SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૫-૬ ૫૧૬ વિનાનું હોય છે. યથાર્થજ્ઞાની અને જ્ઞાનાનુસારે યથાર્થવક્તા પુરૂષનું જ વચન વિસંવાદરહિત હોય છે. માટે તે જ આમ કહેવાય છે કારણ કે જે મૂઢ હોય અને જે વંચક હોય તે બેના વચનોમાં વિસંવાદ દેખાય છે. મૂઢ પુરૂષ યથાર્થજ્ઞાની નથી, અને વંચક પુરૂષ યથાર્થ જ્ઞાની હોઈ શકે છે પરંતુ યથાર્થ વકતા નથી તેથી તે બન્નેનાં વચનો વિસંવાદવાળાં હોય છે. તેથી જે પુરૂષ (ભલે સર્વજ્ઞ ન હોય તો પણ) જેનો અવંચક છે તે પુરૂષ તેની અપેક્ષાએ આમ કહેવાય છે. આવું વૃદ્ધપુરૂષોએ કરેલું, ઋષિ-આર્ય અને મ્લેચ્છ એમ ત્રણેમાં સંભવતું જે સાધારણ લક્ષણ છે. તેનો જ અનુવાદ અમે કર્યો છે એમ સમજવું. અંતિમ પંક્તિનો ભાવાર્થ આ પ્રમાણે છે કે “જે જેનો અચક તે તેનો આમ'' આવું વૃદ્ધ પુરૂષોએ આમનું લક્ષણ કરેલું છે. તે લક્ષણ તીર્થંકર પરમાત્મા આદિ ઋષિઓમાં પણ સંભવે છે. પુત્રાદિ પ્રત્યે પિતાદિ આર્યમાં પણ સંભવે છે. અને મ્લેચ્છ પુરૂષોમાં પણ પોતાના પરિવારાદિ પ્રત્યે અવંચક વચનનું વકતૃત્વ હોઈ શકે છે. તેથી અવંચકતાવાળું આમનું વૃદ્ધોએ કરેલું આ લક્ષણ તીર્થંકરાદિ ઋષિઓમાં, આર્ય એવા માતાપિતાદિમાં, અને મ્લેચ્છોમાં પણ (પોતાના પરિવારાદિની અપેક્ષાએ) ઘટે છે માટે સાધારણ છે. તે જ લક્ષણનો સૂત્રકારે અનુવાદ કર્યો છે કે “જે વક્તા અભિધેયને યથાર્થ જાણે છે અને જ્ઞાનને અનુસારે જે યથાર્થ બોલે છે. એટલે કે અવંચક ભાવે કહે છે તે આમ કહેવાય છે. આ વૃદ્ધોએ કરેલા આમના લક્ષણનો અનુવાદ જ છે. કંઈ ઓછું-અધિક-કે વિપરીત કહ્યું નથી. જૈનો સુરાસુરસેવિત કેવલી તીર્થંકરભગવન્તોને જ ફકત આમ માને છે એમ નહીં. પરંતુ જે જેના અવંચક તે તેના મ્લેચ્છ હોય તો પણ આસ કહેવાય છે જેમ કે મગધદેશના અધિપતિ શ્રેણીક મહારાજાને સંપૂર્ણ બે વિદ્યાઓ આપનાર માતંગ પણ શ્રેણિક મહારાજા પ્રત્યે આમ કહેવાય છે. ૪-પા आप्तभेदौ दर्शयन्ति - સ = દ્વેષા, હવે આ આમપુરૂષના બે ભેદ છે તે જણાવે છે તે આમ બે પ્રકારના છે. (૧) લૌકિક આમ અને (૨) લોકોત્તર આમ. ।।૪-૬॥ ટીકા - હોદ્દે સામાન્યનનરૂપે મત્રો હોળિ, ઢોળાવુત્તર: પ્રધાન:, મોક્ષમાપવેરાબોળોત્તર: ૫૪-૬ા હોદ્દોત્તરશ્ચ ક-દ્દા ટીકાનુવાદ સામાન્ય જન સ્વરૂપ જે લોક, તેમાં થયેલા જે આમ તે લૌકિક આપ્ત, લોકથી એટલે સામાન્યજનથી ઉત્તર એટલે પ્રધાન, જે મોક્ષમાર્ગના ઉપદેશક હોવાથી સામાન્યજનથી પ્રધાન છે એવા આમ તે લોકોત્તર આમ કહેવાય છે. (૧) જે માતા-પિતા-વડીલો-વિદ્યાગુરૂ-સજ્જનમિત્રમંડળી આદિ જે જે અવંચકભાવવાળા હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy