SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૯ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા લાગશે જ). અમે જૈનોએ કરેલા અનુમાનમાં “અભાવ એ ભાવોત્પાદક નથી” ત્યાં તમે અમને આશ્રયાસિદ્ધિ દોષ આપો છો તો તે જ ન્યાયે જ્યારે તમે આ જ અભાવમાં ઉભયાભાવ સિદ્ધ કરવા અનુમાન કરશો કે “અભાવ ઉભયાભાવવાળો છે” ત્યાં તમને પણ આશ્રયાસિદ્ધ દોષ આવશે જ. અમે જ્યારે વિકલ્પ માત્રથી પક્ષ રજુ કરીએ ત્યારે તમને અમારા અનુમાનમાં દોષ દેખાય છે તો એ જ રીતે તમે પણ ઉભયાભાવ સિદ્ધ કરવા વિકલ્પમાત્રથી જ પક્ષ રજુ કરો છો ત્યારે તમને પણ આશ્રયાસિદ્ધ હેત્વાભાસ દોષ આવે જ છે તે હે તૈયાયિક ! કેમ દેખતા નથી ? શાસ્ત્રોમાં જ કહ્યું છે કે – धर्मस्य क्वचिदवस्तुनि मानसिद्धा, बाधाविधिव्यवहृतिः किमिहास्ति नो वा। अस्त्येव चेत् कथमियन्ति न दूषणानि, नास्त्येव चेत् स्ववचनप्रतिरोधसिद्धिः ॥१॥ अवस्तुनि बाधाविधिव्यवहारो नास्तीत्येतदनेनैव स्ववचनेन प्रतिरुध्यते । नास्तीतिप्रतिषेधस्य स्वयंकृतत्वात्, इत्यन्त्यपादस्यार्थः, तुरङ्गशृङ्गदृष्टान्तोऽपि विकल्पादेव प्रसिद्धः स्वीकर्तव्यः । तत्र च वस्त्वेकान्तव्यतिरेके सति भावानुत्पादकत्वमपि प्रतीतम् । इति नास्य साध्यसाधनोभयवैकल्यम् ॥ વસ્તુનિ મિથ્યાવસ્તુમાં એટલે કે વધ્યાપુત્ર-આકાશપુષ્પાદિ અસતુ વસ્તુમાં વિદ્ ધર્મસ્ય = કોઈપણ ધર્મના (સાધ્યના) વાધાવિધિવેતિઃ = (વધા = નિષેધ) નિષેધ અને વિધિનો વ્યવહાર મ્િ = શું માનસિદ્ધી ફૂટું મતિ નતિ વી ? પ્રમાણસિદ્ધ છે કે પ્રમાણસિદ્ધ નથી ? આવો પ્રશ્ન કરાય ત્યારે જો “સત્યે તું” = જે પ્રમાણસિદ્ધ જ છે. એમ કહીએ તો તે નિષેધ અને વિધિના વ્યવહારના અસ્તિત્વને જણાવનારૂં પ્રમાણ અનુમાન જ હશે અને ત્યાં આશ્રયાસિદ્ધિ આદિ આટલાં (જે પૂર્વે તમે કહ્યાં) તે દુષણો કેમ નહી આવે ? અર્થાત્ તે દુષણો આવશે જ. અને જો “નાર્યે ” = તે નિષેધ અને વિધિના વ્યવહારને જણાવનારું કોઈ પ્રમાણ નથી એમ કહેશો તો તે નિષેધવિધિના વ્યવહારને જણાવનારા પ્રમાણનું નહીં હોવાપાનું પણ અનુમાનથી જ જણાવવું પડશે. એટલે પોતાના વચનની સાથે જ પોતાના વચનના વિરોધની સિદ્ધિ થશે. તે આ પ્રમાણે - ‘વધ્યાપુત્રાદિ અવસ્તુ (પક્ષ), નિષેધ અને વિધિના વ્યવહાર જગાવનારા પ્રમાણથી રહિત છે. (સાધ્ય)” આવું અનુમાન તો કહેશો જ. તો એક બાજુ કહો છો કે વધ્યાપુત્રાદિ અવસ્તુમાં વિધિ-નિષેધ જણાવનારું કોઈ પ્રમાણ જ નથી. અને બીજી બાજુ આવું અનુમાન તો તમે જ રજુ કરો છો. તો “અવસ્તુમાં બાધા વિધિનો વ્યવહાર નથી” આવું તત્ = આ વચન અનેનૈવે વેવનેન = ઉપર કહેલા અનુમાનાત્મક સ્વવચનની સાથે વિરોધ પામે જ છે. નાસ્તિ = અવસ્તુમાં બાધાવિધિનો વ્યવહાર નથી એવો પ્રતિષેધ તો તમે જ સ્વયં કર્યો અને બાધા-વિધિના વ્યવહારના નિષેધ માટે અનુમાન પ્રમાણ પણ તમે જ રજુ કર્યું માટે તમને પૂર્વાપર સ્વવચનવિરોધ દોષ આવશે આ પ્રમાણે આ શ્લોકના અન્તિમ પદનો અર્થ જાણવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy