SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૧ તથા વ્યર્થવિશેષણાસિદ્ધ બાર નંબર, વ્યર્થવિશેષ્યાસિદ્ધ તેર નંબર, તથા વ્યર્થંકદેશાસિદ્ધ ત્રેવીસ નંબર આદિ હેત્વાભાસો પણ અસિદ્ધ હેત્વાભાસના ભેદો નથી. હેતુમાં આવશ્યક પદોથી સાધ્યસિદ્ધિ થતી હોવા છતાં બીનજરૂરી વિશેષણ અથવા વિશેષ્યાદિ જે કંઈ વધારાનાં પદો બોલાયાં છે. તે હેતુના દોષ નથી. પરંતુ વક્તાની અકુશળતા હોવાથી વ્યર્થ વચન બોલવાનો દોષ માત્ર છે. હેતુ દોષિત નથી. પરંતુ વક્તાનો દોષ છે. આ પ્રમાણે બીજા હેત્વાભાસોમાં પણ સ્વયં સમજી લેવું. તેથી આ પ્રમાણે નક્કી થયું કે અસિદ્ધના ઉપર કહેલા પચ્ચીસ આદિ ભેદોમાં કેટલાક તો હેત્વાભાસના ભેદો જ નથી. અને જે જે અસિદ્ધના ભેદો સંભવે છે. તે પણ ઉભયાસિદ્ધ અને અન્યતરાસિદ્ધ આ બેમાંથી ગમે તે એકમાં અંતર્ભત થાય છે. માટે અમે (જૈનોએ) પાડેલા બે ભેદો જ બરાબર છે. नन्वन्यतरासिद्धो हेत्वाभास एव नास्ति । तथाहि-परेणासिद्ध इत्युद्भाविते यदि वादी न तत्साधकं प्रमाणमाचक्षीत तदा प्रमाणाभावादुभयोरप्यसिद्धः । अथाचक्षीत, तदा प्रमाणस्यापक्षपातित्वादुभयोरप्यसौ सिद्धः । अथवा यावन्न परं प्रति प्रमाणेन प्रसाध्यते तावत् तं प्रत्यसिद्ध इति चेत्, गौणं तहसिद्धत्वम् । न हि रत्नादिपदार्थस्तत्त्वतोऽप्रतीयमानस्तावन्तमपि कालं मुख्यतस्तदाभासः । किं च अन्यतरासिद्धो यदा हेत्वाभासस्तदा वादी निगृहीतः स्यात्, न च निगृहीतस्य पश्चादनिग्रह इति युक्तम् , नापि हेतुसमर्थनं पश्चाद्युक्तम्, निग्रहान्तत्वाद् वादस्येति ॥ નૈયાયિક–હે જૈન ! તમે અમારા અસિદ્ધ હેત્વાભાસના ૨૫ ભેદોનું ખંડન કરો છો. અને વ્યધિકરણાસિદ્ધાદિ ભેદો ઘટી શકતા નથી ઇત્યાદિ કહો છો. તેમ અમે પણ તમારા ઉભયાસિદ્ધ અને અન્યતરાસિદ્ધનું ખંડન કરી શકીએ છીએ. “અન્યતરાસિદ્ધ” પણ તમારો કહેલો જે હેત્વાભાસ તે હેત્વાભાસ રૂપે ઘટતો નથી. તે આ પ્રમાણે કોઇ વાદીએ એક અનુમાન રજુ કર્યું, તેમાં પક્ષ-સાધ્ય-હેતુ અને ઉદાહરણાદિ કહ્યાં. તે જ અનુમાનમાં “પરે સિદ્ધઃ” પર વાદી વડે (એટલે પ્રતિવાદી વડે) તમારો આ હેતુ અસિદ્ધ હેત્વાભાસ છે. એમ ઉદ્ભાવના (ઉઘોષણા) કરાવે છતે હવે જો વાદી મારો હેતુ સમ્યહેતુ જ છે. એમ તેનું સાધક પ્રમાણ ન કહે તો પોતાના હેતુને સહેતુ કહેનારું કોઈ પ્રમાણ ન બતાવવાથી (વાદીને પણ આ હેતુ અસિદ્ધ જ થઈ જવાથી) પ્રતિવાદી અને વાદી એમ બન્નેને પણ આ હેતુ અસિદ્ધ જ થયો. એટલે ઉભયાસિદ્ધમાં અંતર્ગત થયો. પરંતુ અન્યતરાસિદ્ધ ન રહ્યો. થાવક્ષત (પ્રમ) હવે જો વાદી હેતુને સહેતુ કરનારું કોઇ પ્રમાણ કહે તો પ્રમાણભૂત વાત તો સર્વને માટે સ્વીકાર્ય જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy