SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૧ છે. બન્નેમાં જે પણાની બુદ્ધિ કરીને નજીક જતાં બન્નેનો એકદેશ જે ગવય તે ત્રાસ આપનાર બનવાથી મારાય છે એવો બોધ થાય છે. તેથી તેમાં પ્રથમ કરેલો ગાયપણાનો સંદેહાત્મક બોધ તે પક્ષદોષ છે. તેવી જ રીતે દશ નંબરવાળો આશ્રય-સંદિગ્ધવૃત્તિ અસિદ્ધ નામનો હેત્વાભાસ પણ હેત્વાભાસ નથી. તેના અર્થમાં પ્રથમ એવું કહેવામાં આવ્યું છે કે આશ્રયમાં સંદેહાત્મક વૃત્તિવાળો હેતુ હોય એટલે કે આશ્રયમાં હેતુ છે કે નહીં તેનો સંદેહ હોય તે હેતુ આ હેત્વાભાસ કહેવાય છે. પરંતુ હેતુ પક્ષમાં હોવો જ જોઈએ એવી પક્ષધર્મતા એ જો સાધ્યનું જ્ઞાન કરવામાં અંગ અમે માન્યું હોત તો તો પક્ષમાં હેતુની વૃત્તિના સંદેહને હેત્વાભાસ માનવાનો દોષ આવે. પરંતુ હેતુ પક્ષમાં ન જ હોય, અથવા હેતુ પક્ષમાં સંદેહાત્મક હોય તો પણ સાધ્યની સાથે જ અવિનાભાવવાળો હોય તો ગમક થાય જ છે. જેમ કુરિવારે વૃષ્ટો મેષ:, નવીપૂરસ્થીત્ર નાર્ અહીં હેતુ પક્ષમાં નથી જ, છતાં અવિનાભાવ હોવાથી ગમક થાય જ છે. 4. વિવારે વિષ્યતિ, માં શનિવારંવત્ અહીં પણ હેતુની પક્ષવૃત્તિ નથી છતાં સાધ્યનો ગમક થાય જ છે. તેવી રીતે હેતુની આશ્રયમાં (પક્ષમાં) શંકા હોય તો પણ અવિનાભાવ હોય ત્યાં હેતુ સાધ્યનો ગમક બને જ છે. હેત્વાભાસ થતો નથી. માટે કેકાનો અવાજ સંભળાવાથી મયૂરની સિદ્ધિ થાય જ છે. તેની તેની સાથે અવશ્ય અવિનાભાવ છે. જ્યાં જ્યાં કેકાવાણી હોય ત્યાં ત્યાં મયૂર હોય જ. એવી વ્યાપ્તિ બરાબર થાય છે. માટે કેકાવાણી દૂરથી સંભળાતી હોવાથી કયા પ્રદેશમાં સંભળાય છે તે બરાબર સ્પષ્ટ ન હોવાથી પ્રદેશાશ્રયી સંદેહ છે. તો પણ કેકાવાણી સંભળાતી હોવાથી તે બાજુના કોઈ પ્રદેશમાં અવશ્ય મયૂર છે એમ જ્ઞાન થાય જ છે. અમે પક્ષધર્મતાને સાધ્યસિદ્ધિનું જો અંગ માનીએ તો જ આ તહેવાભાસનો) દોષ આવે. પરંતુ પક્ષધર્મતા માનવી જરૂરી નથી. પક્ષમાં હેતુનો સંદેહ કે અભાવ હોય તો પણ સાધ્યની સાથે અવિનાભાવ હોય તો હેતુ સાધ્યનો ગમક થાય જ છે. નૈયાયિક- તમાશ્રયવૃન્દનિશ.પિકહે જૈન ! જો આશ્રયમાં હેતુની વૃત્તિનો અનિશ્ચય (સંદેહ અથવા અભાવ) હોય તો પણ જો સાધ્યનો નિર્ણય થતો હોય તો કેકાયિત માત્રથી (કેકાવાણી સાંભળવા માત્રથી) નિયત દેશના અધિકરણયુકત મયૂરની સિદ્ધિ શું થાય ? સારાંશ એમ છે કે હેતુ ત્યાં હોવો જ જોઈએ એવો આગ્રહ જો ન રાખીએ તો ગમે તે બીજા ક્ષેત્રમાં કેકાવાણી સાંભળી હોય તો વિવક્ષિત ચાલુ ક્ષેત્રમાં પણ મયૂરની સિદ્ધિ થવી જોઇએ. તે શું થાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy