SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૪ રત્નાકરાવતારિકા પ્રશ્ન :- સ્મરણનું આવું લક્ષણ કરશો તો તે લક્ષણ પ્રત્યભિજ્ઞાનમાં પણ જશે. એટલે કે જેમ સ્મરણમાં તત્ શબ્દનો પ્રયોગ હોય છે તેવી જ રીતે પ્રત્યભિજ્ઞાનમાં પણ “સવ વન્ માં સ: એ તત્ શબ્દનું જ રૂપ હોવાથી તત્ શબ્દનો પ્રયોગ છે જ. તેથી સ્મરણનું કરેલું લક્ષણ પ્રત્યભિજ્ઞાનમાં ચાલ્યું જવાથી અતિવ્યાપ્તિ દોષ આવવાનો પ્રસંગ આવશે. કારણ કે તત્ શબ્દનો પ્રયોગ બન્નેમાં જણાય છે. ઉત્તર ઃ- મૈં ચૈવમ્ = એમ ન કહેવું. એટલે કે સ્મરણના આ લક્ષણની પ્રત્યભિજ્ઞાનમાં જવાથી અતિવ્યાપ્તિ આવશે એમ ન કહેવું. કારણ કે પ્રત્યભિજ્ઞાનમાં કેવલ તત્ શબ્દનો પ્રયોગ હોતો નથી. તત્ અને મ્ એમ બન્ને શબ્દોનો પ્રયોગ હોય છે. અને ભૂતકાળમાં બની ગયેલા પ્રસંગનું વર્તમાનકાળના પ્રસંગની સાથે અનુસંધાન હોય છે. જ્યારે સ્મરણમાં તો માત્ર ભૂતકાળના પ્રસંગની યાદી જ હોય છે. તે પ્રત્યભિજ્ઞાન હંમેશાં ‘‘સાવ’', “તે જ આ છે” એવા પ્રકારના ભૂતકાળ અને વર્તમાનકાળના અનુસંધાન વાળું મિશ્ર જ હોય છે. આ વાક્યપ્રયોગમાં સઃ જે પાઠ છે તે ભૂતકાળવાચી છે અને અવમ્ જે પાઠ છે તે વર્તમાનકાળવાચી છે. ભૂતકાળમાં અનુભવેલા વિષયનું ‘‘મમ્’’ પદથી વર્તમાનકાળમાં અંગુલિનિર્દેશ કરવા દ્વારા બન્ને કાળના ભાવોનું જોડાણ છે. જ્યારે સ્મરણમાં તેમ નથી. ત્યાં માત્ર ભૂતકાલીન પ્રસંગની સ્મૃતિ જ કરાવાય છે. આ રીતે સ્મૃતિનું લક્ષણ પ્રત્યભિજ્ઞાનમાં ન જવાથી અતિવ્યાપ્તિ આવતી નથી. આ પ્રમાણે ‘‘તત્’' એવા આકારનો જે નિર્દેશ કર્યો છે તે સ્મરણનું સ્વરૂપ સમજાવ્યું છે. આ પ્રમાણે આ સૂત્રમાં સ્મરણનું કારણ-વિષય અને સ્વરૂપ જણાવ્યું છે. ૩૬૭ (૧) સંÓાપ્રોધસભૂતમ્ એ કારણનો નિર્દેશ છે. (૨) અનુભૂતાર્યવિષયમ્ - એ વિષયનો નિર્દેશ છે. અને (૩) તવિત્યાાર્વેનં એ સ્વરૂપનો નિર્દેશ છે. ૫૩-૩ા अत्रोदाहरन्ति ‘તત્તીર્યવિશ્વમ્’ તિ યા ૫રૂ-કા હવે અહીં સ્મરણના વિષયમાં એક ઉદાહરણ ગ્રંથકાર સમજાવે છે. “તે તીર્થંકર પરમાત્માનું બિંબ હતું” આવા પ્રકારનું યાદ કરવું તે સ્મરણ કહેવાય છે. આ સ્મરણનું એક ઉદાહરણ છે. ૫૩-૪૫ ટીકા - તદ્વિતિ યંત્ પ્રર્ પ્રત્યક્ષીકૃતમ્, સ્મૃતમ્, પ્રત્યમિજ્ઞાતમ્, વિતતિમ્, અનુમિતમ્, શ્રુતં વા भगवतस्तीर्थकृतो बिम्बं प्रतिकृतिः तस्य परामर्शः, इत्येवं प्रकारं तच्छन्दपरामृष्टं यद्विज्ञानं तत् सर्वं स्मમિત્વર્થ, I ટીકાનુવાદ “તે તીર્થંકરપ્રભુનુ બિંબ છે. “આ વાક્યમાં જે ‘“” એવા શબ્દનો પ્રયોગ છે તે એમ સૂચવે છે કે ભૂતકાળમાં આપણે જે બિંબ પ્રત્યક્ષ (સાક્ષાત્-ચક્ષુથી) જોયેલું, અથવા Jain Education International : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy