SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૫ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૨૩,૨૪, રત્નાકરાવતારિકા વર્તમાનકાલીન શબ્દ શ્રોત્રપ્રત્યક્ષથી અને ભૂત-ભાવિનો શબ્દ અવિદ્યમાન હોવાથી વિકલ્પથી સિદ્ધ " છે. માટે ઉભયસિદ્ધિ ધર્મી કહેવાય છે. આ પ્રમાણે સ્વાર્થનુમાનનું વર્ણન સમાપ્ત થયું. [૩-૨રા अधुना परार्थानुमानं प्ररूपयन्ति - पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमुपचारात् ॥३-२३॥ હવે પરાથનુમાન સમજાવે છે - પક્ષ અને હેતુ એમ બન્નેના પ્રતિપાદનવાળું જે વચન તે પરાર્થોનુમાન ઉપચારથી કહેવાય છે. ૩-૨૩ ટીકા - પાવરનાન્મિ જ પર્યાનમાની ચુતમત્તિપ્રતિપાપેક્ષSિત્રોતમ્ મતિવુંत्पन्नमतिप्रतिपाद्याऽपेक्षया तु धूमोऽत्र दृश्यत इत्यादि हेतुवचनमात्रात्मकमपि तद् भवति। बाहुल्येन तत्प्रयोगाभावात्तु नैतत्साक्षात्सूत्रे सूत्रितम् । उपलक्षितं तु द्रष्टव्यम् । मन्दमतिप्रतिपायापेक्षया तु दृष्टान्तादिवचनात्मकमपि तद् भवति । यद् वक्ष्यन्ति "मन्दमतीस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि" (३-४२) इति । पक्षहेतुवचनस्य च जडरूपतया मुख्यतः प्रामाण्याऽयोगे सति उपचारादित्युक्तम् । कारणे कार्योपचारादित्यर्थः । प्रतिपाद्यगतं हि यज्ज्ञानं तस्य कारणं पक्षादिवचनम् । कार्ये कारणोपचाराद् वा । प्रतिपादकगतं हि यत् स्वार्थानुमानं तस्य कार्यं तद् वचनमिति ॥३-२३॥ ટીકાનુવાદ :- પક્ષ અને હેતુવાળું જે વચન તે પરાથનુમાન છે એમ અહીં જે કહેવામાં આવ્યું છે તે વ્યુત્પન્નમતિવાળા પ્રતિપાઘ (શ્રોતા) ની અપેક્ષાએ કહ્યું છે એમ સમજવું. કારણ કે જો શ્રોતા અતિવ્યુત્પન્ન મતિવાળો હોય તો, તેવા અતિવ્યુત્પન્નમતિવાળા શ્રોતાને આશ્રયી તો “અહીં ધૂમ દેખાય છે' એટલું જ માત્ર હેતુવાળુ વચન પણ બોધનો હેતુ હોવાથી પરાર્થાનુમાન કહેવાય છે. પરંતુ અતિવ્યુત્પન્ન મતિવાળા જીવો ઘણા ઓછા હોય છે. તેથી બહુલતાએ - ઘણું કરીને તેનો (એકલા હેતુવચનવાળા પરાથનુમાનનો) પ્રયોગ થતો ન હોવાથી સૂત્રમાં સાક્ષાત્ આ પરાથનુમાન કહ્યું નથી. પરંતુ ઉપલક્ષણથી સમજી લેવું. તથા વળી મન્દીમતિવાળા પ્રતિપાળ (શ્રોતા) ની અપેક્ષાએ તો દષ્ટાન્તાદિ (દષ્ટાન્ત-ઉપનયઅને નિગમન આદિ) રૂપ વચનો પણ (પરાથનુમાન) કહેવાય છે. ગ્રંથકારશ્રી પોતે જ આગળ ઉપર કહેશે કે “મન્દમતિવાળા જીવોને સમજાવવા માટે દષ્ટાન્ત ઉપનય અને નિગમનનો પણ પ્રયોગ કરવો” સૂત્ર ૩-૪૨). સારાંશ એ છે કે શ્રોતા ત્રણ જાતના હોય છે. (૧) અતિ વ્યુત્પન્નમતિવાળા, (૨) વ્યુત્પન્નમતિવાળા, (૩) મન્દમતિવાળા, આ ત્રણે પ્રકારના શ્રોતાને આશ્રયી ભિન્ન ભિન્ન પ્રકારે અનુમાન પ્રયોગ હોય છે. (૧) અતિવ્યુત્પન્નમતિવાળાને આશ્રયી માત્ર હેતુવચન જ પરાર્થાનુમાન છે. (૨) વ્યુત્પન્નમતિવાળાને આશ્રયી “પક્ષ-હેતુ” વચનાત્મક પરાર્થનુમાન છે. (૩) અવ્યુત્પન્નમતિવાળાને આશ્રયી “દષ્ટાન્તાદિ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy