SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા તર્ક પ્રમાણનું નિરૂપણ એક પદાર્થને સાક્ષાત્ મનથી વિચારતાં, અને પશ્યતથાપાં સામે નિહાળતાં આ પ્રત્યભિજ્ઞા જ થઈ. બૌધ્ધ :- જે ગાય આદિ પદાર્થ પૂર્વે અનુભવ્યા છે. તે હાલ અહીં વિદ્યમાન નથી. માત્ર મનથી જ તેની વિકલ્પના કરાય છે. તેવા પદાર્થને જણાવવા ‘“નેન'' શબ્દનો પ્રયોગ કેમ થાય? તદ્ અને ડ્વમ્ આ બન્ને સર્વનામો ‘આ અને પેલુ'' એમ નજીક અને દૂર પણ પ્રત્યક્ષ વસ્તુને જ જણાવનારા છે. આ ઘટ છે. પેલો ઘટ છે. પરંતુ બન્ને વાકયોમાં વપરાતાં આ સર્વનામો હાજરવિદ્યમાન વસ્તુનાં જ બોધક છે. પરોક્ષવસ્તુનાં બોધક નથી. અને અહીં ‘‘અનેન’ શબ્દમાં વપરાયેલું મ્ સર્વનામ પરોક્ષ એવા ગવાદિનું બોધક કેમ થયું? = જૈન :- જો કે પતર્ અને મ્ સર્વનામો પ્રત્યક્ષપદાર્થનાં જ બોધક છે. તો પણ પરોક્ષવસ્તુને પણ જાણે આપણી સામે સાક્ષાત્ જ હોય નહીં શું ? એમ અધ્યવસાય કરતા હોઈએ ત્યારે પરોક્ષપદાર્થમાં પણ પ્રત્યક્ષવાચી સર્વનામનો પરામર્શ થાય છે. જેમ કે “આ અગ્નિ અહીં અનુમાન કરાય છે” આ વાકયનો ભાવાર્થ એ છે કે મહાનસાદિમાં જે અગ્નિ આપણે પહેલાં જોયેલો તે જ આ અગ્નિ પર્વતાદિમાં અનુમાન કરાય છે. અહીં વાકયમાં વપરાયેલો છો શબ્દ પ્રત્યક્ષવાચી હોવા છતાં પરોક્ષ વહ્નિને પ્રત્યક્ષની જેમ જણાવે છે. તથા ‘આ વાકયનો આ અર્થ છે” આ ઉદાહરણમાં કોઈપણ એક વાકય બોલાયા પછી જ્યારે તેનો અર્થ સમજાવાય છે. ત્યારે તે ઉચ્ચરિત વાકય નષ્ટ થયેલું હોવાથી પરોક્ષ છે છતાં નિકટકાલવર્તી હોવાથી જાણે પ્રત્યક્ષ જ હોય તેમ અસ્વ માં વપરાયેલા મ્ શબ્દનો અર્થ છે. માટે પ્રત્યક્ષ અર્થ સૂચક પણ તવું અને મ્ સર્વનામો પરોક્ષ પદાર્થના પણ સૂચક બની શકે છે તેમ ‘‘આ ગવય પૂર્વે જોયેલી અનેન= આ ગાયની સાથે સદશ છે એમાં મ્ શબ્દનો પ્રયોગ યથાર્થ જ છે. આ પ્રમાણે જ્યાં પૂર્વાનુભૂતનું સ્મરણ હોય ત્યાં તે વાકય પ્રત્યભિજ્ઞાનું જ છે એમ જાણવું. ૩૯૪ બીજા ગવય આદિ પદાર્થને નજર અને જ્યારે ગાય પણ સામે હાજર હોય અને ગવય પણ સામે હાજર હોય, મયં તુ એમ બન્ને નજર સામે વિદ્યમાન હોય અને બન્નેને પ્રત્યક્ષપ્રમાણ વડે દેખતા હોઈએ અને તે જ વખતે તે બન્નેની વચ્ચે સાદશ્યની કલ્પના કરતા હોઈએ તો આ વાક્ય પ્રત્યક્ષપ્રમાણ જ છે. પ્રત્યભિજ્ઞા નથી. કારણ કે પ્રત્યભિજ્ઞામાં તો ‘‘અનુમવસ્મૃતિદેતુ'' અનુભવ અને સ્મૃતિ એમ બે હેતુ છે જ્યારે આ જ્ઞાનમાં તો ફક્ત અનુભવ જ હેતુ છે. દા तर्कमपि कारणगोचरस्वरूपैः प्ररूपयन्ति उपलम्भानुपलम्भसम्भवं, त्रिकालीकलितसाध्यसाधनसम्बन्धालम्बनं, “ इदमस्मिन् सत्येव भवति" इत्याद्याकारं संवेदनमूहापरनामा तर्कः ॥ ३-७॥ Jain Education International સ્મૃતિ અને પ્રત્યભિજ્ઞા એમ બે પરોક્ષપ્રમાણ કહીને હવે ત્રીજું તર્ક નામનું જે પરોક્ષપ્રમાણ છે તેને (૧) કારણ, (૨) વિષય અને (૩) સ્વરૂપ વડે સમજાવે છે. ઉપલબ્ધિ અને અનુપલબ્ધિથી ઉત્પન્ન થનારૂં, ત્રણે કાળથી કલિત (યુક્ત) એવા સાધ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy