SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૧ શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા किं नेयं तथा ? इति तेऽपि नित्याः स्युः । वर्णयिष्यमाणवर्णव्यक्तिव्यपाकरणं चेहाप्यनुसन्धानीयम् । તથા “શ્રુતિઓ અપૌરૂપેય છે'' આ વાતને સિદ્ધ કરનાર અનુમાનપ્રમાણ પણ નથી. કારણ કે જો અનુમાન પ્રમાણ કહેશો તો કહો તેમાં હેતુ શું કહેશો ? શું કર્નસ્મરણ હેતુ કહેશો કે વેદાધ્યયન વાચ્યત્વ હેતુ કહેશો કે કાલત્વ હેતુ કહેશો ? શ્રુતિઓને અપૌરૂષય સાધવામાં ઉપરોક્ત ત્રણ હેતુઓમાંથી તમારા વડે જે હેતુ કહેવાશે તે સર્વે હેતુઓમાં (ત્રણે હેતુઓમાં) પ્રત્યક્ષપ્રમાણ વડે, અનુમાન પ્રમાણ વડે, અને આગમપ્રમાણ વડે બાધિતપણું થાય છે. તેથી પક્ષદોષ તમને લાગે છે. તે આ પ્રમાણે શ્રુતિ:,ગૌવેલી, ત્રસ્મરળાતું, શ્રુતિ અપૌરુષેયી (નિત્ય) છે કારણ કે તેનો કોઈ કર્તા સ્મરણમાં આવતો નથી. કર્તાનું અસ્મરણ છે માટે, તમારા આ અનુમાનમાં પ્રથમ પ્રત્યક્ષબાધ દોષ આ પ્રમાણે છે. તમે કહો છો ગૌસ્ત્રેવી, અને પ્રત્યક્ષપણે દેખાય છે પૌસ્તેથી, તે આ પ્રમાણે तथाविध તેવા પ્રકારની વિશિષ્ટ ઉંચી બાંધેલી, મઠની પીઠિકા ઉપર પ્રતિષ્ઠ બેઠેલા એવા રાત = લુચ્ચા-વંચક, અને વ = જડ-મુર્ખ, એવા અધ્વર્યું (યાજ્ઞિકગોરો), ઉદ્ગાÇ (શ્રુતિઓ ગવરાવનારાઓ) હોવુ (હવન કરનારાઓ) અને પ્રાય: તેમના પ્રવ્રુર (ઘણા) શિષ્યો (ખંડિક એટલે શિષ્યો) (યનુઃ સામ ઋ-૨) યજુર્વેદ, સામવેદ અને ઋગ્વેદ અતિશય ઉંચા સ્વરે એકી સાથે પોકારતા હોય ત્યારે “આ બધા કોલાહલ કરી રહ્યા છે' એવું પ્રત્યક્ષ (શ્રોત્રપ્રત્યક્ષ) જ્ઞાન થાય જ છે. તે પ્રત્યક્ષ વડે ‘“અપૌરુષેયત્વ’”નો પક્ષ બાધિત થાય છે. = - · તમે ઉપરોક્ત અનુમાનમાં ‘“અપૌરૂષય’” સાધ્ય કહો છો. પરંતુ તે સાધ્યનો અભાવ ‘‘પૌરૂષૅયત્વ’’ પ્રત્યક્ષપ્રમાણથી અધ્વર્યુ આદિ ગાતા હોય ત્યારે જણાય છે. જે અનુમાનમાં સાધ્યનો અભાવ પ્રમાણાન્તરથી જણાય તે હેતુ બાધિત હેતુ કહેવાય છે. - •મીમાંસક તમે જે બાધિતતા જણાવી, તે ખરેખર ખોટી છે. કારણ કે તે અધ્વર્યુ આદિ જ્યારે ગાય છે અને ગવરાવે છે ત્યારે તે શ્રુતિ અભિવ્યક્ત (પ્રગટ) થાય છે. પરંતુ વખતે ઉત્પન્ન થાય છે અને તેથી પૌરૂષેય છે એમ નહીં, પરંતુ અનાદિની તે છે જ અને નિત્ય જ છે. ફક્ત ગવરાવતી વખતે તે અભિવ્યક્ત થઈ છે એમ સમજવું જોઈએ, કોલાહલ વિષેની આ પ્રતીતિ અભિવ્યક્તતાના સદ્ભાવ રૂપ હોવાથી પ્રત્યક્ષ વડે પક્ષનો બાધ આવતો નથી. Jain Education International = - જૈન જો એમ કહેશો તો, એટલે કે અભિવ્યક્તિ (પ્રગટતા) માત્રથી જ આ પ્રતીતિ થાય છે એમ જો હું મીમાંસક ! તમે કહેશો તો ભરતશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવી ‘“હંસપક્ષ’” આદિ ૬૪ જાતની હસ્તપુ હાથની ભિન્ન ભિન્ન મુદ્રાઓમાં પણ આ “અભિવ્યક્તિ’” માત્ર જ હોય અને તેથી તે મુદ્રાઓ નિત્ય હોય એવું કેમ ન બને ? તથા આ જ પરિચ્છેદના નવમા સૂત્રમાં ‘‘આ શ્રુતિઓ એ વર્ણોની વ્યક્તિ (અભિવ્યક્તિ) માત્ર છે. તેવા પ્રકારના મીમાંસકના કથનનું વ્યપાકરણ (ખંડન) કરાશે, તે પણ અહીં જોડી દેવું. સારાંશ કે જે શ્રુતિઓ નિત્ય હોય, અને ગવરાવતી વખતે તેની અભિવ્યક્તિ માત્ર જ હોય = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy