SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન ૫૦૦ હોય તો સાધ્ય નક્કી છે જ એમ સિદ્ધિ થાય જ છે. માટે આ અનુપલબ્ધિ સાધ્યના વિધાનને જ કરે છે. અને તે પાંચ પ્રકારે છે. ।।૩-૧૦૩ तानेव भेदानाहुः · विरुद्धकार्यकारणस्वभावव्यापकसहचरानुपलम्भभेदात् ॥ ३- १०४॥ વિરૂદ્ધાનુપલબ્ધિના તે ભેદોને જ જણાવે છે કે આ વિદ્ધાનુપલબ્ધિ પાંચ પ્રકારે છે. (૧) વિરૂદ્ધકાર્યની અનુપલબ્ધિ, (૨) વિરૂદ્ધકારણની અનુપલબ્ધિ, (૩) વિરૂદ્ધ સ્વભાવની અનુપલબ્ધિ, (૪) વિરૂદ્ધવ્યાપકની અનુપલબ્ધિ, અને (૫) વિરૂદ્ધ સહચરની અનુપલબ્ધિ, એમ પાંચ પ્રકારો જાણવા. ૫૩-૧૦૪ ટીકા :- વિધેયનાથૈન વિદ્ધાનાં હાર્યારળસ્ત્રમાલવ્યાપતરાળામનુંપતમ્મા: અનુપતન્યયÅમેવો विशेषस्तस्मात् । ततश्च विरुद्धकार्यानुपलब्धिः, विरुद्धकारणानुपलब्धिः, विरुद्धस्वभावानुपलब्धिः, विरुद्धव्यापकानुपलब्धिः, विरुद्धसहचरानुपलब्धिश्चेति ॥३- १०४॥ ટીકાનુવાદ જે સાધ્યનું વિધાન કરવાનું હોય તે સાધ્ય વિધેય કહેવાય છે. વિધેય એવા પદાર્થની સાથે વિરોધાત્મક એવા કાર્યની, કારણની, સ્વભાવની, વ્યાપકની અને સહચરની જે અનુપલબ્ધિ તે, તે તે અનુપલબ્ધિ કહેવાય છે. આ પ્રમાણે તે તે ભેદો વડે વિશેષતા થવાથી નીચે મુજબ પાંચ વિરૂદ્ધાનુપલબ્ધિહેતુ હોય છે. તે આ પ્રમાણે (૧) વિરૂદ્ધકાર્યાનુપલબ્ધિ, (૨) વિરૂદ્ધકારણાનુપલબ્ધિ, (૩) વિરૂદ્ધ સ્વભાવાનુપલબ્ધિ, (૪) વિરૂદ્ધવ્યાપકાનુપલબ્ધિ, અને (૫) વિરૂદ્ધ સહચરાનુપલબ્ધિ. = અનુમાનમાં જે સાધ્ય સાધવાનું છે તેને વિધેય કહેવાય છે, તેની સાથે વિરોધ પામતાં કાર્યકારણ આદિ તત્ત્વો જો ન દેખાય તો સાધ્ય નક્કી છે જ એમ સિદ્ધ થાય છે. માટે આ વિરૂદ્ધાનુપલબ્ધિ હેતુ સાધ્યની વિધિને જ સિદ્ધ કરે છે. ૩-૧૦૪ क्रमेणैतासामुदाहरणान्याहुः विरुद्धकार्यानुपलब्धिर्यथा - अत्र शरीरिणि रोगातिशयः समस्ति, नीरोगव्यापारानुपलब्धेः ॥३ - १०५॥ હવે અનુક્રમે આ પાંચે પ્રકારની અનુપલબ્ધિનાં ઉદાહરણો સમજાવે છે. ત્યાં પ્રથમ ઉદાહરણ વિરૂદ્ધકાર્ય અનુપલબ્ધિનું આપે છે. આ પ્રાણીમાં રોગાતિશય છે. કારણ કે નિરોગનો વ્યાપાર અર્થાત્ આરોગ્યતાનું કાર્ય જણાતું 49l. 113-90411 ટીકા :- વિધેયસ્થ ૢિોતિરાવસ્ય વિદ્ધમાનોયમ્, તસ્ય ધાર્ય વિશિષ્ટો વ્યાપાર:, તસ્યાનુપતસ્થિરિયમ્ ૫૨-૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy