SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૭ સમભંગીનું સ્વરૂપ રત્નાકરાવતારિકા રૂપ છે તેમ પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિ રૂપ પણ છે. હવે જો તેમાં પરદ્રવ્યાદિની અપેક્ષાએ જે અસત્વ (નાસ્તિપણુ) અંદર રહેલું છે તે નિરો ન માનીએ તો, એટલે કે ઘટ-પટ આદિ પદાર્થોમાં જેમ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિપણું હોવાથી નાસ્તિપણું નથી એમ માનવામાં આવે છે તેની જેમ પરદ્રવ્યાદિની અપેક્ષાએ પણ તે પદાર્થોમાં નાસ્તિપણું નથી જ, એમ જો માનવામાં આવે તો ઘટપટાદિ પદાર્થો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ પણ નાસ્તિ નથી અને પરદ્રવ્યાદિથી પણ નાસ્તિ નથી એમ થવાથી ઉભયરૂપે માત્ર અસ્તિત્વ જ સિદ્ધ થવાથી કોઈ ચોક્કસ પ્રતિનિયત સ્વરૂપ સિદ્ધ ન થવાથી આ ઘટ એ ઘટ જ છે પણ પટ નથી, અને આ પટ એ પટ જ છે, પરંતુ ઘટ નથી એમ અમુક ચોક્કસ જે સ્વરૂપ છે તે ઘટી શકશે નહીં. તેથી તે પ્રતિનિયત સ્વરૂપ માનવાનો વિરોધ આવશે. અહીં કેટલાક અસ્તિત્વના એકાન્તવાદીઓ (અદ્વૈતવાદી વેદાન્તિકો-વેદાન્તદર્શનકારો) કદાચ આવી શંકા કરે કે સંસારમાં સર્વ ઠેકાણે “તું” માત્ર જ છે સત્ સિવાય બીજું કંઈ છે જ નહીં. માત્ર “તું” એ જ એક (અદ્વૈત) જ જગતમાં છે. તેથી નાસ્તિત્વ પણ છે એવું જૈનોનું કથન બરાબર નથી. આવી શંકા અદ્વૈતવાદીઓ અહીં કરી શકે છે. તેને ગુરૂજી સમજાવતાં કહે છે કે - અસ્તિત્વના એકાન્તવાદિઓએ અહીં (આ ચર્ચામાં) નાસ્તિત્વ એ અસિદ્ધ છે (નાસ્તિત્વ જે જૈનોએ માનેલું છે તે ખોટું છે) એમ કહેવું નહીં કારણ કે વસ્તુનિ = સર્વ વસ્તુઓમાં તસ્ય = તે નાસ્તિત્વ પણ જયંત્િ - અપેક્ષાવિશેષે સાધવત્ = હેતુની જેમ પુસદ્ધવાન્ = યુક્તિસિદ્ધ છે. તે આ પ્રમાણે - એકાન્ત અસ્તિત્વવાદીઓનું આવું અનુમાન છે કે “ટપટરબ્રાયઃ પાથઃ નિત્યાઃ સર્વત્ આ અનુમાનમાં “જ્યાં જ્યાં સત્ત્વ છે ત્યાં ત્યાં અનિત્યત્વ છે એ અન્વયવ્યાપ્તિ અને જ્યાં જ્યાં અનિત્યત્વ ન હોય ત્યાં ત્યાં સત્ત્વનું ન હોવું તે વ્યતિરેકવ્યાપ્તિ છે. હવે અમે તમને પુછીએ છીએ કે તમારો આ સર્વ હેતુ સાધ્યાભાવમાં- વિપક્ષમાં છે કે નથી ? જો “છે” એમ કહેશો તો વિપક્ષમાં હેતુ વર્તતો હોવાથી વ્યભિચારી હેત્વાભાસ થશે. અને જો આ હેતુ વિપક્ષમાં નથી એમ કહેશો તો તમે પણ નાસ્તિત્વ સ્વીકાર્યું. માટે અનિત્યસ્વાદિ સાધ્ય સાધવામાં સત્ત્વાદિ હેતુનું અસ્તિત્વ, તે વિપક્ષમાં નાસ્તિત્વ માન્યા વિના સિદ્ધ થશે નહીં. અને જો વિપક્ષમાં નાસ્તિત્વ નહી માનો તો વિપક્ષમાં હેતુનું અસ્તિત્વ થવાથી તે “સત્વ” હેતુ વ્યભિચારી હેત્વાભાસ થવાનો પ્રસંગ આવશે. માટે “સત્વ”ની જેમ “અસત્વ” પણ વસ્તુનું સ્વરૂપ છે જ. ___अथ यदेव नियतं साध्यसद्भावेऽस्तित्वं तदेव साध्याभावे साधनस्य नास्तित्वमभिधीयते । तत्कथं प्रतिषेध्यम् ? स्वरूपस्य प्रतिषेध्यत्वानुपपत्तेः, साध्यसद्भावे नास्तित्वं तु यत् तत्प्रतिषेध्यम् । तेनाविनाभावित्वे साध्यसद्भावास्तित्वस्य व्याघातात् तेनैव स्वरूपेणास्ति नास्ति चेति प्रतीत्यभावादिति चेत् . तदसत् । एवं हेतोस्त्रिरूपत्वविरोधात्, विपक्षासत्त्वस्य तात्विकस्याभावात्, यदि चायं भावाभावयोरेकत्वमाचक्षीत, तदा सर्वदा न कचित् प्रवर्तेत, नापि कुतश्चिन्निवर्तेत, प्रवृत्तिनिवृत्तिविषयस्य भावस्या Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy