “પ્રસંગસાધન એ સૂપપાદ કેમ થાય ? '' એવો જે પ્રશ્ન કર્યો છે તે પ્રશ્ન અયોગ્ય છે. કારણ કે અન્ય=આ પ્રસંગસાધન તો ધર્મોપમે=જો તમે એક ધર્મ સ્વીકારશો તો ધર્માન્તરોપમસંદર્શનમાત્રતત્પરત્વેન=બીજો ધર્મ પણ તમારે સ્વીકારવો જ પડશે એવું બતાવવામાં જ માત્ર લયલીન હોવાના કારણે અસ્ય=એ પ્રસંગસાધન વસ્તુનિશ્ચાયજામાવા-કંઇ વસ્તુતત્ત્વનો નિશ્ચય કરાવનાર થતો નથી. ૯૨ સારાંશ એ છે કે હે નૈયાયિકો ! જો તમે સામાન્યમાં સર્વથા ઐક્ય માનશો તો તે સામાન્ય અનેકવ્યક્તિમાં વર્તે છે. એમ નહી માની શકો. જો સર્વથૈક્ય નામનો એકધર્મ માનશો તો તેની સાથે સંકળાયેલો અનેકવ્યક્તિવૃત્તિત્વાભાવ નામનો ધર્માન્તર પણ તમારે સ્વીકારવો જ પડશે. આટલું જ માત્ર સમજાવવા માટે આ પ્રસંગસાધન છે. પરંતુ કોઇપણ સાધ્યવસ્તુનો નિશ્ચય કરાવનાર તરીકે આ પ્રસંગસાધન નથી. પ્રસવૃવિપર્યય પથૈવ મૌતહેતોસ્તનિશ્ચાયવા-કારણ કે સાધ્યભૂત વસ્તુતત્ત્વનો નિશ્ચય કરાવનાર તો વાસ્તવિક “પ્રસંગવિપર્યય જ છે. અને તે જ સાચો મૂલહેતુ છે. પ્રશ્ન- “પ્રસંગવિપર્યય એટલે શું ? તે સ્પષ્ટ સમજાવો. ઉત્તર- ‘પ્રસઽ: સ્વત્વત્ર વ્યાપવિરુદ્ધોપધિરૂપઃ ।'' વ્યાપકથી વિરુદ્ધની જે ઉપલબ્ધિ તે પ્રસંગ નામનો દોષ કહેવાય છે જ્યાં જ્યાં વિવક્ષિત વ્યાપ્યનું વ્યાપક હોય ત્યાં જ વ્યાપ્યના અસ્તિત્વની સિદ્ધિ થાય. તેને બદલે વિવક્ષિતવ્યાપ્યના વ્યાપકથી વિરુદ્ધ વસ્તુ દેખાય. તો વિવક્ષિતવ્યાપ્ય ત્યાં ન જ હોય એમ જાણવું. જેમકે-‘પર્વતો વૃદ્ઘિમાન્ ધૂમાત્'' અહીં ધૂમ વ્યાપ્ય છે. તેનો વ્યાપક વહ્નિ છે. હવે વ્યાપ્ય એવા ધૂમનો વ્યાપક એવો વહ્નિ જો હોય તો વ્યાપ્ય એવા ધૂમનું હોવું સંભવિત છે. પરંતુ વ્યાપ્ય એવા ધૂમના વ્યાપક એવા વહ્નિથી વિરુદ્ધ એવો જળનો જ ભંડાર દેખાય તો ત્યાં (વ્યાપક એવો વહ્નિ ન હોવાથી) વ્યાપ્ય એવો ધૂમ ન જ હોય. એવી જ રીતે અહીં પ્રસંગદોષ આવે છે. તે આ પ્રમાણે ‘‘સામાન્ય અનેòાત્મ અનેવ્યક્તિવૃત્તિાત્'' અનુમાન જૈનો નૈયાયિકાદિની સામે રજી કરે છે. અહીં “અનેકવ્યક્તિઓમાં વર્તવાપણું” એ હેતુ હોવાથી વ્યાપ્ય છે. અને અનેાત્મતા સામાન્ય અનેકાત્મક છે. એ સાધ્ય હોવાથી વ્યાપક છે. ટીકાના પદોમાં કહ્યું છે કે અનેવ્યક્તિત્તવર્તિત્વસ્ય હિ વ્યાપમનેઋત્વમ્=અનેક વ્યક્તિઓમાં વર્તવાપણા રૂપ વ્યાપ્યનું વ્યાપક અનેકાત્મકપણું છે. કારણકે જ્યાં વહ્નિ હોય ત્યાં જ ધૂમ હોઇ શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy