SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૧ ૮૯ रणादिनिमित्तेन प्रतिवादिनं प्राश्निकान् वा प्रतिबोधयितुं न शक्नोत्यसिद्धतामपि नानुमन्यते, तदाऽन्यतरासिद्धत्वेनैव निगृह्यते । तथा स्वयमनभ्युपगतोऽपि परस्य सिद्ध इत्येतावतैवोपन्यस्तो हेतुरन्यतरासिद्धो निग्रहाधिकरणम् । यथा-सांख्यस्य जैनं प्रत्यचेतनाः सुखादयः उत्पत्तिमत्त्वाद् घटवदिति ॥ જૈનઉપર કહેલા નૈયાયિકના પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે- જ્યારે અનુમાન રજુ કરનાર વાદી પોતે પોતાના હેતુને સાચો હેતુ છે એમ માનતો હોવા છતાં પણ તે હેતુની સત્યતાનું સમર્થન કરનારો જે ન્યાય હોય, તે ભૂલી જવાથી અથવા આદિ શબ્દથી સભાક્ષોભ, ચિત્તની વ્યગ્રતા વગેરે નિમિત્તોથી પ્રતિવાદીને અથવા પ્રાશ્નિકોને (સભામાં બેઠેલા પુરુષોને) સમજાવવા સમર્થ ન બને, અને પ્રતિવાદીએ આપેલી અસિદ્ધતાને પણ ન સ્વીકારે ત્યારે વાદીનો આ હેતુ (ભલે પોતાને સમ્યહેતુ તરીકે માન્ય હોય તો પણ) પ્રતિવાદીને અમાન્ય હોવાથી અન્યતરાસિદ્ધ થવાથી જ આ વાદી પરાભવ પામે છે. તે કાળે હેતુ અન્યતરાસિદ્ધ જ બને છે. ઉપરોક્ત ચર્ચામાં હેતુ વાદીને માન્ય અને પ્રતિવાદીને અમાન્ય એવો અન્યતરાસિદ્ધ સમજાવ્યો. હવે તેથી ઉલટું વાદીને અમાન્ય અને પ્રતિવાદીને માન્ય એવો અન્યતરાસિદ્ધ હેત્વાભાસ થાય છે. તે સમજાવે છે. વાદી જે હેતુ બોલે તે હેતુ પોતે સ્વયં ન માનતો હોય તો પણ પર એવો પ્રતિવાદી તો માને જ છે. એમ સમજીને વાદી જે હેતુ રજુ કરે તે હેતુ પ્રતિવાદીને માન્ય હોવા છતાં વાદીને (પોતાને) અમાન્ય હોવાથી અન્યતરાસિદ્ધ હેત્વાભાસ થાય છે. (વાદી પોતે આવો હેતુ ન માનતો હોવા છતાં પણ પ્રતિવાદી તો માને જ છે. એટલે પ્રતિવાદીને જે સાધ્ય સમજાવવું છે. તે સમજાવાઈ શકાશે, એમ માનીને વાદી આવો હેતુ રજા કરે છે.) જેમકે સાંખ્યદર્શનકારો કે જે નિત્યવાદી છે, કોઇપણ પદાર્થનો કે પર્યાયનો ઉત્પત્તિ-વ્યય માનતા નથી. કેવલ આવિર્ભાવ-તિરોભાવ માત્ર જ માને છે. તેવા તે એકાન્ત નિત્યવાદી સાંખ્યો જૈનોને આ પ્રમાણે કહે છે કે સુખ-દુઃખાદિ ગુણો અચેતન છે. ઉત્પત્તિવાળા હોવાથી, ઘટની જેમ. આ અનુમાનમાં ઉત્પત્તિમત્તાત્ હેતુ પ્રતિવાદી એવા જૈનોને માન્ય છે. પરંતુ વાદી એવા સાંખ્યોને માન્ય નથી. તેથી અન્યતરાસિદ્ધ હેત્વાભાસ થવાથી વાદી સાંખ્ય નિગૃહીત થાય છે. માટે અન્યતરાસિદ્ધ હેત્વાભાસ છે. ननु कथं तर्हि प्रसङ्गसाधनं सूपपादं स्यात् ? तथा च प्रमाणप्रसिद्धव्याप्तिकेनवाक्येन परस्यानिष्टत्वापादनाय प्रसञ्जनं प्रसङ्गः, यथा-यत्सर्वथैकं तन्नानेकत्र वर्तते, यथैकः परमाणुस्तथा च सामान्यमिति कथमनेकव्यक्तिवर्ति स्यात् ? अनेकव्यक्ति ૧ ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy