SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૯ વર્ણાદિના નિત્યત્વની ચર્ચા રત્નાકરાવતારિકા એમ એક બુદ્ધિનો વિષય તો છે. માટે હેતુ અનિત્યમાં પણ વર્તે છે. આ જેમ વ્યભિચારી છે તેમ તમારો હેતુ વ્યભિચારી છે. આ પ્રમાણે તમારો શ્રાવણત્વ હેતુ દોષિત હોવાથી શબ્દનું નિત્યત્વ અનુમાનથી પણ સિદ્ધ થતું નથી. याऽप्यर्थापत्तिः प्रत्यपादि, तत्रायमर्थः - अनित्यत्वे सति यो गृहीतसम्बन्धः शब्दः, स तदेव दध्वंसे, इति व्यवहारकालेऽन्य एवागृहीतसम्बन्धः कथमुच्चार्येत ? उच्चार्यते च-तस्मानित्य एवायमिति । तदयुक्तम् - अनेन न्यायेनार्थस्यापि नित्यतैकतापत्तेः । अन्यथा बाहुलेये गृहीतसम्बन्धोऽपि गोशब्दः शाबलेयादिष्वगृहीतसम्बन्धः कथं प्रतिपत्तिं कुर्यात् ? सामान्यस्यैव शब्दार्थत्वाददोष इति चेत् - न, लम्बकम्बलः ककुमान्, वृत्तशृङ्गश्चायं गौरिति सामानाधिकरण्याभावप्रसक्तेः । ततः सामान्यविशेषात्मैव शब्दार्थः । स च नैकान्तेनाऽन्वेतीति न नित्यैकरूपोऽभ्युपेयः स्यात् । कथं च धूमव्यक्तिः पर्वते पावकं गमयेत् ? धूमत्वसामान्यमेव गमकमिति चेत् - वाचकमपि सामान्यमेवास्तु । શબ્દને નિત્ય સિદ્ધ કરવા તમે (મીમાંસકોએ) નીચે પ્રમાણે અર્વાપત્તિ પ્રમાણ આપ્યું છે. તમારા કહેલા તે અપત્તિપ્રમાણનો અર્થ આ પ્રમાણે છે - જે શબ્દને અનિત્ય માનીએ તો જે શબ્દ વાગ્યવસ્તુની સાથે વાચવાચકભાવના સંબંધ વડે ગૃહીત થયો છે તે શબ્દ તો બોલતાંની સાથે જ ત્યાં નાશ પામી ચુકયો, એટલે કાળાન્તરે બીજીવાર તે શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે ત્યારે તે ઉચ્ચારણ કરાયેલો શબ્દ અપૂર્વ હોવાથી અગૃહીત (વા-વાચકભાવના) સંબંધવાળો થયો છતો વાસને જણાવવામાં કેવી રીતે ઉચ્ચારા કરાશે અને ઉચ્ચારિત કરાયેલો તે શબ્દ અગૃહીત વાગ્યવાચક ભાવવાળો હોવાથી વાચ્ચનો બોધક પણ કેમ થશે ? અને કાળાન્તરે ઉચ્ચારણ તો કરાય જ છે તથા વાચ્ચનો બોધક પણ થાય જ છે. તેથી શબ્દ તેનો તે જ છે અર્થાત્ નિત્ય છે એમ સિદ્ધ થાય છે. એટલે કે “ નિ:, અન્યથા છા ગૃહીતસમ્યુઃ રાઃ ૩ ડપૂર્વત્વાભાર્થનોધાતુ” આવા પ્રકારની અર્થપત્તિ શબ્દને નિત્ય સિદ્ધ કરવા માટે હે મીમાંસકો! તમે કરી છે. જૈન - તત્યુતમ્ = મીમાંસકની ઉપરોક્ત વાત યુક્ત નથી. કારણ કે જો આ રીતે ગૃહતસંબંધને લીધે વાચક એવા શબ્દને નિત્ય માનો તો પછી આ જ ન્યાયે વાચ્ય એવા અર્થને પણ નિત્ય માનવાનો પ્રસંગ આવશે. અન્યથા (જો અર્થને-પદાર્થને નિત્ય નહીં માનો તો) બાહુલેયમાં (વિવક્ષિત એક ગાયમાં) ગૃહતસંબંધવાળો એવો નો શબ્દ કાળાન્તરે દશ્યમાન એવી શાબલેયમાં (અન્યગાયમાં) અગૃહતસંબંધવાળો તે નો શબ્દ અર્થબોધ કેમ કરાવશે ? અને અર્થબોધ તો કરાવે જ છે. એટલે નો શબ્દને જેમ નિત્ય માનો છો તેની જેમ તેની સાથે ગૃહીતસંબંધ વાળો પદાર્થ (ગાય) પાગ નિત્ય થશે અને જેટલી ગાયો તેટલી ભિન્ન ભિન્ન નો શબ્દ થશે. સારાંશ કે એક વખત ઉચ્ચારિત નો શબ્દ બાહુલેય ગાયની સાથે ગૃહીતવાચવાચકભાવવાળો છે. તે શબ્દને અનિત્ય માનવાથી શાબલેયનો બોધક ન થાય એમ તમારું જે કહેવું છે. તે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy