SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧ રત્નાકરાવતારિકા मात्रगोचरतामाचक्षाणस्तथागतस्तनूकरोयत्येव इति विशेषणावृत्त्या सुगतोपक्षेपः । पुनः कीदृशं तम् ? ज्ञातारं विश्ववस्तुनः, नोऽस्माकं श्वेतभिक्षूणां सम्बन्धि विश्ववस्तु समस्तजीवादितत्त्वं कर्मताऽऽपन्नं, समानतन्त्रत्वाद् ज्ञातारम् इति दिगम्बरावमर्शः । ज्ञातारमिति च तृन्नन्तमिति "तृन्नुदन्त-" इत्यादिना कर्मणि षष्ठीप्रतिषेधः ।। “પવિતારમ્” ઇત્યાદિ પદોવાળા આ જ શ્લોક વડે ગ્રન્થકારશ્રીએ તેવા પ્રકારના અપકારી પુરુષોની આ રીતે (હવે કહેવાતા અર્થ પ્રમાણે) સ્મૃતિ કરેલી છે. = પૂર્વે કહેલા શ્રીશ્રમણ (પ્રધાન) સંઘરૂપ તીર્થની, અથવા તે સંઘમાં આધેય રૂપે રહેલા આગમોની ર્ફ = લક્ષ્મીને = શોભાને પોતાના અભિપ્રાય મુજબ તેવા તેવા અસબૂત (ખોટા) દોષોના આક્ષેપો મુકવા વડે હલકી કરે છે કે, તે તીર્થેશ = તીર્થસ્થ તિ ત તીર્થેશ: = તીર્થની પ્રતિભાનો જે નાશ કરે તે તીર્થેશ એટલે તીર્થોત્તરીયો = અન્યદર્શનકારો, જે બહિરંગ અપકારી છે તેમને. તે તીર્થેશ = (તીર્થાતરીયો) કેવા છે? પૂર્ચે આ પદનો તૃતીયા તપુરુષ સમાસ ઉપર જે કરવામાં આવ્યો હતો તેને બદલે બહુવ્રીહિ સમાસ કરવો. યજ્ઞાદિ ધર્મક્રિયાઓમાં હવિષના દાનાદિ દ્વારા “શક્ર છે પૂજ્ય જેમને” તે શક્રપૂજ્ય, તેમને,આ શક્રપૂજ્ય વિશેષણથી વેદને માનનારા એવા ભટ્ટકુમારિલભટ્ટ, પ્રભાકર, કણભક્ષ-કણાદ-વૈશેષિક, અક્ષપાદ-ગૌતમ-નૈયાયિક, અને કપિલસાંખ્ય આટલા દર્શનકારોનું સૂચન થયું. શપૂજ્યન્” શબ્દનો બહુવ્રીહિ સમાસ કરીને આ ગ્રન્થકારશ્રીએ હવિષ્ણુના દાનાદિ દ્વારા શકને પૂજનારા, અને વેદને અનુસરનારા એવા ઉપર કહેલા દર્શનકારોને આ ગ્રંથના પ્રારંભમાં અપકારી તરીકે સ્મૃતિગોચર કર્યો છે. તથા વળી તે તીર્થેશ = (ચતુર્વિધ શ્રી સંઘની શોભાને ઝાંખી કરનારા) તીર્થાન્તરીયો કેવા પ્રકારના છે? તો જણાવે છે કે = શિરોમીશ = વારસ્પતિમ્ વાણીનો સ્વામી જે બૃહસ્પતિ દેવ, એટલે કે વાચસ્પતિ જેને કહેવાય છે તે. આવા અર્થથી નાસ્તિકમત પ્રવર્તાવનાર જે બૃહસ્પતિ છે. તે ચાર્વાક દર્શનના કર્તા બૃહસ્પતિનું સ્મરણ સૂચવ્યું છે. તથા વળી, “રા- ત્તિ” = વસ્તુનું યથાર્થ વર્ણન કરવું, તે વાણીની શોભા કહેવાય, તે શોભાનો જે નાશ કરે તે સિરામીશ, કારણ કે પ્રત્યેક શબ્દો પોત પોતાના વાચ્ય, લક્ષ્ય, અને વ્યાય અર્થનું પરમાર્થથી પ્રતિપાદન કરે છે તે જ વાણીની શોભા છે. તેને બદલે તાલીમ્ = તે વાણીનો “અપોહ” જ માત્ર અર્થ થાય છે. પ્રત્યેક શબ્દો પોતાના વાચ્ય અર્થના પ્રતિપાદક નથી પરંતુ માત્ર ઈતર અર્થનો અપોહ જ કરનારા છે = ઈતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy