SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૭ ૬૭૨ ધર્મને તે જ્ઞાન કેમ જાણી શકે ? અને જે બન્ને આકારને ધારણ કરે તો દેશકારધારિત્વ કહેવાય નહીં. અને જ્ઞાન પોતે પણ જડ બની જાય. તે કેવી રીતે અર્થબોધ કરાવે ? - જિગ્ન, ટેરોનાથારપારિત્વીત્ = તથા વળી જ્ઞાન જો જોયગત દેશ આકારતાને ધારાગ કરતું હોય અને જે દેશરૂપાકારતાને ધારણ કરે તે ધર્મ વિશિષ્ટ અર્થને ગ્રહણ કરતું હોય (જણાવી શકતું હોય) તો દેશથી જેમ અર્થગત નીલાકારને ધારણ કરે છે એટલે નીલ-અર્થ જણાવે છે તેની જેમ સર્વ પદાથોને પણ જ્ઞાનવડે ગ્રહણની (જણાવવાની) આપત્તિ આવશે. કારણ કે તે ઘટ પટાદિ શેયગત નીલાકારતા જ્ઞાનમાં પડે તો નીલતાનો જેમ બોધ થાય છે તેમ તે જ ઘટપટાદિ યગત સક્રિય એટલે અસ્તિત્વાદિ ધમોને પણ આ જ્ઞાન ધારણ કરશે અને તે અસ્તિત્વાદિ ધમાં સર્વત્ર = સંસારવર્તી સર્વપદાર્થોમાં અવિશેષ હોવાથી અસ્તિત્વરૂપ દેશભૂતધર્મનું અર્થાકારધારિત્વ અવિશેષ હોવાથી આ જ્ઞાન અસ્તિત્વ ધર્મને પોતે ધારણ કરતું હોવાથી અને તે ધર્મવાળા સંસારવર્તી સર્વ પદાર્થો સરખા હોવાથી સર્વપદાર્થોનું જ્ઞાન થવાનો પણ પ્રસંગ આવશે. अथ तदविशेषेऽपि नीलाद्याकारदैलक्षण्यानिखिलार्थानामग्रहणम्, तर्हि समानाकाराणां समस्तानां ग्रहणापत्तिः । अथ यत एव ज्ञानमुत्पद्यते तस्यैवाकारानुकरणद्वारेण ग्राहकम् । हन्त ? एवमपि समानार्थसमनन्तरप्रत्ययस्य तद्ग्राहकं स्यादित्युक्तम् । ततो न तदुत्पत्ति- तदाकारताभ्यां प्रतिनियतार्थावभासः, किन्तु प्रतिबन्धकापगमविशेषादिति सिद्धम् ॥४-४७॥ હવે કદાચ ઈતરદર્શનકારો અહીં પોતાના તરફથી જો આવો બચાવ કરે કે ઘટપટાદિ શેયગત અસ્તિત્વાદિ સામાન્ય ધર્મની આકારતા જ્ઞાનમાં આવવા છતાં, અને તેના દ્વારા સર્વ પદાર્થો સમાન હોવાથી સર્વપદાથનો બોધ થવાની શક્યતા હોવા છતાં પાગ નીલાદિ આકારોને પણ આ જ્ઞાને ધારણ કર્યા છે અને આ નીલાદિ આકારો વૈલક્ષણ્યાત્મક છે. એટલે વિશિષ્ટ છે. અર્થાત્ સર્વ દ્રવ્યવ્યાપી નથી. અમુક જ દ્રવ્યવ્યાપી છે માટે જ વિશિષ્ટ છે એટલે કે વૈલક્ષણ્યાત્મક છે અને આવા વૈલક્ષયાત્મક નીલાદિ આકારોનું ધારિત્વ હોવાથી અને તે ધર્મો સર્વગત ન હોવાથી સર્વ પદાર્થોને ગ્રહણ કરવાની આપત્તિ અમને આવતી નથી. આવું જો ઈતરદર્શનકારો કહે તો સમાનારાનાં સમરતાનાં = સમાન આકાર વાળા એવા સમસ્ત પદાર્થોનો તો બોધ થવો જ જોઈએ એવી આપત્તિ આવશે એટલે કે સંસારવર્તી અસ્તિત્વધવાળા સર્વપદાથોને ગ્રહણ કરવાની આપત્તિ વિશિષ્ટધર્મનીલાદિનો આકાર હોવાથી ભલે ન આવો પરંતુ નીલધર્મ વાળા આ સંસારમાં જેટલા જેટલા પદાર્થો હોય તે તે સર્વ-સમા દાથ નીલાદિ આકારની અપેક્ષાએ સમાન આકારવાળા છે તે તો સર્વે જગાઈ જ જશે એવી આપત્તિ તો તમને અવશ્ય આવશે જ. - ઈતરદર્શનકાર - ૩પથ લત પર્વ જ્ઞાનમુદ્યતે = હવે કદાચ અન્ય દર્શનકારો આવો બચાવ કરે કે કેવળ એકલી જોયગત દેશીકારતાને ધારણ કરવા રૂપ તદાકારતા જ વિષયનો બોધ કરાવે છે એમ નહીં (જો એમ હોત તો એક ઘટગત નીલાકારતાને ધારણ કરવાથી સર્વનીલાકારયુક્ત પદાર્થોનો બોધ થઈ જવાની આપત્તિ અમને ચોકકસ આવત.) પરંતુ અમે એમ કહીએ છીએ કે દેશથી તદાકારતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy