SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૯ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫ રત્નાકરાવતારિકા પરંતુ એકાન્ત ભેદ ન હોવાથી મૃત્ સ્વરૂપ એકદ્રવ્યની તાદાત્મતા બન્ને કાલે હોય જ છે. મુગરાદિ વડે કરાતો નાશ ઘટાદિથી ભિન્ન હોવા છતાં જો ઘટનો નાશ થાય છે તો પટાદિનો પણ નાશ થવો જોઈએ કારણ કે તે નાશ પટાદિથી પણ ભિન્ન છે. એવી દલીલ બૌધ્ધ પૂર્વે જે કરી હતી તેનો ઉત્તર આપતાં ટીકાકારથી જણાવે છે કે ઘટ અને નાશની વચ્ચેનો આ ભેદ એ એકાન્ત ભેદ નથી માટે ન વં ઘટવટર આ પ્રમાણે મુર્ગારાદિ પડવાથી જેમ ઘટનો નાશ થાય છે તેની જેમ પટનો પણ તત્પત્તિઃ = નાશ થવાની આપત્તિ આવશે એમ છે બૌધ્ધ ! ન કહેવું. કારણ કે ઘટનો નાશ થવા છતાં તે નાશ માટી દ્રવ્યના તાદા પણે ઉત્પાદની જેમ અવસ્થાન પામતો હોવાથી, અર્થાત્ મૃપિંડ કાલે પણ માટી છે અને તેમાંથી ઘડો ઉત્પન્ન થાય તો પણ તેમાં માટી છે. એટલે જેમ ઉત્પાદકાલે મુસ્પિડમાં અને ઘટમાં માટી દ્રવ્યનું તાદાભ્યપણું રહે છે. તેવી જ રીતે ઘટનો મુદગરાદિ વડે વિનાશ થાય ત્યારે પણ ઘટકા અને કપાલકાલે મૃદદ્રવ્ય તાદામ્યપણે વર્ત જ છે. એટલે ઘટના નાશમાં મૃદદ્રવ્યનો અન્વય છે તેવો માટી દ્રવ્યનો અન્વય પટના નાશમાં નથી. માટે પટનો નાશ થતો નથી. ઘટ અને ઘટનાશ આ બન્નેની વચ્ચે અમે કથંચિત્ જ ભેદ માનીએ છીએ એકાન્ત ભેદ માનતા જ નથી કે જેથી પટનાશાદિ દોષો અમને આવે, તથા ના ૨ સર્વથા તાવાગ્યમ્ = સર્વથા તાદામ્ય (અભેદ) પણ અમે (જૈનો) કહેતા નથી જો સર્વથા અભેદ કહીએ તો તતરસ્ય = તે ઘટ અને નાશ આ બેમાંથી કોઈ પણ એકના મસલ્તાપત્તે = અસપણાની (એટલે બેમાંથી એક જ હોય બીજો ન હોય તેવા અભાવની જ) આપત્તિ આવે. કારણ કે ઘટ અને ઘટનાશ આ બન્ને જો સર્વથા અભિન્ન હોય તો ઘટકાલે પણ ઘટનાશ વિદ્યમાન હોવાથી ઘટ રહેશે નહીં અને ઘટનાશકાલે પાણ ઘટ વિદ્યમાન હોવાથી ઘટનાશ રહેશે નહીં અર્થાત્ ઘટ અને ઘટનાશ બન્ને સર્વથા અભેદ થવાથી બેમાંથી એક જ રહે. અને બાકીના અન્યતરની (ગમે તે એકની) અસત્યપાણાની પ્રાપ્તિ આવે પરંતુ કથંચિત્ જ (દ્રવ્યમાત્રની અપેક્ષાએ જ) અભેદ છે. પર્યાયની અપેક્ષાએ ભેદ પણ છે જ એવું એમ માનીએ છીએ. તેથી કંઈ દોષ નથી. ન જૈવમત્ર વિરોધાવરોધઃ = અમે જૈનો દ્રવ્ય અપેક્ષાએ અભેદ, અને પર્યાય અપેક્ષાએ ભેદ માનીએ એટલે ભેદ-અભેદ શબ્દો પરસ્પર વિરોધી હોવાથી વિરોધ નકકી આવશે. એમ પણ અહીં હે બૌધ્ધ ! તારે ન કહેવું. ભેદ માનવામાં પર્યાયની અપેક્ષા અને અભેદ માનવામાં દ્રવ્યની અપેક્ષા હોવાથી ચિત્રજ્ઞાનની જેમ કંઈ પણ વિરોધ નથી. જો તમે અમારી આ વાત નહીં માનો તો ઉત્પાદમાં પણ મૃપિંડ અને ઘટમાં તમને પણ તદ્દા પરેઃ ભેદ - અભેદનો વિરોધ આવશે જ. આટલી લાંબી લાંબી ચર્ચાના અંતે બૌધ્ધોએ જે પૂર્વે પદાર્થોમાં પોતાના વિચારો પ્રમાણે વિનાશ પ્રત્યે અનપેક્ષતા” (સહકારી કારણોની અપેક્ષા નથી) એવું જે કહ્યું હતું તે આ રીતે અસિધ્ધ થયું. (ખોટુ છે એમ સાબિત થયું) તથા વિનાશ એ નિરપેક્ષ નથી પણ સહકારી કારણો વડે જ થાય છે તેથી જ્યારે સહકારી કારણો મળે ત્યારે જ ઘટાદિપદાર્થોનો વિનાશ થાય છે . પરંતુ પ્રતિક્ષણે વિનાશ થતો નથી ક્ષણવિનાશી સ્વભાવે તે જન્મો જ નથી. મતઃ આ કારણથી મિસિસમાવવમવદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy