SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ ૫૬૮ किन्तु पुद्गलानामुद्भूतानुद्भूतस्पर्शानामुपलब्धेः शब्देऽपि पौद्गलिकत्वेन परैः प्रणिगद्यमाने, बाधकाभावे च सति सन्देह एव स्यात्, न त्वभावनिश्चयः । तथा च सन्धिग्धासिद्धो हेतुः । न च नास्ति तन्निर्णायकम्, तथाहि - शब्दाश्रयः स्पर्शवान्, अनुवातप्रतिवातयोपिकृष्टनिकटशरीरिणोपलभ्यमानाऽनुपलभ्यमानेन्द्रियार्थत्वात्, तथाविधगन्धाधारद्रव्यवत् इति । હે તૈયાયિક ! શબ્દ એ અપૌદ્ગલિક છે. સ્પર્શશૂન્યાશ્રય હોવાથી આમ જો આઘપક્ષ કહો તો તે તમારી વાત યુક્તિસંગત નથી. અર્થાત્ શબ્દમાં અમે જૈનોએ માનેલા ભાષાવર્ગણાના પૌલિકત્વનો નિષેધ કરવા માટે જો તમે એમ કહો કે શબ્દો કાર્યમાં પ્રવેશ-નિર્ગમન કરે છતાં તેનો કોઈ સ્પર્શ અનુભવાતો નથી. તેથી શીત-ઉષ્ણાદિ કોઈ પણ પ્રકારના સ્પર્શનો ત્યાં અભાવ હોવાથી શબ્દ એ પૌદ્ગલિક નથી. જો શબ્દ પૌદ્ગલિક હોત તો સ્પર્શ જણાત જ, સ્પર્શ જણાતો નથી માટે પૌગલિક નથી. આમ જો કહો તો તે તમારી વાત યુક્તિસંગત નથી. કારણ કે “શબ્દ પર્યાય” ના આધારભૂત એવી જે ભાષાવર્ગગા છે. તેમાં સ્પર્શનો અભાવ તમે “અનુપલબ્ધિ માત્રથી જે કહો છો તે સિદ્ધ થતો નથી. શબ્દરૂપે બનેલી ભાષાવર્ગણામાં સ્પર્શ જણાતો નથી તેથી તે શબ્દ પૌદ્ગલિક નથી. એવું તમારું કેવું પિશાચાદિની સાથે વ્યભિચાર દોષવાળું છે. પિશાચાદિ પણ દેખાતા નથી, છતાં જગતમાં નથી એમ નહીં, પરંતુ છે જ. તેમ ભાષાવર્ગણામાં સ્પર્શ ભલે જણાય નહીં, પરંતુ નથી એમ નહીં, પણ છે જ. “રાક્ટ પૂરો (પક્ષ), નાસ્તિ (સાધ્ય) અનુપસ્થિમજ્જાત્ (હેતુ) તમારા કહેલા આ અનુમાનનો હેતુ નાસ્તિ સાધ્યને બદલે પિરાવાદ્રિ માં “મતિ” સ્વરૂપ સાધ્યાભાવમાં વર્તતો હોવાથી વ્યભિચારી છે. - હવે કદાચ તમે એમ કહો કે અમે શબ્દમાં પૌદ્ગલિકત્વના નિષેધ માટે કેવળ “અનુપસ્થિમજ્જીતુ” હેતુ કહેતા નથી. પરંતુ “ોળ્યાનુપસ્થિમજ્ય” હેતુ કહીએ છીએ. તેથી પિશાચાદિમાં વ્યભિચાર દોષ અમને આવશે નહીં. જે જણાવાને યોગ્ય હોય છતાં ન જણાય તો તે નથી. એમ અમે નૈયાયિકો કહીએ છીએ. જેમ ઘટ જણાવાને યોગ્ય છે છતાં જે ક્ષેત્રમાં જણાતો ન હોય તો ત્યાં ઘટ નથી. તેમ શબ્દમાં સ્પર્શ જણાવાને યોગ્ય છે છતાં પણ જણાતો નથી માટે ત્યાં શબ્દમાં સ્પર્શ નથી. જ્યારે પિશાચાદિ તો સૂક્ષ્મ શરીરવાળા હોવાથી જણાવાને યોગ્ય જ નથી તેથી દેખાતા નથી. આ પ્રમાણે યોગ્યાનુપધ્ધિમત્વ હેતુ પિશાચાદિમાં વર્તતો નથી તેથી અમને વ્યભિચાર દોષ આવતો નથી. અર્થાત્ “ોગ્યત્વે સતિ અનુપમિત્તે’’ એવો વિશેષણવાળો હેતુ અમે કહીશું જૈન - અનુપબ્ધિમત્ત ને બદલે “ોવાનુપબ્ધિમત્ત'' હેતુ મુકવાથી પિશાચાદિમાં વ્યભિચાર દોષ ભલે નહી આવે પરંતુ અસિદ્ધહેત્વાભાસ થવાનો દોષ આવશે. તે આ પ્રમાણે-શબ્દમાં જે સ્પર્શ છે. તે અનુભૂત (અનુત્કટ) (અપ્રગટ) હોવાના કારણે ઉપલબ્ધિ થવા રૂપ પ્રાતત્વ (યોગ્યત્વ) નો તેનામાં અભાવ છે. અર્થાત અનુભૂત હોવાથી “યોગ્યાનુપલબ્ધિમત્ત્વ” હેતુ તેનામાં નથી. હેતુ પક્ષમાં ન હોવાથી અસિદ્ધ હેત્વાભાસ થશે. જેમ કોઈ દૂર ક્ષેત્રમાં રહેલા સુગંધ-દુર્ગધના આધારભૂત પદાર્થોની ગંધ અહીં જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy