SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ ૫૫૮ મીમાંસક - રથ ભટ્ટ: પ્રવેત્યમનુમાનયતિ - હવે મીમાંસક કદાચ એવો પોતાનો બચાવ કરે કે “રાઃ નિત્ય , શ્રાવપત્વિતિ, રીર્વવત્ આ અમે કહેલું અનુમાન કુમારિલ ભટ્ટ જ કરે છે. પ્રભાકર કરતા જ નથી. તેથી પ્રભાકરને આશ્રયી તમે ઉભયવિકલદષ્ટાન્તાભાસ દોષ જે અમને આપ્યો તે ઉચિત નથી. આ અનુમાન પ્રભાકરનું નથી. પરંતુ કુમારિદ્વ ભટ્ટનું છે. તથા પ્રભાકર પણ શબ્દને નિત્ય જ માને છે ફકત તેઓ શબ્દના નિત્યત્વને સિદ્ધ કરવા આવું બીજું અનુમાન કરે છે. “દેશભેદે અને કાળભેદે બોલાયેલા ભિન્નભિન્ન ગો શબ્દાત્મક વ્યક્તિ રૂપ અનેક બુદ્ધિઓ (પક્ષ), એક જ ગો શબ્દનો વિષય છે. (સાધ્ય). ત્રાગકાળે સર્વક્ષેત્રે ‘‘:” આ ગાય છે એમ જ બોલાય છે. બોલવામાં કંઈ જ તફાવત નથી માટે, (હેતુ), આજે બોલાતા નો શબ્દ રૂપ વ્યક્તિસંબંધીબુદ્ધિની જેમ (ઉદાહરાણ). પ્રભાકરનું આવું કુમારિદ્વ ભટ્ટથી ભિન્ન અનુમાન છે. તેનો ભાવાર્થ એ છે કે ગમે તે કાળે અને ગમે તે ક્ષેત્રે અને ગમે તેટલી વાર ગાયને ઉદ્દેશીને શબ્દ બોલીએ તો પણ નોરિયમ્ આ ગાય છે. આવું જ વાકય બોલાય છે. તેમાં કોઈપણ જાતની શબ્દરચના કે ઉચ્ચારણમાં તફાવત છે જ નહીં. તેથી સદાકાળ એક જ શબ્દ અર્થાત્ તેને તે જ શબ્દ ઉચ્ચારણ કરાતો હોવાથી નો શબ્દ નિત્ય છે તેવી રીતે શેષશબ્દો પણ નિત્ય છે. પ્રભાકરનું આવું ભિન્ન અનુમાન છે. તેથી ઉભયવિકલનો દોષ તેને લાગતો નથી. જૈન - પિ ૩નવતમ્ = તે પણ મીમાંસકનું વચન નિર્દોષ નથી. કારણ કે પ્રતિબંધનો (વ્યાપ્તિનો) અભાવ છે. હેતુ સાધ્યના અભાવમાં વર્તતો હોવાથી વ્યભિચારી છે માટે વ્યાપ્તિ થતી જ નથી. જેમ પર્વતો ધૂમવાનું વહ્મિમવત્ માનરસવતું અહીં જ્યાં જ્યાં વહ્નિ હોય ત્યાં ત્યાં ધૂમ હોય છે એવી વ્યાપ્તિ થવી જોઈએ પણ તે થતી નથી અયોગોલકમાં વહ્નિ છે પરંતુ ધૂમ નથી. તેથી હેતુ સાધ્યાભાવવવૃત્તિ હોવાથી વ્યભિચારી છે તેમ તમારો આ હેતુ પણ વ્યભિચારી છે. તે આ પ્રમાણે દેશભેદે અને કાળભેદે બોલાતો નો શબ્દ સર્વથા એક જ હોય એવું બનતું નથી. તીવ્ર-મંદ-ઉદાત્ત-અનુદાત્ત-સુસ્વર અને દુ:સ્વર આદિરૂપે કાળભેદે-ક્ષેત્રભેદે નો શબ્દ ભિન્ન ભિન્ન રીતે બોલાય છે. એકસરખો શબ્દ ઉચ્ચારિત થતો નથી. તેથી તેનો તે જ આ નો શબ્દ છે. એમ નથી. માટે ગતિ કમાનિત્વીત્ આ તમારો હેતુ ગોરાવર નામના સાધ્યના અભાવમાં વર્તે છે. માટે વ્યાપ્તિ થતી નથી, હેતુ વ્યભિચારી છે. ટીકાકારશ્રી કહે છે કે વિજળીના ચમકારામાં પાગ નિત્યત્વ સિદ્ધ કરવા માટે આવું વ્યાપ્તિ વિનાનું વ્યભિચારી અનુમાન થઈ શકે છે. તેથી વિજળીનો ચમકારો કંઈ નિત્ય સિદ્ધ થઈ જતો નથી. તે વ્યભિચારી અનુમાન આ પ્રમાણે છે - ટેરામની; તડિવિતવુદ્ધ, રતડિવ૨T:, “તડિતુ' યુદ્યમાનત્વ, ચોદવુદ્ધિવત્' ભિન્નભિન્ન દેશે અને કાળે થતા વિજળીના ચમકારાની બુદ્ધિ, એક જ તડિ વ્યક્તિરૂપબુદ્ધિનો વિષય છે. તડિતુ” પાણે જ તે બુદ્ધિ ઉત્પન્ન થતી હોવાથી, આજે ઉત્પન્ન થયેલ તડિબુદ્ધિની જેમ, સારાંશ કે દેશભેદે અને કાળભેદે થતા વિજળીના ચમકારા કોઈ તીવ્ર હોય, કોઈ મંદ હોય, કોઈ સર્વાકાશવ્યાપી, કોઈ એક ભાગવત હોય એટલે વિજળીના આ ચમકારા ભિન્ન ભિન્ન છે. તેથી ઉત્પત્તિ-વિનાશવાળા હોવાથી અનિત્ય જ છે છતાં “આ પણ તડિતુ, આ પાગ તડિ”, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy