SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ પરિચ્છેદ ૬-૫૧ सन्दिग्धाश्रयैकदेशासिद्धोऽपि तथैव । आश्रयसन्दिग्धवृत्त्यसिद्धोऽपि न साधुः, यतो यदि पक्षधर्मत्वं गमकत्वाङ्गमङ्गीकृतं स्यात् तदा स्यादयं दोषः, न चैवम् । तत्किमाश्रयवृत्त्यनिश्चयेऽपि केकायितान्नियतदेशाधिकरणमयूरसिद्धिर्भवतु ? नैवम्, केकायितमात्रं हि मयूरमात्रेणैवाविनाभूतं निश्चितमिति तदेव गमयति । देशविशेषविशिष्टिमयूरसिद्धौ तु देशविशेषविशिष्टस्यैव के कायितस्याविनाभावावसाय इति के कायितमात्रस्य तद्व्यभिचारसम्भवादेवागमकत्वम् । રત્નાકરાવતારિકા ભાગ-૩ હવે આઠમા નંબરના “સંદિગ્ધાશ્રયાસિદ્ધતા” એ હેતુદોષનું ખંડન કરતાં ગ્રંથકાર કહે છે કે આ પણ હેતુદોષ નથી. (અર્થાત્ પક્ષદોષ છે. પરંતુ હેતુનો દોષ ન હોવાથી હેત્વાભાસ નથી). કારણકે હેતુનો સાધ્યની સાથે અવિનાભાવ સંબંધ સંપૂર્ણપણે ઘટે જ છે તો હેત્વાભાસ કેમ કહેવાય ? આ હેત્વાભાસનું જ્યારે પૂર્વ વર્ણન પૃષ્ઠ-૫૮માં આવેલું. ત્યારે તેમાં એવું એક ઉદાહરણ આપ્યું છે કે મયં, આયો શૌ:, નનવર્શનોત્પન્નામવાત્ ગવય નામનું જંગલી પ્રાણી જ છે. તેમાં કોઇ એક પુરુષને ગ્રામ્યગાયનો સંદેહ થયો. તેથી આ ગ્રામ્યગાય જ છે. એમ માનીને તેની નજીક જાય છે. હાથથી સ્પર્ધાદિ કરવા જાય છે. એવામાં તે આરણ્યક ગાય હોવાથી તોફાને ચડે છે. મારવા ધસે છે. ત્યારે તે પુરુષ આ અનુમાન કરે છે. અહીં જે જે જનદર્શનોત્પન્ન ત્રાસવાન્ હોય (લોકોને દેખતાં જ ત્રાસ ઉત્પન્ન થાય તેવું) તે તે આરણ્યક ગાય હોય એમ હેતુનો સાધ્યની સાથે અવિનાભાવ સંબંધ બરાબર સંભવે જ છે. તેથી સાધ્યસિદ્ધિ થાય જ છે. અને હેતુ સાધ્યનો ગમક પણ બને જ છે. માટે સહેતુ છે. હેત્વાભાસ નથી. ફક્ત અહીં આ પ્રાણી જંગલી ગાય હોવા છતાં તેમાં ગ્રામ્યગાયનો સંદેહ તે પુરુષ જે કર્યો તે પક્ષદોષ કહેવાય છે. કારણકે સૂત્રમાં કહેલા લક્ષણવાળા ધર્મની અપ્રસિદ્ધિ તે પક્ષદોષ કહેવાય છે. સૂત્રમાં પક્ષનું લક્ષણ ત્રીજા પરિચ્છેદના ૨૦મા સૂત્રમાં આવા પ્રકારનું કહ્યું છે. સાધ્યધર્મ વિશિષ્ટ પણે જે પ્રસિદ્ધ ધર્મી હોય તેને જ પક્ષ કહેવાય છે. સંદેહાત્મક એવા આ ધર્મીમાં ઉપરોક્ત પ્રસિદ્ધિ નથી. તેથી પક્ષદોષ હોવાથી જ આ ગતાર્થ થઇ જ જાય છે. માટે હેતુદોષ છે એમ ન વિચારવું. Jain Education International સંદિગ્ધાશ્રયાસિદ્ધ એ જો હેત્વાભાસ નથી તો તે જ પ્રમાણે તેના પછીનો નવ નંબરવાળો સંદિગ્ધાશ્રયૈકદેશાસિદ્ધ એ પણ હેત્વાભાસ નથી પરંતુ માત્ર પક્ષદોષ જ છે તે સ્વયં સમજી લેવું. જેમ શોત્વન સન્દ્રિદ્યમાને વયે વિશ્વ સરન્યાવતો ગાવી નનવર્ગનોત્વનત્રાસાત્ અહીં વય તથા ો બન્નેનો સંયુક્ત તો શબ્દથી પક્ષ બનાવ્યો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy