SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૭ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા આ વાત તુલ્ય જ છે. જેમ કે પર્વતો વદ્ધિમાનું પ્રમેયત્વીત્ ઈત્યાદિ અનુમાનોમાં વ્યભિચારી એવા હેતુથી થનારા અનુમેયસંબંધી અપોહમાં પણ પદાર્થપ્રતિબંધ થવો જોઈએ, જેમ ધૂમહેતુથી વહ્નિ પ્રાપ્ત થાય છે. ત્યાં પદાર્થપ્રતિબંધ છે તેવી જ રીતે પ્રમેયત્વહેતુથી પાગ વહ્નિ પ્રાપ્ત થવો જોઈએ. ત્યાં પણ પદાર્થનો પ્રતિબંધ થવો જ જોઈએ એવો પ્રસંગ દોષ તમને આવશે. (અન્યથા એક અનુમાન અપ્રમાણ હોવાથી સર્વ અનુમાન અપ્રમાણ થવાનો શબ્દની જેમ પ્રસંગ આવશે). વિપ્રતારકનો શબ્દ અપ્રમાણ હોવાથી જો સર્વ (યથાર્થી શબ્દોને પણ અપ્રમાણ માનશો તો વ્યભિચારી હેતુવાળુ અનુમાન અપ્રમાણ હોવાથી સહેતુવાળુ અનુમાન પણ અપ્રમાણ જ છે એવું માનવાનો પ્રસંગદોષ તમને આવશે. બૌદ્ધ - મેવત્વે દેવ ના મવતિ = હે જૈન ! પ્રમેયત્વ એ તો હેતુ જ નથી. પર્વતો હિમા પ્રમેયત્વાન્ આ અનુમાનમાં મુકાયેલો જે પ્રમેયત્વ હેતુ છે તે ખરેખર સાચો હેતુ જ નથી. કારાગ કે ત્યાં સાચા હેતુનું જે લક્ષણ છે તે ઘટતું નથી. “વિપક્ષાસવ” સાધ્યાભાવ રૂપ વિપક્ષમાં હેતુનું ન હોવું એ રૂપ તહૃક્ષ = સાચા હેતુનું તે લક્ષણ પ્રયત્નમાં સંભવતું ન હોવાથી તેવા પ્રકારના અનુમાનોમાં થયેલો જે અપહ, તે પદાર્થની સાથે સંબંધવાળો ક્યાંથી બને ? જે સહેતુ હોય છે તેનાથી જ થયેલ અનુમેયનો અપોહ પદાર્થની સાથે સંબંધવાળો હોય છે. પરંતુ જે હેતુ વ્યભિચારાદિ દોષવાળો હોય છે તે હેતુ હેતુ જ ન હોવાથી તેના દ્વારા થયેલો અનુમયનો અપોહ પદાર્થ સાથે સંબંધવાળો હોતો નથી. માટે તેવા વ્યભિચાર આદિ દોષયુક્ત હેતુવાળાં જે જે અનુમાનો હોય છે તે તે અનુમાનો જ અપ્રમાણ કહેવાય છે. પરંતુ સર્વ અનુમાનો અપ્રમાણ કહેવાતાં નથી. જૈન - ત િવિપ્રતાવવામગામ ને મવતિ = હે બૌદ્ધ ! અનુમાન પ્રમાણમાં જો તને આવો વિવેક સૂઝે છે, ડાહી ડાહી બુદ્ધિ આવે છે તો શબ્દપ્રમાણમાં પાગ આ જ ન્યાય કેમ લાગુ ન પડે ? એટલે કે વિપ્રતારકનું વાક્ય પણ (જેમ પ્રમેયત્વ હેતુ સાચો નથી તેમ) સાચુ આગમ નથી કારણ કે પ્રમેયત્વાદિ હેત્વાભાસોમાં “વિપક્ષાસત્ત્વ” એ રૂપ સદ્ હેતુનું લક્ષણ જેમ ઘટતું નથી તેમ વિપ્રતારકનાં વાક્યોમાં પાગ ‘નાતોજીત્વ' રૂપ સાચા આગમનું લક્ષણ ઘટતું નથી. અને તેથી જ ત્યાં પદાર્થની પ્રાપ્તિ ન થાય. પરંતુ સહેતુવાળા અનુમાનમાં જેમ સહેતુનું લક્ષાગ ઘટતું હોવાથી પદાર્થપ્રતિબંધ છે અને તેથી તે અનુમાન જેમ પ્રમાણ મનાય છે. તેવી જ રીતે આસોકત એવા શબ્દોમાં આસોક્તત્વ રૂપ પ્રમાણશબ્દનું લક્ષણ ઘટતું હોવાથી અને ત્યાં પદાર્થપ્રતિબંધ પાણ હોવાથી તે શબ્દોને પ્રમાણ માનવા જોઈએ. શબ્દને પ્રમાણ માનવાની બાબતમાં અનુમાનની જેમ સર્વ સમાન જ વાત છે. यस्तु नाप्तोक्तत्वं वचसि विवेचयितुं शक्यमिति शाक्यो वक्ति, स पर्यनुयोज्यः । किमाप्तस्यैव कस्याप्यभावादेवमभिधीयते ?। भावेऽपि अस्य निश्चयाभावात्, निश्चयेऽपि मौनव्रतिकत्वाद्, वक्तृत्वेऽप्यनाप्तवचनात् तद्वचसो विवेकावधारणाभावाद् वा ?। सर्वमप्येतच्चार्वाकादिवाचां प्रपश्चात् मातापितृपुत्रभ्रातृगुरुसुगतादिवचसां विशेषमातिष्ठमानैरप्रकटनीयमेव । न च नास्ति विशेषस्वीकारः । तत्पठितानुष्ठानघटनायामेव Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy