SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૯ પંચમ પરિચ્છેદ સૂત્ર-૧ રત્નાકરાવતારિકા અર્પણા) કરવામાં આવે તો જેમ વ્યક્તિએ વ્યક્તિએ વિસદશતા ભિન્ન ભિન્ન છે તે જ રીતે તે સદશપરિણામ સ્વરૂપ સામાન્ય પણ પ્રત્યેક વ્યકિતવાર ભિન્ન ભિન્ન જ છે. માટે અનેકપણે પણ અપેક્ષાવિશેષે છે જ. જેમ શાબલેય-બાહુલેય આદિ વિશેષો (વિસદશપરિણામો) અનેક છે તેમ પ્રત્યેક ગાયોમાં રહેલું ગોત્વ પણ વ્યક્તિવાર વિચારીએ તો વ્યક્તિ અનેક હોવાથી ગોત્વ પણ અનેક છે જ. અને તેને જ સંગ્રહનયની પ્રધાનતાએ આ પણ ગોત્વ અને તે પણ ગોત્વ, બન્ને સમાન જ છે એમ વિચારીએ તો એક પાગ છે જ. આ પ્રમાણે સામાન્ય પાગ એક અને અનેકરૂપ છે તથા વિશેષો પાણ એક અને અનેક રૂપ છે માટે સામાન્ય અને વિશેષ એ બન્ને વચ્ચે પરસ્પર વિરૂધ્ધધર્મવાળાપણું અસિધ્ધ છે. આ પ્રમાણે હે નાયિકો ! તમે આ ચર્ચાના પ્રારંભમાં જે અનુમાન અમારી (જેનોની) સામે રજુ કરેલું કે “સામાન્યવિરોષ' પક્ષ, ““અત્યન્તમિસ્ત્રી'' સાધ્ય, “વિરૂદ્ધધર્મધ્યાસત્યા' હેતુ, યથા પાથ:પવિૌ ઉદાહરાગ, તમારા બતાવેલા આ અનુમાનમાં જે વિરૂધ્ધધર્માધ્યાસત્વ હેતુ કહેવામાં આવ્યો છે તે જો “સર્વથા' લેવામાં આવે તો તમારો આ હેતુ “અસિધ્ધહેવાભાસ' થાય છે. કારણ કે અમે જણાવેલી ઉપરોકત ચર્ચા પ્રમાણે સામાન્ય અને વિશેષની વચ્ચે અત્યન્ત વિરૂધ્ધધર્માધ્યાસત્વ સંભવતું જ નથી. માટે આ હેતુ પક્ષમાં ન વર્તતો હોવાથી અસિધ્ધ હેત્વાભાસ થાય છે અને જો તમે “થગ્નિતુ” જ વિરૂધ્ધધર્માધ્યાત્વ હેતુ કહેવાને ઇચ્છતા હો તો તે હેતુ અમને માન્ય પાગ છે અને પક્ષમાં વર્તે પાગ છે તેથી અસિધ્ધહેત્વાભાસ નથી. પરંતુ સાધ્યના અભાવમાં જ તે હેતુ વર્તતો હોવાથી વિરૂધ્ધ હેત્વાભાસ જ થાય છે. કારણકે તમારૂં સાધ્ય છે અત્યન્નભિન્નત્વ, તેના અભાવ રૂપ જે કથંચિભિન્નત્વ, ત્યાં જ આ કથંચિદ્વિરૂધ્ધધર્માધ્યાસત્વ હેતુ વર્તે છે. એટલે કે કથંચિ વિરૂધ્ધધર્માધ્યાસત્વ હેતુ કથંચિભેદ (સ્વરૂપ સાધ્યાભાવ)ની સાથે જ અવિનાભાવી છે. (પરંતુ સાધ્યની સાથે નથી) માટે તમારો આ હેતુ વિરૂધ્ધ હેત્વાભાસ બને છે. તેથી તમારી વાત બરાબર નથી. पाथ:पावकस्वरूपो दृष्टान्तोऽप्युभयविफलः, तयोरपि कथञ्चिदेव विरुध्धधर्माध्यस्तत्वेन भिन्नत्वेन च स्वीकरणात् । पयस्त्वपावकत्वादिना हि तयोविरुद्धधर्माध्यासो भेदश्व, द्रव्यत्वादिना पुनस्तद्वैपरीत्यमिति, तथा च कथं न सामान्यविशेषात्मकत्वं घटादेर्घटते इति ॥५-१॥ તથા તમારા અનુમાનમાં જણાવેલું જલ અને અગ્નિ સ્વરૂપ જે ઉદાહરણ છે તે પણ સાધ્ય અને સાધન એમ બન્નેથી રહિત છે. અન્વયવ્યાપ્તિમાં જણાવાતું ઉદાહરણ સદા સાધ્ય - સાધન યુકત જ હોવું જોઈએ જેમ કે યત્ર ધૂમતંત્ર દિન: યથા માનસમ્, પરંતુ તમારું આ જલવાહિનનું ઉદાહરાગ સાધ્ય અને સાધન એમ ઉભયથી વિકસે છે. કારણ કે તે જલ અને વહ્નિ પાણ કથંચિત્ જ વિરૂધ્ધધર્મથી યુકત છે અને કથંચિત્ જ ભિન્ન મનાયેલાં છે. સર્વથા વિરૂધ્ધ ધર્મયુક્તત્વ અને સર્વથા ભિન્નત્વ ત્યાં નથી. જલમાં પયસ્વ જે છે તે વહ્નિમાં નથી અને વહ્નિમાં જે પાવકત્વ છે તે જલમાં નથી માટે પર્વ અને પાવકત્વ ધર્મની અપેક્ષાએ તે જલ અને વલિની અંદર અવશ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy